Quantcast
Channel: Grah Nakshatra – chitralekha
Viewing all 118 articles
Browse latest View live

ગરમ માહોલ વચ્ચે શનિ 30 એપ્રિલથી થશે વક્રી, થશે અસર…

$
0
0

વનાર સમય દેશના રાજકીય ભવિષ્ય માટે ખૂબ મહત્વનો સમય છે, એક બાજુ વરસાદ અને ગરમીના પ્રશ્ન હશે તો બીજી બાજુ રાજકીય માહોલ પણ ગરમાયેલો રહેશે.હાલ ગુરુ ધન રાશિમાં વક્રી ગતિ કરી રહ્યો છે, તે સાથે શનિ મહારાજ પણ જોડાઈ જશે, તારીખ૩૦ એપ્રિલ ૨૦૧૯થી શનિ ગ્રહવક્રી થશે, બંને મોટા ગ્રહો લગભગ એક બિંદુની આસપાસ વક્રી ભ્રમણ કરી રહ્યા છે.

શનિ ગ્રહનું વક્રી ભ્રમણ ખાસ કરીને ધન રાશિના જાતકો માટે સરળતા દર્શાવતું નથી. મકર રાશિના જાતકોને થોડો સમય રાહતના સમાચાર મળી શકે. વૃશ્ચિક રાશિમાં ગુરુ મહારાજ આવવાથી વૃશ્ચિક રાશિના જાતકોને મન અને તન આનંદમય રહે. દેશની કુંડળીમાં આ ભ્રમણ આઠમાં ભાવે થઇ રહ્યું છે. અષ્ટમ ભાવે શનિ, કેતુ અને ગુરુ આ બધા ગ્રહોની વક્રી ગતિ આવનાર સમયમાં દેશમાં રાજકીય માહોલમાં મોટાપાયે રહસ્યોદ્ઘાટનનું સુચન કરે છે. રાહુ-કેતુની ગતિ તોહંમેશા વક્રી દિશામાં જ હોય છે. આઠમો ભાવ નવીનતા અને સર્જનનું પણ સુચન કરે છે. અગમ્ય અને અજાણ ચીજોને બહાર લાવવા માટે અષ્ટમભાવમાં ગ્રહ હોવા જરૂરી હોય છે.

દેશની કુંડળીમાં જયારે આ પ્રકારે યોગ થઇ રહ્યો છે, ત્યારે રાજકારણમાં અને દેશની સ્થિતિમાં અનેક મોટી અને અજાણ બાબતો મીડિયા દ્વારા પ્રકાશમાં આવી શકે તેવું અનુમાન કરી શકાય. કોઈ મોટી અને વગદાર વ્યક્તિ દ્વારા મોટી માહિતી બહાર આવી શકે તેવું પણ અનુમાન થઇ શકે. ટૂંકમાં જયારે ગુરુ અને શનિ રહસ્યના ભાવે બિરાજયા હોય ત્યારે આ પ્રકારે ભવિષ્યનું અનુમાન થઇ શકે.અષ્ટમ ભાવ રહસ્યનો ભાવ છે, શનિ કર્મના દેવ છે, ગુરુ જીવનદાતા અને કૃપાના દેવ છે. આ સમયમાં વ્યવસાય અને રોજગાર બાબતે દેશમાં જે તેજી આવે તે ૧૧ ઓગસ્ટ ૨૦૧૯થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી નવી સપાટી બનાવે તેવું બને,૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ પછીના સમયમાં ૨૧નવેમ્બર ૨૦૧૯ સુધી સામાન્ય તેજી રહેશે.૨૧નવેમ્બર ૨૦૧૯ પછીનો સમય દેશના બજારો માટે પડકાર જનક બની શકે. આવનારી તેજી બિલકુલ પ્રસંગોપાત હોઈ શકે તેવું જણાય છે. કારણ કે, વક્રી ગ્રહોના સમયે આવતી તેજી બેશક ખૂબ અણધારી અને વધુ હોય છે, પરંતુ તે લાંબો સમય ટકી શકતી નથી.જયારે જો તેજી ૨૧ નવેમ્બર ૨૦૧૯ પછીના સમયે અનુભવાય તો તે ખૂબ લાંબો સમય રહેશે તેવું કહી શકાય.૨૧ નવેમ્બર ૨૦૧૯ પછીના સમયે તેજી આવે તેના અણસાર ગ્રહોની દ્રષ્ટિએ બહુ ઉજળા નથી કહી શકાતા.

કુદરતનીકૃપા છે કે શનિ વૃશ્ચિક તરફ ગતિ કરી રહ્યો હોવાથી આ સમય દરમિયાન વરસાદ માટે હજુ આશાઓ જણાય છે. લાંબી રાહ જોયા પછી વરસાદ થાય તેવું બની શકે. ખેતીવાડી માટે પાણીની વ્યવસ્થા જરૂરી બનશે.અગ્નિતત્વ પ્રધાન ધન રાશિમાં શનિદેવ હોવાથી વરસાદ બાબતે વધુ શ્રદ્ધા રાખવી પડશે. ધનરાશિમાં શનિ દેવ હોય ત્યારે વરસાદ અચાનક અને એકસાથે થાય છે. બાકીના સમયે પાણીની અછતનો માહોલ રહી શકે.કુદરત સાથે ચેડા કરવાનું પરિણામ મનુષ્ય ભોગવી રહ્યો છે, તેમાં શંકા કરવા જેવું નથી.

વૃષભ, કન્યા અને ધન રાશિના જાતકો માટે આ સમય દરમ્યાન કાર્યમાં વધુ મહેનતની જરૂર રહેશે, મન સ્થિર રાખવું પડશે. કાર્યનો ખોટો બોજ અને ખોટી ચિંતાથી બચવું પડશે. પોતાનો વ્યવહાર સ્પષ્ટ રાખીને કાર્ય કરશો તો શનિદેવની કૃપા થશે. શાંતિ માટે હનુમાનજીની ઉપાસના કરવી. મીન, કુંભ અને તુલા રાશિના જાતકોને શનિદેવ કાર્યોમાં સફળતા અને કુદરતી સહાય આપશે,મીન, કુંભ અને તુલા રાશિના જાતકો આ સમય દરમ્યાન વધુ આગેકૂચ કરી શકશે. બાકીની રાશિઓ માટે સામાન્ય શુભ ફળ કહી શકાય.


પાસાં વડે ભવિષ્ય જાણવાની સરળ ચાઇનીઝ પદ્ધતિ…

$
0
0

જ્યોતિષનો મહત્વનો ઉપયોગ ફલિત જ્યોતિષ સાથે છે. ફલિત જ્યોતિષ સૌથી વધુ ચાહના પામ્યું છે. જ્યોતિષના ગણિતના જાણકાર કે રસ લેનાર ઓછા રહ્યા છે. આખી દુનિયામાં લોકો અલગ અલગ રીતે ભવિષ્યને જાણવાનો પ્રયાસ કરતા હોય છે. કેટલીક પ્રચલિત પદ્ધતિઓમાં કાર્ડ્સ, પાસા, ક્રિસ્ટલ બોલ, અગ્નિનો ધુમાડો અને તેની દિશા, છાયા અને તેનો પ્રકાર,શુકન શાસ્ત્ર (શકુન) વગેરે છે. જોહન ડી, મેડમ સુંદ અને એલીસ્ટર ક્રાઉલી જેવા ગુઢ વિદ્યાના જાણકારો આત્મા સાથે વાત કરવાની વિદ્યા પણ જાણતા હતા, અને તેના દ્વારા પણ ભવિષ્ય ભાખી લેતા હતા.

આ બધામાં પાસા વડે ભવિષ્ય જાણવાની કળા લગભગ દુનિયાના દરેક ખૂણે મળે છે. જાપાનઅને ચીનમાં પણ પાસા વડે ભવિષ્ય જોવાની કળા છે. પાસા વડે પાંચ તત્વોની ઉપસ્થિતિ જાણીને ભવિષ્યની ઘટના વિશે અંદાજ લઇ શકાય. પાસા વડે ભવિષ્ય જાણનાર વ્યક્તિઓના પાસા કુદરતી ચીજોમાંથી બનેલા હોય છે. પાસા માટે ધાતુ અથવા પ્રાણીજ વસ્તુઓનો ઉપયોગ થતો જોવા મળે છે. સોના અને ચાંદીના પાસા પણગુઢ વિદ્યાના જાણકારો ઉપયોગમાં લે છે. પરંતુલાકડાના પાસા વિદ્યુત વાહક ન હોવાથી તેને ઉપયોગમાં નથી લેવાતા. પ્લાસ્ટિક પણ આ વિદ્યા માટે ઉપયોગમાં ન લઇ શકાય.

તમારે કોઈ પણ પ્રશ્નને જાણવા કે પરિસ્થિતિને જાણવા માટે ત્રણ પાસાની જરૂર પડે છે. ખુબ જ સરળ આ વિદ્યા માટે તમારે મન સ્થિર કરીને પાસેના કાગળ ઉપર એક પ્રશ્ન લખવાનો હોય છે, તેમાં ધાર્મિક ચિહ્ન કે સાત્વિક મંત્ર લખીને દેવી સહાય માંગવાની છે. ત્યારબાદ એક સપાટ જમીન પર આ ત્રણ પાસાને ફેંકીને, તેના અંકનો સરવાળો કરવાનો છે.

જો સરવાળો,

૩: ઘટના તુરંત ઘટશે, લાભ થશે.

૪: ઘટના ઘટશે નહિ, વિવાદ થઇ શકે.

૫: કુદરતી સહાય મળશે, સારા સમાચાર મળશે.

૬: આર્થિક નુકસાન, શરીરને નુકસાન.

૭: મહેનત વધુ કરવી પડે, વ્યવસાયની ચિંતા.

૮:તમે જે વિચારો છો એ તદ્દન ખોટું છે, બીજાની સલાહ લો.

૯: સુંદર મિલન, મુલાકાત સફળ, લગ્નબાબતે શુભ.

૧૦: બઢતી, આગેકુચ, સ્ત્રીને બાળકની પ્રાપ્તિ.

૧૧: ખુબ જ આનંદ, ઉત્સાહ, ખુશીના દિવસ.

૧૨: સમાચાર મળશે, માહિતી મહત્વની છે, શાંતિ.

૧૩: હાલનું કાર્ય ટાળો, મુસિબત જલ્દી જ ટળીજશે.

૧૪: મિત્રની મદદ મળશે, કાર્ય આસન થશે.

૧૫: સોદા ટાળો, વિવાદથી બચો.

૧૬: મુલાકાત કે પ્રવાસથી લાભ થશે, શુભ.

૧૭: અભિપ્રાય બદલાશે, મુલાકાત કે વ્યવહારથી લાભ.

૧૮: અતિશુભ, સફળતા જલ્દીથી મળશે.

પાસા વડે ઊંડાણથી જોવા માટે તમે પાસની લંબાઈથી દસ ગણું મોટું એક વર્તુળ કાગળ પર બનાવી શકો. આ વર્તુળમાં (૩૦ અંશનો એક એમ) બારભાગ કરો. દરેક ભાગને એક નામ આપો. પ્રચલિત નામો મુજબ તમે કુંડળીના બાર ભાવ તેમાં ક્રમિક રીતે ગોઠવી શકો. જેમ કે, પ્રથમ ભાવ દેહ, દ્વિતીય ભાવ કુટુંબ અને ધન, તૃતીય સાહસ અને ભાત્રુ વગેરે… ડાબા હાથેથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બારેય ભાવ ગોઠવવા. ડાબા હાથે પૂર્વ, ઉપર ઉત્તર એમ બધી દિશાઓ મુકવી.

ચાઇનીઝ રીતે ભાવનું વિવરણ થોડું અલગ છે,

૧: ઘર, ૨: તબિયત, ૩: સંપત્તિ, ૪: પ્રેમ, ૫: પ્રવાસ, ૬: વ્યવસાય/ નોકરી, ૭: કાયદાકીય બાબત, ૮: મિત્રો, ૯: શત્રુઓ, ૧૦: ડર/આશાઓ, ૧૧: વર્તમાન, ૧૨: ભવિષ્ય.

પાસાઓનો મધ્યમાં વિસ્તાર પ્રસ્તાર કરવો. જ્યાં પાસાઓ જાય તે બાબતે તેઓ નિર્દેશ કરે છે. બે પાસાઓ જે દિશામાં જાય તે દિશા કે ભાવની બાબતનો નિર્દેશ વધુ થાય છે. ઉદાહરણ તરીકે બેપાસાઓછઠા ભાવ તરફ ગયા, એક પાસો ૧૦માં ભાગમાં ગયો. ત્રણેયના અંકોનો સરવાળો ૧૧ થાય છે, તો આ પ્રસ્તારનું ફલિત નોકરીમાં સફળતા કહેવાશે. ૧૦માં ભાગનો પાસો નોકરી બાબતે આશાઓનો પણ નિર્દેશ કરે છે. દરેક વખતે પ્રસ્તાર કરતા પહેલા સ્પષ્ટ પ્રશ્ન લખવાનું ભૂલતા નહિ.

 

મે-જૂન ધન અને મિથુન રાશિના જાતકો માટે મહત્વના…

$
0
0

લેખ ખાસ એટલા માટે લખી રહ્યો છું કારણ કે લગભગ દોઢેક વર્ષ પહેલાં જયારે શનિ વૃશ્ચિક રાશિમાં હતો ત્યારે મારી આસપાસ નજીકના વર્તુળના જેટલાં પણ લોકો વૃશ્ચિક રાશિના હતાં તેઓ બધા શનિના વૃશ્ચિક રાશિના ભ્રમણમાં માનસિક રીતે ત્રસ્ત થઇ ગયાં હતાં. તેમના અનેક કાર્ય અટકી પડ્યાં હતાં. મને વૃશ્ચિક રાશિના ઘણાં લોકોએ વારંવાર પૂછ્યું હતું કે ક્યારે મુસીબતનો અંત આવશે, ક્યારે શનિ અમારી રાશિમાંથી જશે? બેશક જયારે શનિનો વૃશ્ચિકમાંથી ધનમાં પ્રવેશ થયો ત્યારબાદ ઘણાને લાભ થયાં અને મુસીબતમાં રાહત મળી છે. નજીકના ભૂતકાળમાં જોઈએ તો અગાઉ ૩૦ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન જયારે શનિ વક્રી બન્યો ત્યારબાદ દેશના પૂર્વ-દક્ષિણ ભાગે દુર્ઘટનાઓ ઘટી છે.

 

ધન અને મિથુન રાશિના જાતકો માટે:

ગ્રહોની આજકાલ જોઈએ તો નજીકના સમયમાં શનિ કેતુનો ધનમાં અને મંગળ રાહુનો મિથુનમાં યોગ થશે, જે અનુક્રમે ધન અને મિથુન રાશિના જાતકોના જીવનમાં અણધાર્યા પરિવર્તન લાવશે તેવું સ્પષ્ટ લાગે છે. પહેલા વાત ધન રાશિની, શનિ અને કેતુ બિલકુલ વિરુદ્ધ પ્રકૃતિના ગ્રહ અને બિંદુ છે, શનિ ઠંડો અને ધીમો છે જયારે કેતુ તામસી અને વૈરાગી છે, કેતુ તામસી ક્રોધી યોગી છે તો શનિ વિરક્ત શૂન્યમાં જીવતો સાધુ છે. આ બંનેનું મિલન ધનરાશિમાં થવા જઈ રહ્યું છે. ૦૬ જુન ૨૦૧૯ની આસપાસ શનિ અને કેતુનું ધનરાશિમાં મિલન થશે. સ્પષ્ટ અસર ૨૪ મે ૨૦૧૯ થી ૧૪ જુન ૨૦૧૯ દરમિયાન જીવનમાં અનુભવી શકાશે. આ દરમિયાન ધન રાશિના જાતકો માટે કાર્ય બાબતે બદલાવ આવી શકે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. બની શકે તો ચાલુ કાર્યને શાંતિથી વીતવા દેવું. ધનનો બચાવ કરવો. સતત તકલીફ કે પરેશાની આવી રહી હોય તો તલ અને શ્રીફળને સંકલ્પ કરીને નદીમાં કે વહેતા પાણીમાં વહેતા કરીને શાંતિ માટે સંકલ્પ કરવો. શનિદેવની શાંતિ માટે અંધ, અપંગ કે વૃદ્ધને યથાશક્તિ મદદ કરીને તેમના આશિર્વાદ લેવા.

ધન રાશિના જાતકોને પનોતીનો સમય ચાલી રહ્યો છે, શનિ ધન રાશિમાં૨૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ધન રાશિમાં રહે છે, જાન્યુઆરી ૨૦૨૦ પછી ધન રાશિના જાતકો માટે નાણાકીય સ્થિરતા અને માનસિક શાંતિનો માહોલ બનશે.

