Quantcast
Channel: Grah Nakshatra – chitralekha
Viewing all 118 articles
Browse latest View live

શું કહ્યું…ભગવાન પણ રત્ન ધારણ કરે છે?

$
0
0

પણે જાણીએ છીએ કે ગ્રહોના રત્નો, પૌરાણિક સમયથી લોકચાહના પામેલા છે. ગ્રહોને રજૂ કરતા રત્નો થકી, મનુષ્યને જે-તે ગ્રહની દિવ્યઊર્જાનો સ્પર્શ થાય છે. આપણા આદ્ય આચાર્યો અને ઋષિ મુનિઓએ આકાશના ગ્રહોની ઊર્જાને અને તેના ગુણોને પૃથ્વી પર અનુભવ્યા. એ નોંધનીય છે કે ગ્રહોના ગુણ અને માનવજીવન પર તેમની અસર, માત્ર ઋષિમુનિઓ જ સ્પષ્ટપણે કહી શકે. આકાશના આ સાત ગ્રહોને પૃથ્વી પર કયો પદાર્થ રજૂ કરી શકે? તે જિજ્ઞાસાથી ગ્રહોના રત્નો શોધવાની અને તેની ઊર્જા પ્રાપ્ત કરવાની શરૂઆત થઇ હશે, તેમ ધારી શકાય.

સૂર્ય માટે માણેક, શનિ માટે નીલમ, મંગળ માટે લાલ પરવાળું, બુધ માટે આછો લીલો રંગ ધરાવતું પન્ના, ચંદ્ર માટે તેની શાંતિના પ્રતિકસમું મોતી