બીજી તરફ મિથુન રાશિમાં રાહુ અને મંગળની યુતિ ૧૫-૦૬-૨૦૧૯ની આસપાસ થશે, મંગળનો અધિશત્રુ બુધ પણ આ યુતિમાં શામેલ થશે. રાહુ અને મંગળ બંને પાપગ્રહ અને બિંદુ છે, રાહુ મિથુન રાશિમાં ખુબ ઉગ્ર બને છે, મોહ, માયા અને અહંકારને પોષે છે. આ સમયે જયારે મંગળ જે અગ્નિ તત્વનો ગ્રહ છે, વાયુ તત્વની મિથુન રાશિમાં જયારે રાહુને મળશે ત્યારે મિથુન રાશિના લોકો માટે આ સમય દરમિયાન અનેક ગણી ઉર્જા અને શક્તિનો અનુભવ થશે, આ શક્તિ જો યોગ્ય દિશામાં ના વળે તો જીવનમાં બેશક એક મોટું તોફાન પણ સર્જી શકે. ‘સ્વ’ એટલો મોટો ના થવો જોઈએ કે બીજા અક્ષર અને લોકો માટે તમારી પાસે જગ્યા ના રહે. મિથુન રાશિના જાતકો ખાસ કરીને માનસિક અને શારીરિક બાબતોમાં ખુબ ઉથલ પાથલ અનુભવે તેવું બની શકે. આ બાબત જો સકારાત્મક રીતે જોઈએ તો જો આ રાશિના જાતકો આ સમય દરમિયાન મહત્વના કાર્યમાં લાગેલા હશે તો તેઓ એક અપૂર્વ ગતિથી તેમાં આગળ વધશે, તેઓ એકસાથે હરણફાળ ભરશે, પરંતુ સાવધાન ગતિ સાથે ‘મતિ’ હોવી જોઈએ,

‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ એ પણ યાદ રાખશો. મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન કોર્ટ કેસ, હરીફાઈ અને મતભેદના બનાવો બની શકે છે, આ બાબતે ખુબ સાવચેતી રાખવી જોઈએ. શાંતિ માટે હનુમાનજીની ઉપાસના મદદરૂપ થાય. મંગળ અને રાહુ બંને ગુરુદેવ પાસે પોતાના અવગુણોનો ત્યાગ કરે છે, માટે ગુરુ દત્તાત્રેયની ઉપાસના (દત્ત બાવની)પણ માનસિક શાંતિ આપે અને તકલીફોનું શમન કરે છે.

ગ્રહોના ભ્રમણનું રહસ્ય:

શનિ મહારાજ જે રાશિમાં હોય છે તે રાશિના લોકોને એ સમય દરમિયાન શનિ શું છે? જ્યોતિષ શું છે? તેનો અનુભવ શનિ દેવ ચોક્કસ કરાવતા હોય છે. તમારા જીવન પર ચોક્કસ અસર કરનારા ત્રણ બિંદુઓ તમારી કુંડળીમાં છે, તે છે લગ્નના અંશ (સૌથી વધુ મહત્વ), ચંદ્રના અંશ (બીજા ક્રમે મહત્વ) અને સૂર્યના અંશ. આ ત્રણ બિંદુઓ ઝડપી હોઈ અતિમહત્વના છે. જયારે સૌથી ધીમા ગ્રહો જેમ કે, પ્લુટો, યુરેનસ, નેપ્ચ્યુન, શનિ અને ગુરુ આ બિંદુઓ પરથી પસાર થાય છે ત્યારે તમારા જીવનમાં ચોક્કસ મોટી ઘટના ઘટે છે.

 

શુભ મંગળ સાવધાન: કુંડળી મિલનની આ વાત ધ્યાને લેજો…

$
0
0

જેમ જેમ જમાનો આધુનિક થતો જાય છે તેમ તેમ લોકોની અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ પણ વધતી જાય છે. લગ્ન બાબતે સમાજનો અભિપ્રાય ખૂબ ઉપર જઈ રહ્યો છે, મોટેભાગે જાતકો પોતાની આવડત કે પ્રતિભાને ધ્યાનમાં લીધાં વગર જ સપનાનાં પાત્રને પરણવાની મોટી ઇચ્છાઓમાં વ્યસ્ત રહે છે અને છેલ્લે લગ્ન લંબાયા કરે છે, લગ્ન થતાં નથી અથવા છેલ્લે સમાધાન થાય છે. બેય પાત્રો જીવનની શરૂઆતે જ મતભેદ અને મનભેદમાં પડે છે અને પરિણામે પૈસા અને આબરૂ બંનેનું નુકસાન થાય છે.

મંગળએ કન્યાની કુંડળીમાં સૌભાગ્ય છે. કન્યાની કુંડળીમાં મંગળ ને ગુરુ, ચંદ્રદ્રષ્ટિ કરતાં હોય, તો લગ્ન જીવન ઉત્તમ ગણવામાં આવે છે. મંગળને શનિ, રાહુ કે કેતુ સાથે દ્રષ્ટિ-યુતિ સંબંધ હોય તો લગ્ન બાબતે ધીરજ રાખવી પડે છે. મંગળથી કેન્દ્રયોગે કે પ્રતિયુતિમાં શનિ, રાહુ કે કેતુ હોય તો પણ લગ્ન બાબતે ઉતાર ચઢાવ રહે છે. પુરુષ જાતકની કુંડળીમાં શુક્ર એ તેની પત્નીને રજૂ કરે છે, શુક્રને શનિ જુએ તો ઉત્તમ, પરંતુ સૂર્ય કે કેતુ સાથે શુક્રને તકલીફ રહે છે. શુક્રને કોઈ ગ્રહ કેન્દ્રયોગે કે પ્રતિયુતિથી જોતો હોય તો વિવાહ માટે શુભ રહેતું નથી.

ઘણાં સમય પહેલાં એક વિદ્વાન જ્યોતિષીનો સંગ થઇ ગયો હતો, તેમણે મારા મતે સેંકડો કુંડળીઓ જોઈ હશે. તેઓ કુંડળી જોતાં જ પાત્રના લગ્નજીવન વિષે આસાનીથી કહી દેતાં.જ્યોતિષની દ્રષ્ટિએ લગ્નએ મન, આત્મા અને શરીરનું મિલન છે. તેમના મતે બે કુંડળીઓનું મિલન કરવું હોય તો એક ગુરુચાવી છે,પરણનાર બેય પાત્રોના ગુણદોષ સમાન હોવા જોઈએ.

મેં જોયું છે કે લગ્ન મેળાપકમાં મોટા મોટા જ્યોતિષી થાપ ખાઈ જાય છે. કારણ કે, લગ્ન માટે નક્ષત્ર મિલન સિવાય કોઈ સુગમ પદ્ધતિ હજુ સુધી પ્રાચીન ગ્રંથોમાં મળતી નથી. લગ્ન બાબતે આ વિદ્વાન જ્યોતિષીની એક ગુરુચાવી હતી કે ગુણદોષ સમાન હોવા જોઈએ. મતલબ કે એક પાત્રની કુંડળીમાં જે ભાવ દોષયુક્ત હોય, ત્યારે તેની સાથે લગ્ન કરનાર બીજા પાત્રની કુંડળીમાં એ જ ભાવ દોષયુક્ત હોય તો દોષનું સમાધાન થયું કહેવાય.

ઘણીવાર કન્યા કે વરની કુંડળીમાં ખૂબ ખરાબ યોગ થયો હોય, જેમ કે કોઈ ક્ષ પાત્રને મંગળ-કેતુની યુતિ કે શનિ-સૂર્યની યુતિ હોય, તે સમયે તેમના લગ્ન બાબતે હંમેશા પ્રશ્નાર્થ રહે છે. આ સમયે જો સામેના પાત્ર ને મંગળ-કેતુની યુતિ કે શનિ-સૂર્યની યુતિ વાળા ભાવમાં જ જો શનિ, રાહુ કે કેતુ જેવા ગ્રહ હોય તો તેમનું મિલન આ દોષનું કુદરતી રીતે નિવારણ કરે છે.

તે જ રીતે બંને કુંડળીમાં ભાવથી ભાવનું મિલન વધુ જરૂરી છે, તેઓ રાશિને ઓછું મહત્વ આપતાં. તેમના મતે રાશિઓ ૩૦% અને ભાવ ૭૦% મહત્વના ગણવાં, તેવું તેમનું સૂચન હતું. તેમના મતે એક જાતકના જે ભાવમાં ચંદ્ર હશે તે જ ભાવમાં જો બીજા જાતકનો ગુરુ હશે તો આ ભાવજનિત બાબતોમાં એકબીજાના મિલનથી તેઓને અક્ષય સુખ મળે છે. જેમ કે, એક પાત્રને ચોથે ગુરુ છે બીજા પાત્રને ચોથે ચંદ્ર છે, તેઓ જો લગ્ન કરે છે તો કુંડળી મિલન અનુસાર તેઓને ચતુર્થભાવની બાબતો જેમ કે ઘર, વાહન વગેરેનું ખૂબ સુખ મળે છે.

લગ્ન ઈચ્છુક બંને પાત્રોના કુંડળી મિલન સમયે આ બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ કે એક પાત્રના દોષયુક્ત ભાવને લીધે બીજા પાત્રની કુંડળીમાં કોઈ શુભ ભાવ તો ખરાબ નથી થઇ રહ્યો ને? જો આમ હશે તો બંને કુંડળીઓ વિરુદ્ધ મતની કહેવાશે, બંનેના જીવનની દિશા અલગ જ હશે. શક્ય છે કે વિરુદ્ધ દોષ અને ગુણ બતાવતી કુંડળીનું મિલન કરવાથી સફળતા ન પણ મળે.

નક્ષત્ર પ્રમાણે કાર્યનું આયોજન સફળતા અપાવે

$
0
0

ક્ષત્રએ મુહૂર્તનો પ્રાણ છે, બીજાચાર અંગો સારા હોય (વાર, તિથી, યોગ, કરણ) પણ જો નક્ષત્ર શુભ ન હોય તો મુહુર્તનું મહત્વ રહેતું નથી. દરેક નક્ષત્રનો પોતાનો એક ગુણ છે, સ્વભાવ છે. તે ગુણ અનુરૂપ કાર્ય જો તે નક્ષત્રના દિવસે કરવામાં આવે તો કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. નક્ષત્ર શોધવું બિલકુલ સરળ કાર્ય છે, ચંદ્ર લગભગ એક દિવસ એક નક્ષત્રમાં રહે છે, ચંદ્ર જે દિવસે જે નક્ષત્રમાં હોય તે નક્ષત્ર તે દિવસનું નક્ષત્ર કહેવાશે. નક્ષત્ર એ ભારતીય જ્યોતિષની દુનિયાને ભેટ છે, પ્રાચીન જ્યોતિષ નક્ષત્રના આધારે જ ફલાદેશને મહત્વ આપતું હતું. રાશિઓનું જ્યોતિષમાં મહત્વ બાદમાં આવ્યું છે. મેં એક વિદ્વાનને વિશોત્તરી દશાઓની ગણતરી કરતાં જોયાં હતાં, તેમની ગણેલી દશાઓ અને આપણી આજની ગણતરીમાં ઘણો ફેર હતો. તેમના મતે વર્ષ ૩૬૦ દિવસનું જ લેવાનું હતું. આ રીતના બધાં ઘણાં રહસ્યો કાળક્રમે અજ્ઞાત થઇ ચૂક્યાં છે.

મુહુર્તશાસ્ત્ર અટપટો વિષય છે, મેં હંમેશા જોયું છે કે શુભ મુહુર્ત સચવાતું નથી. જયારે જાતક પાસે સમય હોય ત્યારે શુભ મુહુર્ત મળતું નથી. પ્રસંગ આવતાંની સાથે જ લોકો મુહુર્ત ભૂલી જાય છે. મુહુર્ત બાબતે અનેક લોકોને પ્રશ્નાર્થ રહે છે. મુહુર્તમાં પાંચ મહત્વના અંગ છે, વાર, તિથી, યોગ, કરણ અને નક્ષત્ર, પરંતુમુહુર્તના અતિ મહત્વના ત્રણ અંગ કહી શકાય. તે છે વાર, તિથી અને નક્ષત્ર.વાર, તિથી અને નક્ષત્ર પણ જો તમે સાચવી લો તો તમને શુભ મુહુર્તનો લાભ મળે છે. રિકતા સિવાયની તિથિઓ સામાન્ય શુભ કહેવાય છે, ગુરુવાર, શુક્રવાર અને સોમવાર શુભ વાર કહેવાય.

નક્ષત્ર: સ્થિર, ચર, સામાન્ય, મૃદુ, ક્રૂર કે ઉગ્ર, લઘુઅને તીક્ષ્ણ કે દારુણ ગુણવાળા હોય છે. ઉર્ધ્વ, તિર્યંચ અને અધોગામી તરીકે પણ નક્ષત્રને અલગ કરી શકાય. અંધ, કાણ, દેખતા અને મંદ તરીકે પણ નક્ષત્ર અલગ પડે છે.

સ્થિર નક્ષત્ર રોહિણી, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તર ભાદ્રપદમાં નવી નોકરીએ જોડાવાનું, ભવનનો પાયો નાખવાનું, લાંબી મુદતના કરાર કરવાનું કાર્ય કરી શકાય.

ચર નક્ષત્ર શ્રાવણ, સ્વાતિ, શતભિષા, ધનિષ્ઠા અને પુનર્વસુ, આ નક્ષત્રોમાં મુસાફરી, યંત્રચાલન, વાહન ખરીદી, સામાન હેરફેર વગેરે કાર્ય કરી શકાય.

ક્રૂર કે ઉગ્ર નક્ષત્ર એટલે ત્રણ પૂર્વ નક્ષત્ર, ભરણી અને મઘામાં ઉગ્ર કાર્યો જેવા કે, કોર્ટમાં વિવાદ માટે કેસ કરવો, શત્રુ પર આક્રમણ, જુના મકાનને તોડવાનું કાર્ય, તાંત્રિક કાર્ય વગેરે આ ઉગ્ર નક્ષત્રોમાં થઇ શકે.

લઘુ નક્ષત્ર એટલે કે અશ્વિની, પુષ્ય, હસ્ત અને અભિજિત, આ નક્ષત્રોમાં ખરીદ વેચાણ, સુખ ભોગ, મિલન મુલાકાત કે ટૂંકી મુસાફરીનું આયોજન થઇ શકે.

મૃગશીર્ષ, ચિત્રા, અનુરાધા અને રેવતી આ બધા મૃદુ નક્ષત્ર છે, મૃદુ નક્ષત્રોમાં મિત્ર સાથે મિલન, કવિતા લેખન, પ્રેમનો અનુભવ, પ્રિયજનની મુલાકાત વગેરે કાર્યો સિદ્ધ થાય છે.

મૂળ, જયેષ્ઠા, આશ્લેષા અને આર્દ્રા આ તીક્ષ્ણ નક્ષત્ર છે, આ નક્ષત્રોમાં વાદવિવાદ અને યુદ્ધ પરાક્રમ જેવા કાર્યો થાય છે, આ નક્ષત્ર શુભ કાર્યો માટે વર્જ્ય ગણી શકાય.

અંધ નક્ષત્ર,રોહિણી, પુષ્ય, ઉ.ફા., વિશાખા, પૂ.ષા., ધનિષ્ઠ અને રેવતીમાં અગર ચીજ ખોવાય કે ચોરી થાય તો તેને પાછાં મળવાની સંભાવના રહેતી નથી. દેખતાં નક્ષત્ર, પુનર્વસુ, પુ.ફા., સ્વાતિ, મૂળ, શ્રાવણ, ઉ.ભા., કૃતિકામાં અગર ચીજ ખોવાય કે ચોરી થાય તો તેને પાછા મળવાની સંભાવના ખૂબ વધુ રહે છે. જે દિવસે તમારી ચીજ વસ્તુ ખોવાય તે દિવસનું નક્ષત્ર જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે ચીજ પાછી મળશે કે નહીં.જે દિવસે તમારી ચીજ વસ્તુ ખોવાય તે દિવસનું નક્ષત્ર જોઇને તમે જે-તે નક્ષત્રની દિશા જાણીને તે દિશામાં શોધ કરવાથી ચીજ પાછી મળી શકશે.

તીક્ષ્ણ નક્ષત્રમાં જો કોઈ મનુષ્ય માંદો પડે તો તેનો રોગ ખૂબ વધે છે, જલદી સાજો નથી થતો. જો કોઈ અતિરોગી અને ઉંમરલાયક વ્યક્તિ તીક્ષ્ણ નક્ષત્રમાં અકસ્માત કે ઈજા અનુભવે તો તે મૃત્યુતુલ્ય બની જાય છે. જે તે કાર્ય સમયે તે દિવસનું નક્ષત્ર જોઇને તમે કાર્ય આરંભ કરશો તો મહેનત સાથે દૈવીય સહાય પણ ચોક્કસ મળશે.

અજાણ્યા રસ્તે સચોટ માર્ગદર્શક એટલે પ્રશ્નકુંડળીનું જ્યોતિષ

$
0
0

જ્યોતિષ એ કલ્પવૃક્ષ સમાન છે, જાણકાર માણસ આ શાસ્ત્રની મદદથી ધાર્યું કાર્ય સિદ્ધ કરી શકે છે. જ્યોતિષનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો, તે ખુબ મહત્વનું છે. જે પ્રશ્નનો જવાબ સામાન્ય બુદ્ધિ કે સામાન્ય નિયમો દ્વારા ન જાણી શકાય તે પ્રશ્નનો જવાબ જ્યોતિષની મદદથી મેળવી શકાય છે. ઘણીવાર પ્રશ્ન પૂછનાર ખુબ જટિલ પ્રશ્ન લઈને આવે છે, જેમ કે કોઈ ચીજ ખોવાઈ જવી, ઇન્ટરવ્યુ કેવો જશે? સફળતા મળશે? રોગમટશે કે નહિ? આ બધા પ્રશ્નોના જવાબ જાતકની જન્મકુંડળીમાંથી મળે તેવું જલ્દી અનુમાન કરી શકાતું નથી. કારણ કે, આ પ્રશ્નોના જવાબ હા કે નામાં આપવાના હોય છે.

જે પ્રશ્નો દિવસોમાં કે કલાકોમાં ઉકેલાવાના હોય તેનો જવાબ જાતકની જન્મકુંડળીમાંથી શોધવો થોડું કપરું કાર્ય છે. જન્મકુંડળી જોઇને દશાઓ અને ગ્રહોના ગોચર જોઇને જાતકના જીવનના મહત્વના વર્ષ અને સુખદુઃખનો એક સામાન્ય અંદાજ ચોક્કસ આવી જાય છે. પરંતુ,નાના પ્રશ્નો માટે જાતકની જન્મકુંડળી કરતા પ્રશ્નકુંડળી સચોટ પરિણામ આપી શકે છે.

દરેક ઘટનાનું ભવિષ્યનું સ્વરૂપ કેવું રહેશે, તે પ્રશ્નકુંડળી દ્વારા જાણી શકાય છે. દરેક મનુષ્યનો જન્મ પણ એક પ્રશ્ન જ છે, મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું ભાગ્ય શું છે? અને તેનું જીવન કેવી રીતે આકાર લેશે તે જાણવા આપણે જે પ્રશ્નકુંડળી મુકીએ છે તે જન્મકુંડળી બની જાય છે.

પ્રશ્નકુંડળી જોવા માટે તમારે વધુ નિયમો જાણવાની જરૂર નથી,પ્રશ્નકુંડળીને જન્મકુંડળીના સામાન્ય નિયમો વડે પણ જોઈ શકાય છે.

પ્રશ્ન કઈ બાબતને રજુ કરે છે, તે સૌ પ્રથમ ધ્યાનમાં લેવું (જેને આપણે કાર્યભાવ કહીશું), જેમ કે પ્રશ્ન મકાન અંગેનો હોય તો ચતુર્થ ભાવ ધ્યાને લેવો, નોકરી બાબતે હોય તો કર્મભાવને ધ્યાનમાં લેવો. કોઈ પણ પ્રશ્નકુંડળીમાં પ્રથમ ભાવ એટલે કે લગ્નભાવનો માલિક કયો ગ્રહ બને છે, તે કઈ સ્થિતિમાં છે તે સૌથી મહત્વનું છે. બીજા ક્રમે ચંદ્રને મહત્વ આપવું, ચંદ્ર કયા ભાવ સાથે જોડાયેલ છે? તેની પર કયાગ્રહોની દ્રષ્ટિ છે? તે જોવું. લગ્નેશ શુભ સ્થતિમાં હોય, લગ્નેશ અને કાર્યભાવના માલિક ગ્રહો વચ્ચે જો દ્રષ્ટિ, યુતિ કે સ્થાન પરિવર્તન જેવા યોગ હોય તો કાર્ય સફળ થવાની સંભાવના વધુ રહે છે, જો લગ્નેશ અને કાર્યેશ વચ્ચે કોઈ સંબંધ ના થતો હોય તો કાર્ય સફળતા બાબતે ચંદ્રને ધ્યાને લેવો. ચંદ્ર અને કાર્યેશ વચ્ચે જો સંબંધ હોય, દ્રષ્ટિ, યુતિ કે સ્થાન પરિવર્તન જેવા યોગ હોય તો પણ કાર્ય સફળ થાય છે. તેનાથી વિપરીત જો ૬,૮,૧૨ સ્થાનના માલિક ગ્રહો કાર્ય સ્થાનને જોતા હોય અથવા કાર્યસ્થાનમાં હોય તો કાર્યસ્થાનના ફળનો નાશ કરે છે, અને કાર્ય સફળ થતું નથી.૬,૮,૧૨ સ્થાનનામાલિક ગ્રહો જયારે મંગળ, શનિ કે સૂર્ય થાય છે ત્યારે તેઓ કાર્ય સ્થાનને જોતા હોય અથવા કાર્યસ્થાનમાં હોય તો કાર્યસ્થાનના ફળનો અચૂકનાશ કરે છે, અને કાર્ય સિદ્ધ થતું નથી.

કાર્યેશ શનિ હોય તો વિલંબથી કાર્ય થશે, ગુરુ હોય તો દૈવીકૃપાથી કાર્ય થશે, શુક્ર હોય તો ધનલાભ થશે, ચંદ્ર હોય તો કાર્યત્વરિત થશે, મંગળહોય તો કાર્ય ઉદ્યમથી સિદ્ધ થશે, બુધ હશે તો કાર્ય ઘણા ઓછા પ્રયત્ને સિદ્ધ થશે, સૂર્ય હશે તો કાર્ય મોટી વગદાર વ્યક્તિ દ્વારા અને થોડા સમયમાં સિદ્ધ થશે.

પ્રશ્નકુંડળી જોવા માટે પ્રશ્ન જયારે, જ્યાં પૂછાયો હોય તે સમય અને સ્થળ નોંધી લેવા તે મુજબ સમય અને સ્થળ લઈને પ્રશ્નકુંડળી બાદમાં પણ જોઈ શકાય છે. પ્રશ્નકુંડળી જોતા સમયે તમારે આસપાસની સ્થિતિ અને કુદરતી સંકેતોને પણ ધ્યાને લેવા જોઈએ, કોઈ પ્રશ્નકુંડળી જોતા સમયે જો શુભ ઘટના ઘટે અથવા શુભ ચીજોના દર્શન થાય તો એ પ્રશ્નનો જવાબ કુદરતી રીતે હકાર અથવા સફળતા જ રહેશે.

 

કેવા ગ્રહો સિનેમાજગતમાં સફળતા આપી ચૂક્યાં છે?

$
0
0

જ્યોતિષના સામાન્ય નિયમો અને સર્વમાન્ય સિદ્ધાંતો જોઈએ તો સિનેમામાં સફળતા માટે કળાના ગ્રહ શુક્રના આશીર્વાદ હોય તો સિનેમામાં સફળતા મળવાની તકો વધી જાય છે. બુધએ જાતકને વાક્શક્તિ અને ચતુરાઈ આપે છે જે નાટ્યક્ષેત્ર માટે ખુબ જરૂરી છે. ગુરુગ્રહ બળવાન હોય તો ગુરુદેવની કૃપા મળે અને જાતકને થોડા પ્રયત્ને પણ કળા હસ્તગત થાય. મંગળએ શક્તિ, દેહ સૌષ્ઠવ અને કૌશલ્ય બતાવે છે, મંગળમાં ત્વરા છે, ઉત્સાહ છે, માટે મંગળ પણ યોગકારક હોવો સિનેમામાં ઝળકવા માટે જરૂરી રહેશે.

આમ ઉપર મુજબ સિનેમા જગત કે રૂપેરી પડદે સફળ થવા માટે ઘણા બધા ગ્રહો યોગકારક બનવા જોઈએ. એક રસપ્રદ સંશોધનમાં સિનેમાના પ્રખ્યાત કલાકારોની આશરે ૫૫ જન્મકુંડળીઓ મુકવામાં આવી. આ બધાં કલાકારો સિનેમામાં સફળ અને મધ્યમ સફળ છે, પરંતુ તેઓ સિનેમા સાથે સંકળાયેલ છે અને તેઓએ તેના દ્વારા આજીવિકા પણ પ્રાપ્ત કરી છે, માટે આ કુંડળીઓનો અભ્યાસ કરવો રસપ્રદ રહ્યો. નીચેના બધા તારણ સિનેમા જગતના કલાકારોની કુંડળીઓના આધારે છે. આ ફક્ત સંશોધન દરમિયાન મળેલ તારણ અને અનુભવ માત્ર છે.

ઉદિત લગ્ન: અભ્યાસમાં ઉદિત લગ્ન પર કોઈ એક નિશ્ચિત તારણ નથી આપતું, પરંતુ તુલા, સિંહ, ધન અને મકર લગ્ન વધુ જોવા મળ્યા છે. સૌથી ઓછા મેષ, મીન અને કર્ક જોવા મળ્યા છે.

શુક્ર: મોટાભાગના કલાકારોને શુક્ર તુલા અથવા મેષ રાશિમાં જોવા મળ્યો હતો. શુક્ર, કર્ક અને કુંભમાં સૌથી ઓછો જોવા મળે છે.

શનિ: ધન, તુલા, કર્ક અને વૃશ્ચિકમાં શનિ વધુ જોવા મળ્યો. શનિ સૌથી વધુ ધન રાશિમાં જોવા મળે છે. મેષ, મિથુનમાં શનિ ઓછો જોવા મળે છે.

રાહુ: રાહુ મોટેભાગે ધન અથવા મેષ રાશિમાં જોવા મળે છે, મિથુન, કર્ક અને સિંહમાં પણ રાહુ વધુ જોવા મળે છે. કેતુ, મિથુન કે તુલા રાશિમાં વધુ જોવા મળે છે.

ગુરુ: ગુરુ સૌથી વધુ ધન અને સિંહ રાશિમાં જોવા મળ્યો છે, કુંભનો ગુરુ અલ્પ કુંડળીમાં જોવા મળે છે.

બુધ: તુલાનો બુધ સૌથી વધુ જોવા મળે છે, બુધ, મકર કે મિથુનમાં અલ્પ જોવા મળે છે.

કન્યા, સિંહ કે વૃશ્ચિકનો મંગળ વધુ જોવા મળે છે, મકર કે કુંભનો મંગળ અલ્પ જોવા મળે છે.

કુંભ અને કન્યા રાશિમાં ચંદ્ર વધુ જોવા મળે છે. કન્યા, વૃશ્ચિક અને કર્ક રાશિનો સૂર્ય વધુ જોવા મળે છે.

 

મંગળ અને ગુરુ, શનિ ઉપર દ્રષ્ટિ કરતા હોય તેવા યોગ ખુબ વધુ જોવા મળે છે. શનિ, રાહુ અને ગુરુ, શુક્ર પર દ્રષ્ટિ કરતા હોય તેવું લગભગ વધુ જોવા મળે છે. શનિની ગુરુ પર દ્રષ્ટિ હોય તેવું સૌથી વધુ જોવા મળ્યું હતું લગભગ ૩૩% કુંડળીઓમાં શનિની ગુરુ પર દ્રષ્ટિ જોવા મળી હતી. મંગળ ઉપર રાહુની દ્રષ્ટિ (૫,૯) પણ જોવા મળતી હતી. ચંદ્ર પર સૌથી વધુ શનિ, ગુરુ અને મંગળની દ્રષ્ટિ જોવા મળી. સરપ્રાઈઝ હતું કે શનિ ચંદ્રને જુએ તે સૌથી વધુ વાર બન્યું હતું, આ યોગ વધુવાર જોવા મળ્યો હતો.

શનિ સૌથી વધુ બુધ અને શુક્ર સાથે યુતિમાં જોવા મળે છે. ગુરુ, બુધ સાથે યુત હોય તેવું ઘણી વાર જોવા મળે છે.

શુક્ર ૯, ૧, ૫ અને ૧૨માં સ્થાને વધુ જોવા મળે છે. (ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી વધુ ૯માં ભાવે જોવા મળે છે, નીચે દરેક ઉદાહરણમાં આ પ્રમાણે છે)શનિ ૭,૩,૪ ભાવમાં જોવા મળે છે. ૮મા ભાવે ભાગ્યે જ જોવા મળે છે. રાહુ ૯,૧૦ અને ૧૧માં ભાવે જોવા મળે છે. સૂર્ય ૧,૮,૧૦માં ભાવે જોવા મળે છે, ૯માં ભાવે જલદી જોવા નથી મળતો. ચંદ્ર ૨ અને ૯માં ભાવે વધુ જોવા મળે છે, ચંદ્ર ૧૧ કે ૧૨માં ભાવે યોગ નથી આપતો તેવું જણાય છે. બુધ ૩ અને ૧૧માં ભાવે વધુ જોવા મળે છે, ૪ ભાવે બુધ નથી જોવા મળતો. ગુરુ મોટેભાગે પ્રથમ ભાવે કે ચોથે કે છઠે ભાવે જોવા મળે છે.

ધનપ્રાપ્તિના સૂચક ગ્રહો: અતિધન, વૈભવ, સમૃદ્ધિ…

$
0
0

નુષ્યની જીવનશૈલી સમય સાથે આધુનિક બની રહી છે, આધુનિકતા સાથે મનુષ્યને અનેક સગવડો અને આરામ પણ પ્રાપ્ત થયા છે. મનુષ્ય હવે ભાવનાત્મક તકલીફો કે માનસિક આવેગોમાંથી બહાર આવીને પુરુષાર્થ તરફ ચાલી રહ્યો છે. આજે દરેક મનુષ્યને સૌથી વધુ જરૂર હોય તેવી કોઈ એક ચીજ કહીએ તો તે ‘ધન’ એટલેકે આર્થિક સમૃદ્ધિ જ હશે. તબિયત અને માનપાન પણ જાણે આર્થિક સમૃદ્ધિની આસપાસ આવી ચૂક્યાં છે, ધન હોય તો જ દવા થાય તેવા દિવસ પણ આજે આપણે જોઈ રહ્યા છીએ.

ધન વૈભવી અનેક કુંડળીઓ જોઈ છે, જ્યોતિષના ગ્રંથો મુજબ લખેલા ધનયોગ આજના જમાનામાં સીધા બંધ બેસે તેવું જરૂરી નથી. સામે પક્ષે દેશનું અર્થતંત્ર અને સામાજિક-આર્થિક નીતિઓ પણ જોવી પડે છે, તો જ કોઈ જાતકની આર્થિક ઉજ્જવળતાનું ભવિષ્ય જોઈ શકાય છે. દ્વિતીય ભાવનો માલિક બળવાન હોય છતાં ધન વૈભવ સામાન્ય હોય તેવું પણ બને છે. અસલમાં બીજું સ્થાનએ પૈતૃક સંપતિ અને સંચિત ધનનું સ્થાન છે. દ્વિતીય ભાવ વડે મનુષ્યના કુટુંબની સ્થિતિનો અંદાજ ચોક્કસ રીતે આવી જાય છે. મનુષ્ય પોતાના પુરુષાર્થ વડે ધન કમાય છે તે જોવા માટે લાભ ભાવ અને છઠો ભાવ વગેરે ઉપચય ભાવ ખુબ જ મહત્વના છે. ઉપચયના માલિક ગ્રહો (૩,૬,૧૦,૧૧) બળવાન હોય તો ધનપ્રાપ્તિ વધુ થઇ શકે, પરંતુ તેની સાથે જ શરીર સુખ અલ્પ અથવા શારીરિક વ્યાધિઓ વધુ હોય તેવું પણ બની શકે.

ધન સમૃદ્ધિ વધુ હોવા માટે મનુષ્યનું ‘મન’ સંકલ્પબદ્ધ રહે તે જરૂરી છે, અનેક કુંડળીઓમાં જ્યાં ચંદ્ર બળવાન છે તે જાતકો જીવનમાં ખુબ જલ્દી સમજણ હાંસલ કરે છે અને આર્થિક સમૃદ્ધિ તરફ જલ્દી પ્રયાણ કરે છે. ચંદ્રની સાથે સૂર્ય,ગુરુ કે મંગળનો દ્રષ્ટિ, યુતિ સંબંધ હોય તો ચંદ્ર બળવાન બને છે, અને આર્થિક સમૃદ્ધિના યોગ બને છે. વૃષભ, મીન અને કર્ક રાશિના જાતકો તથા પુનમ, પાંચમ, દસમ અને અમાસે પણ જન્મેલા જાતકો આર્થિક રીતે સમૃદ્ધ હોઈ શકે છે. પૂનમ પર જન્મેલા અને વૃષભ રાશિના જાતકો આર્થિક રીતે સુખી હોય છે તેવું અત્યાર સુધીના અનુભવના આધારે કહી શકાય. જે જાતકોને ચંદ્ર દુષિત હોય અથવા ચંદ્ર નિર્બળ બન્યો હોય સ્થાન કે રાશિના લીધે તેમણે જીવનમાં આર્થિક તકલીફો નિવારવા માટે ચંદ્રના ઉપાય જેવા કે, મહાદેવની ઉપાસના, ચંદ્રનુંમોતી ધારણ કરવું વગેરે કરવા ખુબ જરૂરી છે.

જયારે આપણે ઓછા પ્રયત્ને પણ અતિધન-વૈભવ જોઈએ છીએ, ત્યારે એક યોગ મને યાદ આવે છે, તે છે, પંચમેશ બળવાન! કોઈ પણ કુંડળીમાં જો પંચમેશ બળવાન હશે તો પૂર્વપુણ્ય કહો કે સંચિત કર્મ કહો, ધન મળવાની સંભાવનાઓ ખુબ વધુ હોય છે. આવી અનેક કુંડળીઓ છે જેમાં પંચમેશ સ્વગૃહી હોય અથવા પંચમેશ શુભ સ્થાનોમાં મિત્ર ગ્રહની રાશિમાં હોય. જો પંચમેશ પાપગ્રહ (શનિ, મંગળ) હોય તો ૬,૮ સ્થાનમાં પણ ખુબ સારું ફળ આપે છે.પંચમેશની દશા-અંતર્દશામાં અચાનક આવક વધી જાય છે, પાપગ્રહ (શનિ, મંગળ) પંચમેશ બનતો હોય તો ઘણીવાર ખોટા રસ્તે પણ ધનપ્રાપ્તિ થતી હોય તેવું જોવા મળે છે.

અનુભવે પંચમેશ અને નવમેશ, બંનેમાં પંચમેશ આર્થિક બાબતો માટે જલ્દી ફળ આપે છે, તેનું કારણ પંચમેશ તેની સામે રહેલા લાભભાવ પર પોતાની દ્રષ્ટિને લીધે આમ આર્થિક બાબતોમાં અનેક ગણું ફળ આપતો હશે તેવું કહી શકાય. પંચમેશ શુભગ્રહ (ગુરુ, શુક્ર, ચંદ્ર) બનતો હોય તો પાંચમાં સ્થાનમાં કે કેન્દ્રના સ્થાનોમાં હોવો જોઈએ તોતે ખુબ યોગકારક બની જાય છે. પંચમેશ સંતાન પ્રાપ્તિ માટે મહત્વનો ગ્રહ છે, પણ ધન સાથે તેનો સંબંધ ‘પૂર્વપુણ્ય’ના લીધે છે. ભાગ્યશાળી, સંસ્કારી સંતાનો પણ તેમના માં-બાપની સાચી સંપતિ જેવા જ કહીએ તો ખોટું નથી. સંપતિની જરૂર મનુષ્યને ડગલે ને પગલે પડે જ છે, પણ વૃદ્ધાવસ્થાએ સંપતિ હોય તો જ કોઈ આપણો બોલ ઝીલે કે હાથ ઝાલે તે પણ હવે સત્ય છે, વૃદ્ધાવસ્થાએ સંસ્કારી સંતાનો જ સાચી સંપતિ જેવા બની જાય છે.

વિચાર પુષ્પ: આધુનિક યુગનું સત્ય, પૈસામાં બધું નથી પણ બધામાં પૈસાની જરૂર હોય છે.


આધુનિક જ્યોતિષનો સિતારો: કે.પી.એસ્ટ્રોલોજી

$
0
0

જેમ વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે, તેમ જ્યોતિષ પણ પ્રગતિ કરી રહ્યું છે. ગઈકાલ સુધી અઘરી ગણાતી દશા પદ્ધતિઓની ગણતરી, આજે ક્ષણોમાં કમ્પ્યુટર ગણી આપે છે. તેની સાથે જ જન્મ સમય સુક્ષ્મ રીતે સચોટ મળે છે અને જગ્યાના અક્ષાંશ રેખાંશ પણ એકદમ સચોટ પ્રાપ્ત થાય છે. આ બધાની મદદથી આજે જ્યોતિષની ગણતરી ખુબ સરળ અને સચોટ બની ગઈ છે. જ્યોતિષીઓમાં પણ મોટા બે વર્ગ પડે છે, એક વર્ગ પ્રાચીન સિદ્ધાંતોને જ સર્વોપરી ગણે છે, તેઓ તેમાં કોઈ ક્ષતિ કે સંશોધન, દોહન નથી જોવા માંગતા. બીજો વર્ગ ‘આધુનિક’ વર્ગ છે, આધુનિક જ્યોતિષીઓ જ્યોતિષમાં અનેક સંશોધન અને નવીનતાને આવકારવા માંગે છે, તેઓ યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટોને પણ જ્યોતિષમાં સ્થાન આપવા માંગે છે. જ્યોતિષીઓનાબંને વર્ગ પોતપોતાની જગ્યાએ બરાબર છે.

જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજી દ્વારા પ્રકાશમાં લવાયેલ અને સંશોધન દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ કે પી એસ્ટ્રોલોજી આજે જ્યોતિષની દુનિયામાં પોતાની આગવી ઓળખ સાબિત કરી ચુક્યું છે. કાળક્રમે આ પદ્ધતિની પાછળ પણ સતત સંશોધન થતું રહ્યું છે. મૂળજ્યોતિષમાં ગ્રહોના રાશિના આધિપત્ય દ્વારા ફલિત કહેવામાં આવે છે, ગ્રહ એક જ ભાવમાં ગમે ત્યાં હોય પરંતુ તેનું ફળ તે ભાવની રાશિના અનુસાર હોય છે. કે પી એસ્ટ્રોલોજીમાં અત્યંત સુક્ષ્મ રીતે ગ્રહનું આકલન કરવામાં આવે છે. દરેક ભાવનું પૃથક્કરણ પણ પ્લેસીડીયસ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જે અત્યંત વૈજ્ઞાનિક અને આધુનિક છે.

પશ્ચિમના જ્યોતિષના ઉત્તમ સિદ્ધાંત અને વેદિક જ્યોતિષના પણ સચોટ સિદ્ધાંતોના તાલમેલ સાથે જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજીએ તેમની પદ્ધતિનો વિકાસ કર્યો હતો. પશ્ચિમના જ્યોતિષ અનુસાર ભાવનો ક્સ્પ ખુબ મહત્વનો છે, આ ક્સ્પ દ્વારા જ જે તે ભાવનું ફલિત કહી શકાય તેમ છે. જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજીએ ભાવના કસ્પ દ્વારા જ ફલિત કહ્યું છે. અનેક સંશોધનના પરિણામે તેમની જ્યોતિષ પદ્ધતિ દ્વારા આજે અનેક જ્યોતિષીઓ જ્યોતિષની સચોટતાનો અનુભવ કરી ચુક્યા છે.

લગભગ બધા જ્યોતિષમિત્રો જાણે છે કે જ્યોતિષમાં પણ બે મોટા સમૂહ છે, ભારતનીઉત્તરે જ્યોતિષમાં રાશિનો ઉપયોગ અને વિકાસ વધુ છે. જયારે દક્ષિણે નક્ષત્ર પદ્ધતિનો વિકાસ વધુ છે. દક્ષિણના જ્યોતિષીઓ નક્ષત્ર વગર જ્યોતિષ નથી જોતા. જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજીએ નક્ષત્રના સચોટ ઉપયોગ દ્વારા આશ્ચર્ય પમાડે તેટલી હદે સચોટ ભવિષ્યવાણીઓ કરી હતી.

કોઈ પણ ગ્રહનું ફળ તેના નક્ષત્રપતિ ગ્રહના ફળ પર જ અવલંબે છે. જેમ કે, કર્ક લગ્નની કુંડળીમાં જો ચંદ્ર શનિના નક્ષત્રમાં હોય તો ચંદ્રનું ફળ તેની દશા અંતર દશાઓમાં શુભ મળતું નથી. કર્ક લગ્નની કુંડળીમાં જો ચંદ્ર મંગળના નક્ષત્રમાં હોય તો ચંદ્રની દશા અંતરદશાઓમાં ચંદ્રનું ફળ ઉત્તમ મળે છે. નક્ષત્ર પદ્ધતિ વડે અત્યંત સૂક્ષ્મતાથી સચોટ રીતે ગ્રહોનું ફળકથન થઇ શકે છે.

જ્યોતિષ માર્તંડ કે. એસ. કૃષ્ણમૂર્તિજીએ સતત સંશોધન દ્વારા જોયું કે નક્ષત્રને પણ જો આગળ ઉપ-નક્ષત્રમાં વહેંચવામાં આવે તો પરિણામ આશ્ચર્યજનક રીતે સચોટ મળે છે. તેઓએ પોતાના આ સંશોધનને ‘સબલોર્ડ’ થીયરી નામ આપ્યું, આ પદ્ધતિને કે.પી.એસ્ટ્રોલોજી તરીકે પ્રચારમાં લાવીને અનેક જ્યોતિષીઓનું માર્ગદર્શન કર્યું. કે.પી.એસ્ટ્રોલોજીનો ઉપયોગ આજે અનેક લોકોગુપ્ત રીતે પણ વ્યવસાય, મેડીકલ વગેરે ક્ષેત્રોમાં કરી રહ્યા છે.

જ્યોતિષનો ઉપયોગ સચોટ ફળકથનમાં વધુ છે, ‘સાચું’ પડે તો જ જ્યોતિષ એ પણ માનવું પડે. કે.પી.એસ્ટ્રોલોજી દ્વારા અનેક જ્યોતિષીઓ સંશોધન તરફ વળી રહ્યા છે, જેની જ્યોતિષમાં ખુબ જ જરૂર છે. જ્યોતિષએ અવલોકનનો વિષય છે. મનમોકળું રાખીને સતત અભ્યાસ કરવો ખુબ જરૂરી છે, તો જ સત્યની નજીક પહોંચી શકાય તેમ છે.

જન્મજન્માંતરનું લેખાજોખું એટલે વિશોત્તરી દશાઓ, ગ્રહોના નૈસર્ગિક ગુણ…

$
0
0

નુષ્યનું જીવન જન્મ દર જન્મ ચાલતું રહે છે, તેની લેણદેણ કદી બંધ થતી નથી. એક જન્મે કરેલાં પાપ અને ચોરી બીજા જન્મે પણ સજા રૂપે ભોગવવા પડે છે. એક જન્મે કોઈને જૂઠું બોલીને જો સજા અપાવી હોય તો બીજા જન્મે જીભની તકલીફ કે બોલવાની તકલીફ આવે છે. એક જન્મે સ્ત્રીને હેરાન કરી હોય તો બીજા જન્મે લગ્ન થતાં નથી એટલે કે આ કર્મ આડે આવીને ઉભું રહે છે.

પુનર્જન્મ કે મોક્ષ:

જ્યોતિષમાં કર્મના સિદ્ધાંતનો સ્વીકાર થયો છે, ગુરુજનો મુજબ દરેક માનવીને ત્રણ જન્મ મળી શકે, તેનો જન્મ અને તેનો કયો ભવ ચાલે છે, તે તેની જન્મ રાશિ અને તિથિના આધારે જાણી શકાય છે. પૂનમ, અમાસ, પાંચમ, દસમમાં જન્મેલ બાળકનો બીજો ભવ થવાની સંભાવનાઓ ખૂબ ઓછી હોય છે. જો તેઓ જીવનભર પરોપકારમાં લાગેલાં રહે તો તેમનો મોક્ષ થઇ શકે છે. કર્મોની ગતિના આધારે જ કુંડળીમાં મહાદશાઓ-અંતર દશાઓ જેવા રહસ્યને સમાવી લેવાયું છે.

કોઈ પણ જન્મકુંડળીમાં ગમે તેટલા સારા યોગ હોય પરંતુ તે કુંડળી મુજબ જે મહાદશા અને અંતરદશા ચાલી રહી છે, તે તેનું ભવિષ્ય નક્કી કરે છે. ઘણીવાર આપણે ખૂબ બળવાન કુંડળી જોઇને ખુશ થઈએ છીએ, અને સારા પરિણામોની આશા રાખીએ છીએ. પરંતુ પરિણામ બિલકુલ ભિન્ન હોય છે. તેનું મુખ્ય કારણ દશાઓ છે.વિશોત્તરી, અષ્ટોત્તરી, કાળચક્ર, યોગીની, ત્રિભંગી વિશોત્તરી દશાઓ દ્વારા અચૂક ફળકથન કરી શકાય છે. વિશોત્તરી અને કાળચક્ર દશાઓ અનુભવે બિલકુલ સચોટ લાગે છે.અષ્ટોત્તરી દશાઓનું ફળકથન હવે પુસ્તકોમાં પણ મળતું નથી, પરિણામે વિશોત્તરી અને કાળચક્ર દશાઓ ચલણમાં રહી છે.

ગ્રહોના નૈસર્ગિક ગુણોનું મહત્વ:    

એક ગ્રહની મહાદશામાં તે જ ગ્રહની અંતરદશા વધુ પ્રભાવી નથી, પરંતુ તેના મિત્ર ગ્રહની અંતરદશા આવે તો જ મહાદશાનાથ ગ્રહ તેનું શુભ પરિણામ આપે છે. જૂના ગણિત પ્રમાણે નૈસર્ગિક શુભ-અશુભ રીતે કુંડળીને જોવી તેનાથી ફળકથન વધુ સચોટ બની જાય છે. મંગળ, શનિ, રાહુ, કેતુને અશુભ ગણવા. ગુરુ, શુક્ર, ચંદ્રને શુભ ગણવા. મંગળ શનિ કોઈપણ કુંડળીમાં જે ભાવને જોતાં હશે ત્યાં નુકસાન કરશે જ તેમાં શંકા કરવા જેવું કઈ નથી. ગ્રહ કોઈપણ ભાવનો સ્વામી હોય પરંતુ નૈસર્ગિક ગુણ તેનો પ્રભાવ અચૂક રીતે આપે છે માટે જ નીચે આપેલ ફળકથનનો તમે જાતે પણ અનુભવ કરશો તો તે બિલકુલ સત્યની નજીક છે. પુષ્ય પક્ષ અયનાંશ દ્વારા કાઢેલી દશાઓ પણ અચૂક રીતે સચોટ રહે છે. જિજ્ઞાસુ જ્યોતિષીઓ આ પ્રયોગ કરી શકે.

અતિશુભ મહાદશા-અંતરદશાઓ:

સૂર્ય મહાદશામાં ગુરુની અંતરદશા, અથવા ગુરુની મહાદશામાં સૂર્યની અંતરદશા: મનુષ્યનું સમ્માન અને આબરૂ વધે તેવા પ્રસંગો થાય છે, કાર્યમાં પ્રગતિ, આવકમાં વધારો અને સંતાન પ્રાપ્તિ પણ થાય છે.

ચંદ્રની મહાદશામાં ગુરુની અંતરદશા અથવા ગુરુની મહાદશામાં ચંદ્રની અંતરદશા, યાત્રા-પ્રવાસ, વ્યાપારથી લાભ થાય છે, તબિયત સુધરે છે, સ્ત્રી વર્ગથી લાભ, માતા અને મકાનથી લાભ થાય છે.

મંગળની મહાદશામાં ગુરુની અંતરદશા અથવા ગુરુની મહાદશામાં મંગળની અંતરદશા, શારીરિક ઉત્સાહ અને મહેનત વડે કાર્યમાં પ્રગતિ હાંસલ થાય છે. નોકરી, વ્યવસાયમાં પ્રગતિ થાય છે. ધન અને આયુષ્ય બાબતે શુભ નીવડે છે.

અતિઅશુભ મહાદશા-અંતરદશાઓ:

મંગળની મહાદશામાં બુધની અંતરદશા અથવા બુધની મહાદશામાં મંગળની અંતરદશા, અનુભવે જોયું છે કે આ બંને ગ્રહો એકબીજાના અધિશત્રુ હોઈ, આ દશાઓમાં ભલભલાની પડતીના સમાચાર મળે છે. ચારે તરફ કષ્ટ અને વિઘ્ન આવે છે. જો આ દશા અભ્યાસના સમયે આવે તો નિશ્ચિત રીતે અભ્યાસમાં મોટું વિઘ્ન આવીને ઉભું રહે છે.

સૂર્યની મહાદશામાં શનિની અંતરદશા અથવા શનિની મહાદશામાં સૂર્યની અંતરદશા, સૂર્ય, શનિ જ્યાં બેઠાં હોય તે ભાવને ચોક્કસ નુકસાન કરે છે. નોકરીમાં અચાનક તકલીફ આવી જાય છે, કોર્ટ કચેરીના ચક્કર હોય તો આ સમય દરમિયાન અતિનુકસાન ભોગવવું પડે છે. માનસિક હતાશા અને શારીરિક વ્યાધિઓ પણ આવે છે. આજ પ્રમાણે ચંદ્રમાં શનિ કે શનિમાં ચંદ્રની દશા અંતરદશા આવે ત્યારે પણ જાતક પર ભય તોળાતો રહે છે, ચંદ્રમાં શનિ કે શનિમાં ચંદ્રની દશા અંતરદશામાં યાત્રા, મકાન, વાહન અને માતૃ પક્ષે નુકસાન થાય છે.

સૂર્યની મહાદશામાં રાહુની અંતરદશા અથવા રાહુની મહાદશામાં સૂર્યની અંતરદશા, આ દશા પણ પાર કરવી મુશ્કેલ હોય છે, સૂર્યમાં રાહુની અંતરદશા આવે ત્યારે જાતકની તબિયત બગડે તો જીવલેણ સાબિત થાય છે. એક નાની ભૂલ પણ તેની સાથે મોટી તકલીફો ખેંચી લાવે છે.

આધ્યાત્મિક યોગીઓની જન્મકુંડળી: ચંદ્ર, કેતુ અને શનિનું પ્રદાન

$
0
0

ન્મકુંડળીમાં નવમ ભાવ જાતકના આધ્યાત્મિક જીવન વિષે સૂચન કરે છે. નવમ ભાવએ જાતકના ઉચ્ચ અભ્યાસ સાથે પણ જોડાયેલ છે. નવમાં ભાવનો માલિક ગ્રહ અને નવમે ભાવે આવતી રાશિ અનુસાર જાતકના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે. ગુરુ, કેતુ, ચંદ્ર અને શનિથી બનતા યોગો આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ હોય છે. આધ્યાત્મિક જીવન અને આત્મા, પરમાત્માના મિલન માટે સૌથી વધુ ગુરુ અને કેતુ પ્રબળ ફળદાયી ગ્રહો કહી શકાય. યોગ અને ધર્મપાલન માટે શનિ અને ચંદ્રના સંબંધ જવાબદાર ગણી શકાય.

ગુરુ જાતકના જીવને બળ આપે છે, જીવની ગતિ ગુરુના આશીર્વાદની આભારી છે, કેતુ વિરક્તિ આપે છે, ત્યાગ આપે છે, જાતકને આંતરિક જીવનમાં ડોકિયું કરવાનો અને રસ લેવાનો અવસર કેતુ આપે છે. કેતુ બળવાન હોય ત્યારે અહમ શૂન્ય બની જાય છે, અહમ શૂન્ય થતાં જ જીવ આધ્યાત્મની કેડીએ ચાલવા લાગે છે. ચંદ્ર એ મન છે, આધ્યાત્મના રસ્તે મન એ મોટી આડખીલી છે, ચંદ્રનો પરાભવ શનિ આસાનીથી કરી શકે છે, મનરૂપી શત્રુને જયારે શનિની દ્રષ્ટિ કે યુતિ મળે છે, તો ચંદ્રનું બળ શૂન્ય થાય છે અર્થાત મન સ્થિર થઇ જાય છે. મન સ્થિર થતાં જ યોગ, ધ્યાન અને ઉપાસના શક્ય બને છે. ચંદ્ર અને શનિની યુતિને ઘણીવાર વિષયોગ કહે છે, પરંતુ ચંદ્ર અને શનિની યુતિ તો આધ્યાત્મની સીડી છે. આત્માને ઓળખવાનો યોગ એ ચંદ્ર અને શનિની યુતિ કહી શકાય.

ચંદ્રએ દુન્યવી સુખો અને વિષયોમાં રસ વધારનાર છે, આ વાત અગાઉના લેખમાં લખી ચૂક્યો છું. અનુભવે જોયું છે કે બળવાન ચંદ્ર મનુષ્યને આર્થિક પ્રગતિ પણ આપે છે. માટે તેનાથી ઉલટું દૂષિત ચંદ્ર મનુષ્યને વિરક્તિ આપે છે, જે આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી છે. કેતુ જે ગ્રહ સાથે યોગ, દ્રષ્ટ હશે, તે મુજબ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જાણી શકાય છે. શનિ, કેતુ સાથે હોય તો કર્મયોગે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, કર્મમાં સુખની જગ્યાએ વિરક્તિ પેદા થાય છે, ઘણીવાર જાતક માત્ર સેવાના રસ્તે જ ચાલવા લાગે છે. શુક્ર સાથે કેતુ હશે તો માતૃભક્તિ અને માતાજીની ભક્તિના માર્ગે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.

સૂર્ય સાથે કેતુ હશે તો આત્માના માર્ગે વળશે, આત્મામાં જ ઈશ્વરના દર્શન કરશે, વેદ અને ઉપનિષદના માર્ગે ચાલશે. મંગળ સાથે કેતુ હશે તો દૈહિક સુખોનો ત્યાગ કરશે, દેહને પીડા આપશે, દેહની પીડા સાથે ઈશ્વરને પામવાની કોશિશ કરશે. પ્રબળયોગ ભાવના અને હઠયોગીની જેમ તપ કરશે. ગુરુ સાથે કેતુ હશે તો જ્ઞાનમાર્ગી બનશે, જ્ઞાનને જ ઈશ્વર માનશે, ભગવદગીતાના રસ્તે ચાલશે, સાત્વિક યોગી બનશે. બુધ સાથે કેતુ હશે તો બુદ્ધિના માર્ગે ચાલશે, શ્રદ્ધા શૂન્ય રહેશે, તર્ક સાથે આધ્યાત્મને જોડશે. ચંદ્ર સાથે કેતુ હશે તો મનનો પરાભવ કરશે, આધાત્મિક કવિ બની શકે, ધાર્મિક ઋચાઓ અને ભજન કીર્તનમાં મન લાગશે.

આધ્યાત્મિક ગુરુ ચિન્મયાનંદ સ્વામી (૮-૫-૧૯૧૬, અર્નાકુલમ)ની કુંડળીમાં નવમ ભાવે ચંદ્ર અને કેતુનો યોગ છે, ચંદ્ર સ્વરાશિમાં છે, વૃશ્ચિક લગ્ન છે, પંચમ ભાવે ગુરુ મીન રાશિમાં છે. ચંદ્ર અને કેતુ એકભાવમાં અને ગુરુની દ્રષ્ટિ તેઓને આધ્યાત્મિક ઉંચાઈઆપે છે. મહર્ષિઅરવિંદ ઘોષ (૧૫-૮-૧૮૭૨, કોલકાતા)ની જન્મકુંડળીમાં કર્ક લગ્નમાં ગુરુ (પ્રથમભાવે) છે,પહેલે ગુરુ હોઈ તેમના મુખની આભા જોઇને જ આધ્યાત્મિક છબીનો અનુભવ થાય છે. પંચમ ભાવે કેતુ પર ગુરુની દ્રષ્ટિ છે, છઠે ચંદ્ર સાથે શનિ યુત છે. અગાઉ જણાવ્યું તેમ શનિ સાથે ચંદ્ર જતા, મનનો પરાભવ અને આત્માનો અનુભવ થાય છે. આમ તેમની કુંડળીના યોગ તેમના પ્રબળ આધ્યાત્મિક જીવનનો પુરાવો આપે છે. ભગવાન રમણ મહર્ષિની (૩૦-૧૨-૧૮૭૯, મદુરાઈ) જન્મકુંડળીમાં ચંદ્ર, કેતુ નવમ ભાવે છે, તેની પર પંચમ ભાવે બેઠેલ ગુરુની દ્રષ્ટિ છે. સ્વામી રામતીર્થની (૨૨-૧૦-૧૮૭૩, ગુજરાનવાલા) જન્મકુંડળીમાં ચંદ્ર અને કેતુ અષ્ટમ ભાવે બિરાજેલ છે, તેની પર બળવાન શનિની દ્રષ્ટિ છે. આમ, ચંદ્ર, કેતુ અને શનિના યોગ પ્રબળ આધ્યાત્મિક જીવનના સંકેત કરે છે.

વિચારપુષ્પ: તોફાનને શાંત કરવા કરતાં મનને શાંત કરો, તોફાન એના રસ્તે પસાર થઇ જશે. પરિસ્થિતિ સારી ખરાબ નથી હોતી, પરિસ્થિતિની સામે તમારા પ્રતિભાવ અને અભિગમ નિર્ણાયક હોય છે.

ચંદ્ર અને શનિના સંબંધ અને જાતકની અંગત વાતો

$
0
0

ચંદ્ર અને શનિ બંને એકબીજાથી બિલકુલ અલગપ્રકૃતિ ધરાવે છે, સૂર્ય અને શનિ પણ એકબીજાથી બિલકુલ વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે. સૂર્યએ આત્મા છે, ચંદ્રએ મન છે, મન અને આત્માને મુક્તિ ગમે છે, મનને પણ મુકત થઈને વિહરવું ગમે છે, આત્માને પણ મોક્ષ જોઈએ છે. આ બંને ઉપર શનિનું કર્મબંધન આવે ત્યારે બંને ગ્રહો વ્યથિત બની જાય છે.

ખગોળની દ્રષ્ટિએ જોઈએ તો શનિ છેક છેલ્લે રહેલો ઠંડો અને વાતપ્રકૃતિનો ગ્રહ છે, તે ખૂબ ધીમો છે, જયારે સૂર્ય અને ચંદ્ર બંને દિવસરાત નિરંતર ગતિ કરતાં (જ્યોતિષમાં,પૃથ્વીની સાપેક્ષે)ગ્રહો છે. સમગ્ર સૃષ્ટિમાં બદલાવ લાવનાર અને પૃથ્વી, અગ્નિ, વાયુ અને જળ તત્વોમાં સૌથી વધુ અસર આ ત્રણેય કરી શકે છે.

ચંદ્રની કર્ક રાશિ અને શનિની મકર રાશિ આ બંને રાશિઓ એકબીજાની પ્રતિ છે, સામસામે છે. કર્ક રાશિ ચંદ્ર શાસિત છે, મકર રાશિ શનિની માલિકીની છે, આ બંને રાશિઓ કોઈ પણ કુંડળીમાં જ્યાં પડે છે, ત્યાં એ ભાવને લગતી બાબતોમાં ઉણપ સર્જે છે, જેને આપણે હવે કર્ક-મકર ધરી કહીશું. આ તકલીફ ખાસ કરીને ચંદ્ર અને શનિની મહાદશા અને અંતર દશામાં અનુભવાય છે.

મેષ, તુલા: મેષ અને તુલાલગ્નમાં આ ધરી ૪-૧૦માં ભાવને સાંકળે છે, મેષ કે તુલા લગ્નના જાતકોને મકાન મેળવવામાં અને નોકરીની બાબતોમાં તકલીફ અનુભવાય છે. મેષ કે તુલા ચંદ્ર રાશિ હશે તો પણ આ સત્ય અનુભવાય છે. કોઈ પણ સંજોગ થતા હોય તેમને મકાન ખરીદીને વેચવાના યોગ પણ આવે છે. તુલા લગ્નમાં મકર ચોથે પડે છે, મકાન લેવામાં સંકડાશ કે ધનની સગવડ જલદી થતી નથી.

વૃષભ, વૃશ્ચિક: વૃષભ અને વૃશ્ચિક લગ્નમાં આ ધરી ૩-૯માં ભાવને સાંકળે છે, આ બંને લગ્નમાં આ જાતકોને ભાઈ-બહેન, મુસાફરી, સાહસ, ધર્મ વગેરે બાબતોમાં ખટપટ રહે છે, પોતાના સગાં ભાઈબહેન સાથે તેઓને હમેશાં મતભેદ રહે છે, સંબંધ ખૂબ વધીને ન બોલવા સુધી આવી જાય છે.વૃષભ અને વૃશ્ચિક લગ્ન કે જન્મરાશિના જાતકોએ પોતાના ભાઈબહેન સાથે સંબંધ કોઈ પણ સંજોગોમાં ટકાવી રાખવા જોઈએ.

મિથુન, ધન: મિથુન અને ધન લગ્નમાં આ ધરી, ૨-૮માં ભાવમાં રહે છે, મિથુન અને ધન રાશિના જાતકો માટે ઘર, આવક અને શારીરિક સુખ બાબતે ખૂબ ઉતારચઢાવ આવે છે, ક્યારેક તેઓ પાસે અપાર ધન હોય છે, તો ક્યારેક બધું જ ધન વેડફાઈ જાય તેવા સંજોગ પણ આવી જાય છે. શારીરિક સુખ કે સંબંધોમાં પણ અકાળે તેમને તકલીફ આવી શકે છે.મિથુન અને ધન લગ્નના જાતકો ઘરના સુખ પાછળ ઘણા પૈસા વાપરે છે, તેવું બને જ છે.

કર્ક, મકર: કર્ક અને મકર લગ્નમાં આ ધરી ૧-૭માં ભાવને અસર કરે છે, કર્ક અને મકર લગ્નના જાતકોને લગ્ન અને વ્યવસાયમાં ખૂબ ઉતારચઢાવ આવે છે. કર્ક લગ્નમાં લગ્ન બાબતે તકલીફ થઇ હોય તેવા અનેક ઉદાહરણ લગભગ દરેક જ્યોતિષી ભાઈ જાણતાં હશે જ. લગ્ન સિવાય આ ધરી વ્યવસાયને પણ અસર કરે છે. વ્યવસાય જો સફળ બને તો તેમાં ખુબ સાવચેતી રાખવી પડે છે, થોડું નુકસાન સહન કરીને પણ વ્યવસાયમાં નામ જાળવી રાખવું પડે છે. આ બાબત કર્ક અને મકર જન્મરાશિના જાતકોને પણ લાગુ પડે છે.

સિંહ, કુંભ: સિંહ અને કુંભ લગ્નમાં આ ધરી, ૧૨-૬ ભાવમાં પડે છે, સિંહ અને કુંભ રાશિના જાતકો શત્રુ અને રોગોથી પીડાય છે. આ બંને રાશિના જાતકોને હોસ્પિટલના ખર્ચ અને અનિન્દ્રા તકલીફ આપે છે, અલબત આ બંને તકલીફ મોટી ઉમરે થાય છે.સિંહ અને કુંભ લગ્નમાં રોગ અચાનક આવે છે અને તેનું નિરાકરણ હોતું નથી અથવા નિરાકરણ લાવી શકવામાં મોડું થઇ જાય છે. માટે આ બંને લગ્નમાં રોગોથી સાચવવું જરૂરી બને છે.

કન્યા, મીન: કન્યા અને મીન લગ્નમાં ૫-૧૧માં ભાવમાં આ ધરી હોય છે, આ બંને લગ્નના જાતકોને સંતાન અને આવક બાબતે પ્રશ્ન રહ્યાં કરે છે, જો આવક વધે તો સંતાનના પ્રશ્ન હોય છે, જો સંતાન હોય તો આવકના પ્રશ્ન હોય છે. કન્યા અને મીન લગ્નના જાતકોએ આવક વધે તો બાંધી મૂડી લાખની કરીને પોતાના પૈસા ક્યાંક સ્થિર કરવા સલાહભર્યું રહેશે. લગ્ન થાય ત્યારબાદ સંતાન સુખ બાબતે વધુ ધ્યાન આપવું જરૂરી છે.

અજ્ઞાતબાવાની ડાયરીમાં પરાશર જ્યોતિષના વિસરાયેલાં સચોટ નિયમો

$
0
0

ભારતીય જ્યોતિષના અભ્યાસ દરમ્યાન સૌથી મોટો કોયડો ગ્રહોના શુભ અને અશુભત્વને નક્કી કરવાનો છે. ઘણા ગ્રંથો વાંચો પણ કુંડળીમાં ગ્રહો કેવી રીતે વર્તશે, તેનક્કી કરવું લગભગ સરળ નથી જ, તે આજે પણ બધા જ્યોતિષી સ્વીકારે છે. ગ્રહોને ક્યારે શુભ કહેવા અને ક્યારે અશુભ કહેવા? તેનો જવાબ કોઈ પણ પુસ્તક સ્પષ્ટ પણે આપી શક્યું નથી, તેવિનમ્ર ભાવે સ્વીકારવું પડે. આધુનિક જ્યોતિષીઓ કોઈ પણ ગ્રહને શુભ કે અશુભ નથી સમજતા, તેઓ માત્ર તેની સાથે જોડાયેલ ભાવને જ જુએ છે. પરંતુ મૂળ જ્યોતિષમાં કેટલાક એવા સિદ્ધાંત છે, જેનેપ્રકાશમાં લાવવાની જરૂર જણાઈ હતી.

લઘુ પરાશરીમાં પરાશરીય જ્યોતિષના મહત્વના સિદ્ધાંત આવરી લેવાયા છે. આ બધામાં પણ પરાશરીય જ્યોતિષનોમૂળ સિદ્ધાંત કે જે ફળકથનમાં એકદમ સચોટ પડે છે, તે છે કેન્દ્રાધિપત્ય દોષ! ગુરુ, શુક્ર, બુધ જો કેન્દ્રના સ્વામી બને તો તેઓ શુભ હોઈ, અશુભ બની જાય છે અથવા કેટલાકને મતે તેઓ શુભ ફળ આપતા નથી. ૧,૪,૭ અને ૧૦માં ભાવના સ્વામી જયારે જયારેગુરુ, શુક્ર, બુધ બને ત્યારે તેઓ આ દોષના લીધે શુભ ફળ આપી શકતા નથી.કેન્દ્રાધિપત્ય દોષ ગુરુગ્રહને સૌથી વધુ લાગે છે, ત્યારબાદ શુક્રને લાગે છે.

વિસરાઈ ગયેલ નિયમ: કેન્દ્રાધિપત્ય દોષ ક્યારે લાગે અને ક્યારે નથી લાગતો?

સામાન્ય રીતે કેન્દ્રાધિપત્ય દોષગુરુ, શુક્ર, બુધ જો કેન્દ્રના સ્વામી બને તો તેમને કેન્દ્રાધિપત્ય દોષને લીધે અશુભ ગણી લેવામાં આવે છે. પરંતુ, કાળક્રમે ઘણા નિયમો વિસરાઈ ગયા છે.ગુરુ, શુક્ર, બુધ જો કેન્દ્રના સ્વામી બને અને જો કેન્દ્રમાં જ રહે તો જ તેમને આ પૂર્ણદોષ લાગે છે. આ પૂર્ણ નિયમ છે. તેઓમાંકેન્દ્રાધિપત્ય દોષને લીધે આવેલા પાપત્વ, જો તેઓ અશુભ સ્થાનોમાં બેસે તો સમાધાન પામે છે, અર્થાતકેન્દ્રાધિપત્ય દોષનું સમાધાન થાય છે. કેન્દ્રના સ્વામી શુભ ગ્રહ, ૩,૬,૮ અને ૧૨માં સ્થાને હોય તો તેઓમાં અશુભતા રહેતી નથી.

વિસરાઈ ગયેલ નિયમ: કોણાધિપત્ય દોષ! જે પાપગ્રહને લાગે છે…

જ્યોતિષના બધા ગ્રંથોમાં કેન્દ્રાધિપત્ય દોષ વિષે ઘણું લખાયું છે, પરંતુ કોણાધિપત્ય દોષ ક્યાંય વાંચવા મળતો નથી. કોણાધિપત્ય દોષએ પરાશર જ્યોતિષનો વિસરાઈ ગયેલ નિયમ અને ખૂટતી કડી કહી શકાય તેવો નિયમ છે. કોણાધિપત્ય દોષ કુદરતી પાપગ્રહો, શનિ, મંગળઅને સૂર્યને લાગે છે. આ ત્રણ ગ્રહો, જો કોણસ્થાન એટલે કે ૫ અને ૯ના સ્વામી બને તો તેઓને આ દોષ લાગે છે, કોણાધિપત્ય દોષ લાગ્યા બાદ, તેનું સમાધાન થાય તે માટે આ અશુભ ગ્રહો જો ૩,૬,૮ અને ૧૨માં સ્થાને હોય તો તેમનુંઅશુભત્વ નાશ પામે છે.કોણાધિપત્ય દોષ કુદરતી પાપગ્રહો, શનિ, મંગળઅને સૂર્યને લાગે છે, તેઓ જો કોણ સ્થાનોમાં રહે તો સ્વગૃહી હોવા છતાં અશુભ બની શકે છે.

શુભ કે અશુભ ગ્રહો જો૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે શું પરિણામ મળે?

જો શુભ ગ્રહો ગુરુ, શુક્ર, બુધ૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે તેઓ જો કેન્દ્ર સ્થાનમાં બિરાજે તો તેમનું અશુભત્વ નષ્ટ થાય છે અને એક વિશિષ્ટ યોગ બને છે.જો શુભ ગ્રહો ગુરુ, શુક્ર, બુધ ૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે તેઓ જો કેન્દ્ર સ્થાનમાં બિરાજે તો તેઓ યોગકારક ગ્રહોની જેમ ફળ આપે છે.

જો અશુભ ગ્રહો,શનિ, મંગળઅને સૂર્ય૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે, તેઓ ખુબ અશુભ બની જાય છે, અને પોતાનું અશુભ ફળ તીવ્રતાથી આપે છે.જો અશુભ ગ્રહો, શનિ, મંગળઅને સૂર્ય ૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે તેઓ ત્યાં જો સ્વગૃહી હશે તો પણ તેઓનું ફળ અશુભ હોય તેવું જાણકારોનું માનવું છે, તેઓનું અશુભત્વ તેઓ જો કોણ સ્થાનોમાં એટલે કે ૫ અને ૯માં ભાવમાં તેઓ જો બિરાજે તો જ નષ્ટ થાય અને આ ગ્રહો યોગકારક બની જાય છે.

શું કહે છે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રહો…

$
0
0

મેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, આગામી ઈલેક્શનને ધ્યાનમાં રાખીને મીડિયા સાથે વાર્તાલાપ કરી રહ્યાં છે. આખા જગતની નજર નવેમ્બર ૨૦૨૦ પર રહેવાની છે, આ સમયે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ માટે ઈલેકશન થશે. હંમેશા મીડિયામાં બહુચર્ચિત અને પોતાના અફર નિર્ણયો માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પના જન્મ સમયના ગ્રહો તેમના વિષે શું કહે છે?

૧૪ જુન ૧૯૪૬એ જન્મેલ, તેઓનું જન્મલગ્ન સિંહ છે. સિંહ લગ્નના જાતકો સત્તા અને સ્વમાન માટે સતત પ્રયત્નશીલ હોય છે, તેઓ પોતાની રોયલ લાઈફ, ઉંચી પસંદ અને પોતાના વિષે ઊંચા અભિપ્રાય માટે જાણીતા હોય છે. સિંહ રાશિનો સ્વભાવ છે કે તેઓના શોખ તેમના ખિસ્સા ઉપર ભારે પડતા હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળીમાં પહેલા ભાવે મંગળ, યોગ કારક થઈને બિરાજેલ છે. (ગણતરીમાં બધે પુષ્ય પક્ષ અયનાંશ) પહેલા ભાવે મંગળ, લાભ ભાવે સૂર્ય સાથે સંબંધ કરે છે (ધનયોગ?), મંગળ અને સૂર્ય બંનેનો યોગ તેમને નીડર અને સાહસી બનાવે છે. સ્વાસ્થ્ય બાબતે પણ આ બંને ગ્રહો પ્રથમ ભાવે પ્રભાવી હોઈ, તેમનું સ્વાસ્થ્ય યુવાનોને શરમાવે તેવું છે.તેઓ સ્વાસ્થ્ય બાબતે ખુબ તકેદારી રાખે છે, આલ્કોહોલથી બિલકુલ દુર છે.સ્વાસ્થ્યના શોખીન હોઈ,વર્લ્ડ રેસલિંગ તેઓને ખુબ પસંદ છે. સૂર્યલાભ ભાવે, ગુરુ બીજા ભાવે, શુક્ર અને શનિ વ્યય ભાવે બિરાજેલ છે. શુક્ર વ્યય ભાવે લગભગ બધા શ્રીમંત લોકોની કુંડળીમાં જોવા મળશે જ. શુક્ર બારમાં ભુવનમાં ગુરુગ્રહના આશીર્વાદ મેળવે છે. અહી શુક્રને લીધે ડોનાલ્ડ ટ્રમ્પને અપાર સંપતિ અને અનેક એશોઆરામ પ્રાપ્ત થયા છે.ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફના ખુબ શોખીન છે, આશરે૧૫ કરતા વધુ ગોલ્ફ કોર્સ પોતાના નામે ધરાવે છે.

સૂર્ય અને શુક્ર તેમની કુંડળીમાં ખુબ પ્રભાવી ગ્રહો છે. પ્રથમ અને દસમ ભાવ બંને ખુબ બળવાન છે. ફરી વાર રાષ્ટ્રપ્રમુખ બનવા માટે, ઈલેકશન અને તે સમયના તેમની કુંડળીના ગ્રહોનો યોગ થવો જરૂરી છે.

તેમના રાજકીય ભવિષ્ય બાબતે દસમ ભાવ અર્થાત કર્મભાવનો અભ્યાસ ખુબ મહત્વનો છે. કર્મભાવે બિરાજેલરાહુ, મંગળના નક્ષત્રમાં છે, કર્મભાવને દ્રષ્ટિ કરનાર ગુરુ પણ મંગળના નક્ષત્રમાં છે અને સૂર્યના નવાંશમાં છે.ચંદ્રની દ્રષ્ટિ મધ્યમ શુભ છે. કર્મભાવનો માલિક ગ્રહ શુક્ર ગુરુના નક્ષત્રમાં છે. ટૂંકમાં, કર્મ ભાવ ગુરુ અને મંગળના પ્રભાવમાં છે. આ બંને ગ્રહો, સિંહ લગ્નમાં ઉત્તમ રીતે યોગકારક કહેવાય છે. પ્રથમ ભાવ તેમની પ્રતિભા અને સ્વાસ્થ્ય વિષે સૂચન કરે છે. પ્રથમ ભાવે મંગળ કેતુના નક્ષત્રમાં છે તથા લગ્નેશ સૂર્ય મંગળના નક્ષત્રમાં છે. આમ બંને ગ્રહો મંગળ અને સૂર્ય તેમને ખુબ ફળદાયી છે અને રક્ષક ગ્રહોની જેમ વર્તે છે.

ઈલેકશનના સમય પહેલા તેઓ ગુરુ મહાદશામાં શનિની અંતરદશા અનુભવશે. આશરેફેબ્રુઆરી ૨૦૨૦ સુધીનો સમય શનિની અંતરદશાનો સમય છે, આ સમય દરમ્યાન તેઓ ઘણા બધા સારા-ખરાબ અનુભવોમાંથી પસાર થશે તેવું કહી શકાય. આ સમય સુધી તેમને પ્રજામાં વિશ્વાસ પેદા કરવા માટે વધુ પ્રયત્નશીલ થવું પડી શકે. આ સમય મધ્યમ હશે. ફેબ્રુઆરી ૨૦૨૦ પછી, મે ૨૦૨૨ સુધીનો સમય બુધની અંતરદશા આવશે જે લગ્નેશ સૂર્યનો મિત્ર ગ્રહ છે. માટે ફેબ્રુઆરી ૨૦૨૦ પછીનો સમય તેમના જાહેર જીવનમાં અનેક પ્રસંગો સાથે સામાજિક લોકપ્રિયતાનો રહેશે. તેઓ આ સમયે જનસમુદાયનો અનન્ય સહકાર મેળવશે. પોતાના કુટુંબ અને મિત્રો દ્વારા તેઓ પ્રજાને સચોટ માહિતી આપીને તેઓ એકવાર ફરી પ્રજાના પ્રિયનેતા બનશે તેવું લાગે છે.

ન્યુમેરોલોજી મુજબ તેઓના નામનો સરવાળો ૩ છે. તેઓ યુ.એસ.એ.ના ૪૫માં રાષ્ટ્રપ્રમુખ છે, તેનો સરવાળો ૯ થાય છે, જે ૩ સાથે સંબંધિત છે. આગામી ઈલેક્શન ૩-૧૧-૨૦૨૦એ યોજાઈ શકે છે, ૩નો અંક અહી તેમને મદદકરી શકે. તેઓ ૧૪મી તારીખે જન્મ્યાx છે, તેનો સરવાળો ૫ છે, ૫એ બુધનો અંક છે, જે તેમની કુંડળીમાં લાભ ભાવે છે. તેમની જન્મતારીખનો ટોટલ સરવાળો ૪ છે, ૨૦૨૦ની સાલનો સરવાળો પણ ૪ છે. છેલ્લે તેમણે જયારે શપથ લીધાx ત્યારે ૨૦-૦૧-૨૦૧૭નો સરવાળો પણ ૪ છે.

જ્યારે એમણે જણાવ્યાં રાશિઓના તત્વના ગહન ભેદ

$
0
0

ન્મકુંડળી જુઓ ત્યારે સૌ પહેલાં સૂર્ય, ચંદ્રઅને લગ્ન પર દ્રષ્ટિ કરો પછી તત્વો પર વિચાર કરો. કયા તત્વ? અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ તત્વો પર વિચાર કરો. આજે જ્યોતિષમાં બધાં ખૂબ આગળ વધી ગયાં છે, પણ મૂળ સિદ્ધાંતો પર કોઈ વિચાર કરતું નથી, આમ બોલતાં અજ્ઞાત બાવો આવીને ખુરશીમાં બેસી ગયો. તમને ખબર છે, બધાં પુસ્તકો ગ્રહો અને રાશિઓ પર જુદો જુદો અભિપ્રાય આપે છે, પણ મૂળ વાત આજે કહું છું, તમારી ડાયરીમાં લખી લેજો, પછી ફરીવાર નહીં કહું, આમ કહી તેઓ યાદ કરવા લાગ્યાં, થોડું વિચારીને મારી સામે જોઈ બોલ્યાં, જ્યોતિષીએ હમેશા શીખતાં રહેવું પડે છે, અહમ આડે ન આવવો જોઈએ. હવે લખો.

મેષ રાશિમાં અગ્નિતત્વ છે પણ કેટલું ખબર છે? દીવા જેટલું. સિંહ રાશિમાં અગ્નિતત્વ વધુ છે, મશાલ જેટલું અથવા ચૂલાની અગ્નિ જેટલું. ધનરાશિએ ગુરુ ગ્રહની રાશિ છે, તેમાં પવિત્ર અગ્નિનો વાસ છે. ધન રાશિમાં અગ્નિ યજ્ઞ સમાન છે, પાવક અગ્નિ છે. એટલે કોઈ અગ્નિતત્વનો ગ્રહ, મેષ રાશિમાં હોય તો તેને માત્ર દીવા જેટલું અગ્નિતત્વ મળે છે, ધન કે સિંહ રાશિ જેટલું અગ્નિતત્વ મળતું નથી, તેઓ બોલ્યાં.

જમીન તરફ જોઇને બોલ્યાં, વૃષભ રાશિનું પૃથ્વી તત્વ ખૂબ ફળદ્રુપ હોય છે, વૃષભરાશિ ચતુર્થ ભાવે આવે તો બનાવેલ મકાનમાં ખૂબ ધન, વૈભવ હોય છે.વૃષભ રાશિમાં ખેતીની જમીન જેટલું તેનું માપ કહેવાય. કન્યા રાશિની જમીન કોલાહલવાળી અને ગીચ હશે. કન્યા રાશિમાં પૃથ્વી તત્વ મોટું પણ ફળદ્રુપ નથી. બેહાથ વિસ્તારીને બોલ્યાં,મકર રાશિમાં પૃથ્વી તત્વ ખૂબ વિશાળ દરિયા કિનારા કે જંગલ જેટલું હોય છે. મોટા લાંબા કોતરો જેટલું તેનું માપ કહેવાય. એટલે કે પૃથ્વી તત્વવાળો ગ્રહ શનિ જો મકરમાં આવે તો મનુષ્ય અત્યંત જળ શરીર અને પ્રકૃતિનો બની જશે, તેનું કાર્ય પણ પૃથ્વી તત્વ જેવું એટલે કે મકાન બનાવવું, ઓજાર બનાવવું વગેરે હશે. હવે તમે આ રહસ્ય જાણી ગયાં છો કે કઈ રાશિમાં કેટલું પ્રમાણ છે? તેઓ હસવા લાગ્યાં.

ઊંડો શ્વાસ લઈને તેઓ બોલ્યાં, વાયુ તત્વ વિશે જોઈએ? મિથુનનો વાયુ ચક્રવાત જેવો, વંટોળ ઉડે તેવો અસ્થાયી. તુલાનો વાયુ મંદ સમીર અને સ્ફૂર્તિ આપે એવો, તાજગી આપે તેવો વાયુ વાય એ તુલા રાશિના વાયુનું માપ. કુંભનો વાયુ શ્વાસ જેટલો! મેં કહ્યું, શું વાત કરો છો? માત્ર શ્વાસ જેટલો! “હા”, તેઓ બોલ્યાં ખાલી શ્વાસ ચાલે એટલો જ વાયુ કુંભ રાશિમાં છે, આ તેનું માપ છે. કદાચ તે આ ક્યાંય વાંચ્યું નહીં હોય, બોલ? મેં હા પાડી.

ટેબલ પર પડેલાં પાણીના પ્યાલાને હાથમાં લઈને બોલ્યાં,કર્કનું જળ તત્વ કેટલું હશે? આંખો મોટી કરીને બોલ્યાં, દરિયા જેટલું. કર્ક એટલે શાંત, ગંભીર, અફાટ સમુદ્ર જેનો કોઈ કિનારો ના દેખાય. એટલું તો જળ તત્વ તેમાં ભર્યું છે. વૃશ્ચિકનું જળતત્વ નાની નદી કે સરોવર જેટલું છે, તેમાં જલતત્વ પ્રચૂર નથી જેટલું કર્કમાં છે. મીનમાં જલતત્વ નિર્મળ ઝરણાં જેવું છે. તેમાં સૌમ્યતા ભરપુર છે, નિત્ય સ્પંદન અને ખેલદિલી છે, નિરંતર ગતિ અને મિલાપ છે. તેમના મુજબ કર્કનું જળ તત્વ સૌથી વધુ, પછી વૃશ્ચિક અને છેલ્લે મીનનું સૌથી ઓછું પણ સૌમ્ય જળતત્વ છે.

ગ્રહોની પ્રકૃતિ વિષે લગભગ બધા પુસ્તકો એક મત નથી થતાં, પરંતુ અગ્નિતત્વમાં સૂર્ય મંગળ અને ગુરુ અગ્નિતત્વ ધરાવે (ઉતરતા ક્રમમાં) છે. તેમાં સૌથી વધુ અગ્નિતત્વ સૂર્યમાં છે. શનિ અને શુક્ર પૃથ્વી તત્વ ધરાવે છે, તેમાં શનિનું પૃથ્વી તત્વ સ્થિર છે અને શુક્રનું પૃથ્વી તત્વ અસ્થાયી છે, જેમ કે મોટરકાર અને પર્વતો પર શિલાઓ. જળતત્વ માત્ર ચંદ્ર પાસે જ છે, અને તે ખૂબ વિશાળ માત્રામાં છે. આ વાત તમે અનુભવમાં લેજો સાચી જ પડશે તેઓએ કહ્યું. બુધ વાયુ તત્વનો અધિપતિ ગણવો, વિચાર એટલે વાયુ અને બુધ તેનો માલિક ગ્રહ છે. વાયુ તત્વ માત્ર બુધ પાસે જ છે. આ બધું જ્ઞાન અવલોકન અને મંથન કરવાથી જ મળે, બધું પુસ્તકોમાં ન હોય, કહેતાં તેઓ ઉભાં થયાં.

મંગળ જો ધનમાં હોય અથવા સૂર્ય જો ધન રાશિમાં હોય તો તમે સમજી શકો છો કે તેનામાં અગ્નિતત્વ ખૂબ વધુ હશે, માટે ઉત્સાહ, લડાયક મિજાજ અને સાહસ, સૂર્ય કે મંગળ ધનમાં હોય ત્યારે આપે જ છે. પણ તેઓ જો મેષમાં હોય તો આ બાબત અલ્પથી મધ્યમ રહે છે.

તત્વો અને તેના પ્રભાવ વિષે વધુ આવતા અંકે…


ગ્રહો અને રાશિના તત્વમિલાપ: અજ્ઞાત બાવા સાથે ચર્ચાના કેટલાક અંશ

$
0
0

જ્યોતિષમાં તત્વનું મહત્વ વધુ છે, એમકહી શકાય કે ચાર તત્વથી સંસાર રચાયો છે. તત્વના વધારા ઘટાડા સાથે જ દરેક કાર્યને વેગ મળે છે. મનુષ્યનું મન આ ચાર તત્વોના પ્રમાણે અનુભવ કરે છે. જેમ કે, તોફાન અને યુદ્ધ જેવી ઘટનાઓ ગ્રહોમાં અગ્નિતત્વનો વધારો સૂચવે છે. બૌધિક ક્રાંતિ અને વ્યાપાર રોજગાર વધવા, વાયુતત્વનો વધતો પ્રભાવ છે. પૃથ્વીતત્વ નબળું પડે તો ભૂસ્ખલન અને હોનારત સર્જાય છે, પૃથ્વીતત્વ બળવાન બનતા, કૃષિદ્વારા ધન-ધાન્યનો વિકાસ થાય છે. ગ્રહોમાં જલતત્વ નબળું પડતા પૃથ્વી પર જળસ્રોત દ્વારા હોનારત સર્જાય છે જેમ કે, પુર આવવા વગેરે.

સામાન્ય રીતે કુંડળીના ભાવ અને કારક ગ્રહોને અભ્યાસ કરવાથી ભવિષ્ય બાબતે જાણકારી મળે છે. કર્મ માટે શનિને અચૂક જોવો, ધન, પુત્રમાટે ગુરુનો અભ્યાસ કરવો, શરીર અને પુરુષાર્થ માટે મંગળનો અભ્યાસ કરવો, મન અને ધન માટે ચંદ્રનો અભ્યાસ કરવો, બુદ્ધિ અને વાણી માટે બુધનો અભ્યાસ કરવો, લગ્ન અને સંપતિ માટે શુક્રનો અભ્યાસ કરવો, પ્રતિષ્ઠા અને આરોગ્ય માટે સૂર્યનો અભ્યાસ કરવો જોઈએ. આ ગ્રહોનું મૂળતત્વ પોષાય છે કે નહિ તે જોઈ લેવું જોઈએ.

અગ્નિતત્વ સાથે પૃથ્વીતત્વ ખુબ સુંદર તાલમેલ આપે છે, ઘણું કાર્ય થાય છે.અગ્નિતત્વ સાથે વાયુતત્વ અસંતુલિત બની જાય છે, મનુષ્યએ પોતાના વિચારો, ક્રોધને કાબુમાં રાખવો પડે છે. અગ્નિતત્વ સાથે જલતત્વ સંયોજાય તો મનુષ્ય લાગણીશીલ બનતા કાર્ય પાર પડતું નથી, કાર્ય લાગણીઓને લીધે સિદ્ધ થતું નથી.પૃથ્વીતત્વ સાથે વાયુતત્વ જોડાય તો મનુષ્ય અતિધીમે વર્તે છે અને જલ્દી સફળ થઇ શકતો નથી.વાયુતત્વ સાથે જલતત્વ જોડાય તો મનુષ્ય કલ્પનાશીલ અને નબળો બની જાય છે.પૃથ્વીતત્વ સાથે જળતત્વ જોડાય તો મનુષ્યની લાગણીઓને વાચા મળતી નથી પરંતુ તે એક સફળ સામાજિક વ્યક્તિ બની શકે છે.

શનિ અને શુક્ર પૃથ્વી તત્વની રાશિઓમાં અર્થાત વૃષભ, મકર અને કન્યા રાશિઓમાં ખુબ બળ પામે છે. તેઓ આ રાશિઓમાં પોતાના ગુણોને સફળ વ્યક્ત કરે છે. શનિ મકાન અને શુક્ર વૈભવી વાહન આપે છે. શનિ અને શુક્ર જો જલતત્વમાં જાય તો પણ પોષણ પામે છે. જેમ કે, શુક્ર મીન રાશિમાં ખુબ બળ પામે છે. શુક્ર કર્ક અને વૃશ્ચિક રાશિમાં પણ બળ પામે છે, તેના સ્ત્રી ગુણનો જળ તત્વમાં ખુબ વિકાસ થાય છે.

બુધએ બુદ્ધિનો કારક ગ્રહ છે, બુધનીબુદ્ધિ તેના વાયુ તત્વને આભારી છે. બુધ જો વાયુ તત્વની રાશિમાં હોય, અર્થાત મિથુન, તુલા કે કુંભ રાશિમાં હોય તો તેના વાયુ તત્વનો ખુબ વિકાસ થાય છે. બુધ આ ત્રણ રાશિઓમાં જાતકને ખુબ બુદ્ધિમાન બનાવે છે. જે જાતકની કુંડળીમાં વાયુતત્વનો વિકાસ થયો હોય તે જાતક બેશક ખુબ બુદ્ધિમાન હોય છે જ.

સૂર્ય, મંગળઅને ગુરુ અગ્નિતત્વને રજુ કરે છે. તેમાં સૌથી વધુ અગ્નિતત્વ સૂર્યમાં રહેલું છે. પછી મંગળમાં અને ત્યારબાદ ગુરુમાં અગ્નિતત્વ સૌથી ઓછું પણ ‘પવિત્ર’ અગ્નિતત્વ રહેલું છે. હવે આ ત્રણેયમાંથી કોઈ પણ એક કે વધુ ગ્રહો જો મેષ, સિંહ, કે ધન રાશિમાં હોય તો તેમનું અગ્નિતત્વ ખુબ વિકાસ પામે છે અને ગ્રહોનું ફળ પૂર્ણ રૂપે મળે છે.સૂર્ય, મંગળઅને ગુરુ જો વાયુ તત્વની રાશિઓમાં હોય તો પણ તેઓનું ફળ વધુ મળે છે. સૂર્ય, મંગળઅને ગુરુ જળતત્વની રાશિઓમાં ફળદાયી રહેતા નથી.

ચંદ્ર જલતત્વ ધરાવે છે, તે પૃથ્વીની સૌથી નજીક હોઈ અને મનુષ્યના મન પર શાસન કરતો હોઈ, તે કોઈપણ રાશિમાં જાય પરંતુ તેની અસર મનુષ્ય પર વધુ પડે છે. છતાં ચંદ્ર જો વૃશ્ચિકમાં જાય તો આપણે તેને નબળો માનીએ છીએ, ચંદ્ર વૃશ્ચિકમાં બળ ચોક્કસ પામે છે પરંતુ તે બળ ‘નકારાત્મક’ બળ હોય છે. વૃશ્ચિકમાં ચંદ્ર નકારાત્મક બને છે, જયારે કર્ક અને મીનમાં સકારાત્મક ઉર્જાવાન બને છે. વૃશ્ચિકરાશિનું સ્થાન કાલપુરુષ કુંડળીમાં ‘અષ્ટમ’ છે અને એટલે જ સકારાત્મક રાશિ ગણવામાં આવતી નથી. વૃશ્ચિકમંગળની રાશિ હોવા છતાં અનુભવે જોયું હશે કે વૃશ્ચિકનો મંગળ વધુ તકલીફ કરતો નથી. તેનું ફળ તે સ્વગૃહી હોવા છતાં પણ ઓછું મળે છે, તેનું કારણ મંગળ પોતે અગ્નિ થઈને જલ તત્વમાં આવવાથી ફળદાયી રહેતો નથી.

નીરવ રંજન

ગ્રહ નબળાં પડે તેની નિશાનીઓ અને સરળ ઉપાય

$
0
0

વિરાટથી સુક્ષ્મ સુધી દુનિયા એક જ છે, દુનિયા એક દોરથી બંધાયેલી છે. અન્ન એવો ઓડકાર અને આહારવિહાર એવી પ્રકૃતિ. ગ્રહો પણ મનુષ્યના જીવનમાં અનેક રીતે પોતાને વ્યક્ત કરે છે, ક્યારેક સંબંધોમાં તો ક્યારેક ઘટનાઓમાં. જેવી શનિદેવની કૃપા તેવો નોકરી ધંધો, જેવો શુક્ર તેવો ધનવૈભવ અને પત્ની/ પતિ. આમ દરેક ગ્રહ પોતે દરેકના જીવનમાં વ્યક્ત થાય છે. કેવું અદભૂત છે કુદરત અને મનુષ્યના જીવનનો તાલમેલ!

તમારી સોનાની વસ્તુ ખોવાય કે સોનાનું નુકસાન થાય ત્યારે તે ગુરુગ્રહ મંદ થવાની નિશાની છે. જયારે તમારા નામને બદનામ કરવામાં આવે ત્યારે પણ ગુરૂગ્રહનું બળ ઓછું થયું છે તેમ મનાય છે. આ પ્રકારની ઘટના ઘટે તો તેનો ઉપાય કોઈ સોના,ચાંદીનું દાન નહિ પરંતુ તમારા હાથવગો સરળ છે. આ પ્રકારની તકલીફમાં તમારે નાકને રોજ પાણી વડે સાફ રાખવું જોઈએ. કોઈ પણ કાર્ય શરુ કરતા પહેલા કે ધંધામાં શરૂઆત કરતા પહેલા સવારે નાકમાં હુફાળા પાણી વડે સફાઈ કરવાથી ગુરુગ્રહનો ઉપાય થાય છે. ચામડીનો રોગ આવી પડે અથવા પગના અંગુઠામાં દર્દ કે ખાલી ચડે તો તે શુક્રગ્રહ મંદ થવાની નિશાની છે. આ પ્રકારની ઘટના ઘટે તો ત્યારબાદ નુકસાન થવાની ઘણી સંભાવના રહે છે. શુક્રના ઉપાય માટે આવી ઘટના બાદ જાતકે બિલકુલસાફ અને નવા કપડા પહેરવા જોઈએ, અત્તરનો ઉપયોગ કરવો જોઈએ. બની શકે તો રેશમી અને સફેદ કાપડના કપડા શુક્રવારે પહેરવા, જે શુક્રનો પ્રભાવ ખુબ વધારે છે અને તેનો ઉપાય કરે છે.

ઘરમાં આગ લાગવી કે ઘરમાં કોઈ ભાગ તૂટી જવો એ શનિને તકલીફની નિશાની છે, જયારે પણ આ પ્રકારની ઘટના ઘટે તો શનિનો ઉપાય તુરંત કરવો જોઈએ. જાતકના શરીર પરના વાળને શનિનો સંબંધ છે, ખાસ કરીને ભ્રમર અને પલક પરના વાળજો વધુ ખરે તો તે પણ શનિના મંદ થવાના આસાર છે. તેના ઉપાય માટે શનિવારે તેલનું દાન અને પોતાના દાંતને સવાર સાંજ સાફ રાખવાએ શનિનો ઉપાય છે. પારંપરિક રીતે આપણે વડ કે બાવળનું દાંતણ પહેલા વાપરતા હતા, આ શનિનો અકસીર ઉપાય છે. દાંતની તકલીફને બુધ સાથે પણ સાંકળવામાં આવી છે, જો દાંતની તકલીફ અચાનક આવી પડે અથવા સુંઘવાની શક્તિ ના રહે તો આ બુધના મંદ થવાના લક્ષણ છે, બુધનો ઉપાય કરવો. તેની માટે પણ વડ કે બાવળનું દાંતણ કરવું ગ્રહનો દોષ દુર કરે છે.

હાથના નખ તુટવા, માનસિક હતાશા, યાદશક્તિ ગુમાવવી, અનેક લોકો સાથે ઝગડા થવા આ બધા રાહુના મંદ થવાની નિશાની છે. રાહુ મંદ થાય છે ત્યારે વ્યક્તિને અચૂક રીતે માથાના ભાગે તકલીફ થાય છે. રાહુને શાંત કરવા માટે પરિવારની સાથે રહેવું, રસોડામાં જ નીચે બેસીને જમવું, માથાના ભાગે શીખા રાખવી તેના સચોટ ઉપાય છે.

પગના નખ તુટવા, પેશાબના રોગ થવા અથવા પોતાની માતાને આજ પ્રકારની બિમારી થવી, સંતાન સાથે તકલીફ થવી અથવા સંતાનને તકલીફ પડવી, આ બધા કારણ કેતુ મંદ થવાની નિશાની છે. આનો ઉપાય ખુબ સરળ છે, થોડા સમય માટે કાન વિંધવાથી કેતુનો ઉપાય થાય છે. પગના અંગુઠા પર રેશમી સફેદ દોરો બાંધી રાખવાથી પણ કેતુનો ઉપાય થાય છે. રક્ત સંબંધી તકલીફ, સંતાનપેદા થઈને તરત ના રહેવું, જનન અંગોમાં તકલીફ મંગળ ગ્રહનો દોષ છે. મંગળ મંદ થવાની નિશાની ગણાય છે. તેના ઉપાયમાં હનુમાનજીની સેવા તથા આંખમાં સુરમો આંજવાથી મંગળનો દોષ દુર થાય છે. જ્યોતિષમાં સફેદ સૂરમાનો ઉલ્લેખ છે.

શરીરમાં હલન ચલન કરવામાં મુશ્કેલી પડે, શરીર જકડાઈ જાય, મોંમાં સતત લાળ આવ્યા કરે તો તેને સૂર્ય મંદ થવાની નિશાની કહે છે, તેનો ઉપાય ખુબ સરળ છે, સૂર્યને જળ ચડાવવું, રવિવારેઘઉંનો શીરો ગોળમાં બનાવી પ્રસાદ કરવો, રોજ સવારે પાંચ ઘૂંટ પાણી સાકર સાથે પીવું. આમ કરવાથી સૂર્યનો ઉપાય થશે તેમ જ્યોતિષમાં ઉલ્લેખ છે. પાણીના સ્રોત જેવા કે ટાંકી, કુવો,હેન્ડપંપ, પાણીની મોટર વગેરેમાં ખરાબી આવવી એ ચંદ્ર મંદ થવાની નિશાની છે. જાતકને ઘણીવાર સ્પર્શનો અનુભવ ના થાય તે પણ ચંદ્રના મંદ થવાની નિશાની કહેવાય છે. તેના ઉપાય માટે માતાના આશીર્વાદ, શંકર ભગવાનની પૂજા અને સોમવારે શંકર ભગવાનની આરાધના કરવી ઉત્તમ ઉપાય છે.

નીરવ રંજન

 

 

અજ્ઞાતબાવાએ કહ્યું કઈ રાશિથી આર્થિક લાભ કે નુકસાન

$
0
0

જીવન એ આપલેનું લેખાજોખું છે. જીવન દરમિયાન મનુષ્ય આવાગમન અને લેણદેણ કરતો રહે છે. શું લેણદેણ પણ ગ્રહોને આધારિત હોય છે? શું લેણદેણની પ્રક્રિયા ગ્રહોને આધારિત હોઈ શકે? મારી મુલાકાત પેલા અજ્ઞાત બાવા સાથે થઇ હતી ત્યારે મેં આ પ્રશ્ન કર્યો. હંમેશાની જેમ તેઓ બહુ જ ગુસ્સે થઇ ગયાં અને મને ગમે તેમ બોલવા લાગ્યાં. પરંતુ ગુરુજનોનો કોઈ પણ ભોગે આદર થવો જ જોઈએ. ગુરુજનોના ક્રોધમાં પણ ‘કૃપા’ હોય છે. તેમનો ગુસ્સો શાંત થયો પછી તેઓ અસ્ખલિત વાણીમાં બોલવા લાગ્યાં.

કુંડળીમાં તમારા લાભસ્થાન વિષે તમે જાણો છો…સંચિત સ્થાન વિષે પણ તમે જાણો છો. બીજું સ્થાનએ સંચિત ધન છે અને અગિયારમું સ્થાનએ આય અથવા રોજી કે આવક છે. તમારા જીવનમાં સંપતિ આ બે દ્વારથી આવે છે. પંચમ ભાવ અને નવમ ભાવએ પુણ્યના ભાવ છે, પરંતુ તેઓ પણ સંપતિ બીજા અને અગિયારમાં સ્થાનથી જ આપે છે, તેમના અધિપતિ બીજે અને લાભે હોય તો સંપતિ આવે છે. તેમાં પણ લાભ ભાવ અનેક ગણો બળવાન કહેવાય છે.એક વાત કહેવાનું મન થાય છે, લાભ ભાવ સંપતિ આપે પુષ્કળ, પરંતુ તબિયત પણ બગાડે છે.

તમે જયારે કોઈ વ્યક્તિ સાથે આપલે કરો છો, ત્યારે તે વ્યક્તિની કુંડળીમાં બે સ્થાન એવા છે જ્યાંથી તેમની સંપતિ જાય છે. તે છે બારમું અને આઠમું. બારમાં સ્થાનેથી સંપતિ નિશ્ચિત જાય છે, અષ્ટમ સ્થાનેથી સંપતિ ભોગવાતી નથી અને નુકસાન થાય છે. જો તમારી રાશિ મેષ હોય તો લાભ સ્થાને કુંભરાશિ આવશેઅને બીજે વૃષભ રાશિ આવશે. મીન, કર્કમિથુનઅને તુલા રાશિઓ એવી છે જેમને આઠમે અને બારમે કુંભ કે વૃષભ રાશિ આવશે. માટે મેષ રાશિના જાતક માટે મીન, કર્કમિથુનઅને તુલા રાશિઓ સાથેઆર્થિકઆપલે કરવામાં લાભ પામવાની સંભાવના ખુબ વધુ છે.

ગ્રહો બાબતે પણ આવું જ થઇ શકે છે. તમારે લાભ ભાવે મંગળ હોય અને સામેવાળા પાત્રને મંગળ બારમે કે આઠમે હોય તો આ વ્યવહારમાં તમને લાભ થવાની સંભાવના અનેકગણી છે.કુંડળીમાં લાભ ભાવનો અભ્યાસ ખુબ મહત્વનો છે. તેમ આવતી રાશિ અને ગ્રહ તમારા જીવનમાં આવક બાબતે નિર્ણાયક બને છે. અલબત, જીવનમાં લાભ થાય તે માટે કુંડળીના બીજા ગ્રહ યોગો પણ મહત્વના છે જ. પરંતુ જ્યાં સુધી આર્થિકલેણદેણની વાત છે, તો અજ્ઞાત બાવાની આ વાત મને નોટબૂકમાં લખવા જેવી ચોક્કસ લાગી.

ઉપરની માહિતી પરથી ‘આર્થિક’આપલે કરવા માટે સફળતા સૂચક રાશિવાર માહિતી:

મેષ રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ: મીન અને કર્ક

વૃષભ રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:મેષ અને સિંહ

મિથુન રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:વૃષભ અને કન્યા

કર્ક રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ: મિથુન અને તુલા

સિંહ રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ: કર્ક અને વૃશ્ચિક

કન્યા રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:સિંહ અને ધન

તુલા રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:કન્યા અને મકર

વૃશ્ચિક રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:તુલા અને કુંભ

ધન રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:વૃશ્ચિક અને મીન

કુંભ રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:મકર અને વૃષભ

મીન રાશિના જાતક માટે લાભ થાય તેવી રાશિઓ:કુંભ અને મિથુન

 

સમજ: મીન રાશિના જાતક માટે લાભ (આવક) ભાવે મકર રાશિ આવશે. કુંભ અને મિથુન રાશિના જાતકો માટે મકર રાશિ અનુક્રમેબારમે(વ્યય) અને આઠમે (નુકસાન) ભાવે આવશે.રાશિઓનો આ જાદુ માત્ર આવક પૂરતો છે, મનમેળ અને પ્રેમના સંબંધો માટે પંચમ ભાવ વગેરેનો મેળાપક અલગ વિષય છે.

 

ક્યારે શું બનશે તે ભાવિનો ગર્ભકાળ જણાવતી વિદ્યા

$
0
0

જ્યોતિષએ જાત મહેનત, સરળતા અને મૂળ સિદ્ધાંતો પર નભે છે. જ્યોતિષએ અનુભવ અને અવલોકન પર નભે છે. કુંડળીઓનો અભ્યાસ કરવાથી જ જ્યોતિષને સમજી શકાય છે. જેટલો સરળ અભ્યાસ તેટલું જ જ્યોતિષ સચોટ બને છે. આ શબ્દો ‘અજ્ઞાત’ બાવાના છે.

આપણે મૂળ જ્યોતિષ તરફ દ્રષ્ટિ દોડાવી પડશે। મૂળ જ્યોતિષમાં શુભ અને અશુભ વિષે સરળ વ્યાખ્યા કરવામાં આવી છે. શનિ, મંગલ, રાહુ અને કેતુ અશુભ ગ્રહો છે. પરંતુ લઘુ પરાશરી અને બીજા મૌલિક ગ્રંથોના પ્રચલન પછી, મૂળ સિદ્ધાંતો તરફ કોઈ જલ્દી દ્રષ્ટિ નથી કરતુ। લઘુ પરાશરી મૂળભૂત રીતે વિશોત્તરી દશાના અભ્યાસ માટેનો ગ્રંથ છે. તેના મુજબ ગ્રહોનું શુભાશુભ ગ્રહોની દશાઓમાં લાગુ પડે છે. વિશોત્તરી દશાના અભ્યાસ માટે લઘુ પરાશરી અણમોલ ગ્રંથ છે, તેમાં વિદ્વાનો બેમત નથી.

લઘુ પરાશરીનો મુખ્ય ઉપયોગ ઘટનાના સમય નિર્ધારણ માટે છે. દશાઓ અનેક છે. વિશોત્તરી અને અષ્ટોત્તરી દશાઓમાં અલગ અલગ ગ્રહોની દશા એક જ સમયે ચાલે છે. યોગીની દશાઓ જોતા પણ જયારે તેમાં શુભ ગ્રહની દશા હોય ત્યારે વિશોત્તરી દશામાં અશુભ ગ્રહની દશા ચાલતી હોય તેવું પણ બને છે. આ બધી દશાઓનો ઉલ્લેખ પરાશર હોરામાં છે જ. મૂળ જ્યોતિષમાં ગ્રહોની દશા માટે ચંદ્ર માસનો ઉપયોગ કરાયો છે. 360 દિવસની ગણતરી લઈને દશાઓ ગણતા જ્યોતિષ ‘ધુરંધરો’ને અમે જોયા છે, અને તેમની આગાહી અને ફળકથન સચોટ જ રહેતા હતા.

અમારા એક વિદ્વાન અને અનુભવી જ્યોતિષી જેમની ઉંમર અત્યારે લગભગ 80 વર્ષની હશે, તેઓ પાસે આ વાત કરતા તેઓએ પણ ગ્રહોના શુભાશુભ વિષે પોતાનો મત મુક્યો હતો. તેઓના કહેવા મુજબ ગ્રહોનું નૈસર્ગીક શુભાશુભ ઘણું મહત્વનું છે. જેમ કે, કોઈ ભાવને જો મંગળ અને શનિ બંને ગ્રહોની દ્રષ્ટિ મળતી હોય તો તે ભાવ જો શનિ કે મંગળના આધિપત્યનો ના હોય તો તેનું ફળ નકારાત્મક મળે છે. તેમાં શંકા રાખવા જેવું કશું નથી. ગુરુ અને શુક્રની દ્રષ્ટિમાં જે ભાવ હોય અથવા જે ભાવમાં આ બે શુભ ગ્રહો બેઠા હોય તે ભાવમાં શુભ થાય છે. તે મુળજ્યોતિષનો વિષય છે, અને સચોટ છે.

જે ભાવનો સ્વામી શનિ કે મંગળ હોય તે ભાવનું ફળ શનિ અને મંગળના સ્વભાવ મુજબ સંપૂર્ણ શુભ મળતું નથી. જે ભાવના સ્વામી શુક્ર કે ગુરુ હોય તે ભાવનું ફળ અંતે શુભ જ હોય છે. ગ્રહ અશુભ ગ્રહોના અંશમાં પડ્યો હોય તો તેનું ફળ અશુભ મળે છે. બૃહદ પરાશર હોરામાં સુદર્શન ચક્રનો ઉલ્લેખ છે. સૂર્ય, ચંદ્ર અને જન્મ લગ્ન ત્રણેય લગ્નને કેન્દ્રમાં મૂકીને સુદર્શન ચક્ર દોરવામાં આવે છે. સુદર્શન ચક્રના નિયમો અતિ સરળ છે.

દર વર્ષે તમારું જન્મલગ્ન ક્રમિક રીતે બદલાય છે. પ્રથમ વર્ષે પ્રથમ ભાવ જન્મલગ્ન અને તેનું ફળ તે જન્મલગ્ન અનુસાર। બીજા વર્ષે ધન ભાવએ લગ્ન માનીને તમારે બધા ગ્રહો જન્મકુંડળીની રાશિ મુજબ મુકવાના છે. આ કુંડળી મુજબ જન્મના બીજા વર્ષનો ફલાદેશ થાય. માસ બાબતે બાર માસને એક એક ભાવ આપીને તે માસનું ફળકથન થઇ શકે છે.

ઉપર મુજબ સુદર્શન ચક્રમાં જે તે વર્ષમાં કે માસમાં કેન્દ્ર કે કોણ સ્થાનોમાં નૈસર્ગીક પાપ ગ્રહો વધુ હોય અથવા અષ્ટમમાં રાહુ કે શનિ હોય તે માસ કે વર્ષનું ફળ શુભ નથી. મિશ્ર ગ્રહો હોય તો ગ્રહોના બળાબળ જોઈને ફળકથન કરવું જોઈએ। કેન્દ્ર કે કોણ સ્થાનોમાં નૈસર્ગીક શુભ ગ્રહો વધુ હોય તો તે વર્ષ કે માસમાં ઈચ્છીત કાર્યમાં શુભ ફળ મળે છે, કાર્ય સિદ્ધ થાય છે. શુભ કે અશુભ ફળ જન્મના ગ્રહોના બળથી વધુ ના હોઈ શકે. સુદર્શન ચક્રમાં કેન્દ્ર અને કોણના સ્થાનોનું જ મહત્વ વધુ છે, કારણ કે કેન્દ્ર અને કોણનો પ્રભાવ જીવન પર વિશેષ અનુભવાય છે. 3,6,11માં ભાવમાં અશુભ ગ્રહો હોય તો તેને યોગકારક ગણવા। ગ્રહોના નૈસર્ગીક શુભાશુભ જ ગણતરીમાં લેવાથી વધુ સચોટ ફળ મળશે। ઘટના સમય નિર્ધારણની આ પદ્ધતિ જ્યોતિષની જેમ જ સરળ છે.

 

શું કહે છે તમારી રાશિ? રાશિ મુજબ સફળ કારકિર્દી…

$
0
0

ચંદ્ર રાશિ મનુષ્યના મન પર શાસન કરે છે, મનએ બધા રસનું બીજ છે. જયારે મનુષ્યને પોતાના કાર્યમાં રસનો વિષય મળી જાય તો તે બેશક તેમાં જલદી સફળ થાય છે. દરેક મનુષ્ય પાસે તેની પોતાની આગવી ઓળખ અને સ્વભાવ છે, જે તેની ચંદ્ર રાશિના મુજબ હોય છે. ઋષિમુનિઓએ પોતાની ધ્યાન અવસ્થામાં, ચંદ્રના જુદીજુદી રાશિઓ પરના ભ્રમણ અને મનુષ્ય પર થતી તેની અસર પોતાની સંહિતા અને આદ્યગ્રંથોમાં વર્ણવી છે. મનુષ્ય પોતે પણ પોતાના સ્વભાવને ઓળખી નથી શકતો, પરંતુ ચંદ્ર રાશિ તેનો સ્પષ્ટ અને સચોટ સ્વભાવ રજૂ કરે છે. આજના સમયમાં કારકિર્દીના પ્રશ્ન ખૂબ વધુ હોય છે, તમારી જન્મરાશિ આ બાબતે તમને ચોક્કસ દિશાસૂચન કરી શકે છે.

ચંદ્રરાશિના મુજબ જો મનુષ્ય વ્યવસાય કે નોકરીમાં આગળ વધે તો તેનું મન તેના કાર્યમાં પરોવાય છે અને તે એક પ્રકારે અદભૂત તાલમેલ બનાવે છે. 

મેષ: મેષ રાશિના જાતકો સ્વપ્રયત્ને આગળ આવીને કાર્ય સફળ કરે છે, તેમની માટે સ્વતંત્ર વ્યવસાય પહેલી પસંદ હોય છે. ઇન્સ્યોરન્સ, પોલીસ, આર્મી, ઇલેક્સ્ટ્રીકલ, સાયકોલોજી, મેડિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ઇજનેરી વગેરે તેમની પસંદ બની શકે છે.

વૃષભ: વૃષભ રાશિના જાતકો વાનગી અને કળાના ચાહક હોય છે, તેઓ માટે રેસ્ટોરાંનો વ્યવસાય સફળતા આપી શકે છે. ફાર્મિંગ, બિલ્ડીંગ, સોનાચાંદી, બેન્કિંગ, શેરદલાલી, ફંડ મેનેજર, ફેશન ડિઝાઇન, બેન્કિંગ વગેરેમાં તેમને જલદી સફળતા મળે છે.

મિથુન: મિથુન રાશિના જાતકો ખૂબ સારી રીતે માર્કેટિંગ કરી શકે છે, તેઓ ઉત્તમ વક્તા હોય છે. મિથુન રાશિના જાતકો સલાહકાર તરીકે પણ સફળ થાય છે. પત્રકાર, પુસ્તકો, સેલ્સ, જાહેર ખબર, કોપી રાઇટર, વકીલાત, કમ્પ્યુટર, ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેઓ જલદી સફળ થાય છે. 

કર્ક: કર્ક રાશિના જાતકો સ્વભાવે સંવેદનશીલ અને બીજાના દુઃખને વાચા આપનાર હોય છે, તેઓમાં માનવીય મૂલ્ય ખુબ વધુ હોય છે. તેઓ હોટલ, નર્સિંગ, રીક્રુટીંગ એજન્સી, એચ આર ઓફિસર, પ્રોપર્ટી ડીલર, શિપિંગ, કેર ટેકર, ઇન્ટેરિયર ડિઝાઇન વગેરેમાં સફળ થઇ શકે છે.

સિંહ: સિંહ રાશિના જાતકો નેચરલી એક અદભુત કલાકાર હોય છે, તેઓ પોતે સ્વતંત્ર મિજાજી હોય છે. એક્ટિંગ, ડાન્સિંગ, મોડેલિંગ, ડ્રેસિંગ, આર્કીટેક, ટીચર, વકીલાત, ટોપ બોસ, ચિત્રકાર, સ્પોર્ટ્સ, ફિલ્મલાઈન અને રાજકારણ વગેરેમાં તેઓ જલ્દી સફળ થાય છે.

કન્યા: કન્યા રાશિના જાતકો તેમની સાવચેતી અને સમય બદ્ધતા માટે જાણીતા હોય છે, મેડિકલ, નર્સિંગ, ડાયેટિશિયન, હાઇજીન, આસિસ્ટન્ટ, વૈજ્ઞાનિક, લેખક, માહિતી ખાતા, લાયબ્રેરી, આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ્સ, શિક્ષક, કન્સલ્ટિંગ એક્સપર્ટ, ફાર્મિંગ વગેરે તરીકે તેઓ સફળ થાય છે.

તુલા: એડજસ્ટમેન્ટ, રિલેશન અને વ્યાપારિક સ્વભાવ ધરાવતી આ રાશિના જાતકો બિઝનેસમાં હરણફાળ ભરતા હોય છે. ડિઝાઇનિંગ, ગ્રાફિક્સ, બ્યુટિશિયન, એસ્ટેટ ડીલર, પ્રોપર્ટી ડીલર, જજ, વકીલ, લોજિસ્ટિક, ઓનલાઇન ટ્રેડિંગ, લે-વેચ વગેરે વ્યવસાયમાં તેઓ સફળ થાય છે.

વૃશ્ચિક: સંશોધન, રહસ્ય અને બદલાવ લાવનારી આ રાશિના જાતકો હંમેશા નવું સર્જન કરવામાં અવ્વલ સાબિત થાય છે. ઇન્વેસ્ટિગેશન, સંશોધન, સાઇકોલોજી, મેડિકલ, જાસૂસી, ક્વોલિટી ઇન્સ્પેક્ટર, વેપન્સ, જ્યોતિષ, વીમા એજન્ટ, ફાર્મા વગેરે ક્ષેત્રોમાં તેઓ સફળ થઇ શકે છે.

ધન: આત્મખોજ, પ્રશ્નવૃત્તિ અને જોશથી ચાલતી આ રાશિના જાતકોમાં સ્પોર્ટ્સમેનશિપ અદભૂત હોય છે, તેઓ છેવટ સુધી લડત આપીને જીતે છે. ટ્રાવેલ, ફિલોસોફી, ટીચર, પ્રોફેસર, પબ્લિક રિલેશન, લેખક, સ્પોર્ટ્સ, સિવિલ ઇજનેરી, ધાર્મિક કાર્ય, ધર્મ પ્રચાર, ટ્રેકિંગ વગેરેમાં તેઓ સફળ થાય છે.

મકર: સત્તા, જવાબદારી અને ફાયદાનો સોદો કરનાર આ રાશિના જાતકો નાના ઉદ્યોગો અને સરકારી નોકરીમાં સફળ થાય છે. તેઓ કાયદા અને હુકમ પાલનમાં માનનારા હોય છે. સરકારી નોકરી, મેનેજમેન્ટ સ્ટાફ, સિવિલ સર્વિસ, મેનેજર, મેડિકલ, બિલ્ડર, એન્જીનીયર, કાઉન્સિલર તરીકે તેઓ સફળ થાય છે.

કુંભ: કુંભ રાશિએ આધુનિકતાસભર રાશિ છે. આ રાશિને નવા જમાના સાથે ચાલતા જલદી આવડે છે, તેઓ જલ્દીથી નવી વસ્તુઓ અને પદ્ધતિઓ સમજે છે. સ્ટાર્ટઅપ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, રિસર્ચ, ઓનલાઇન શોપિંગ, ખગોળ, પ્રોફેસર, પર્યાવરણ શાસ્ત્ર, કેમિકલ વગેરે તેમને જલ્દી સફળ બનાવે છે.

મીન: સ્વપ્નસેવી અને સેવાભાવી આ રાશિના જાતકો ઉત્તમ ડોક્ટર્સ હોય છે, તે સાથે તેઓ સમાજ સેવક અને સુધારાવાદી પણ હોય છે. તેઓ લેખક, ફોટોગ્રાફી, સિનેમા, મેડિકલ, માનવ અધિકાર, જ્યોતિષ, હિલર, થેરપિસ્ટ, હવાઈ સેવાઓ, ટ્રાવેલ એજન્ટ વગેરેમાં તેઓ સફળ થઇ શકે છે.

Viewing all 118 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>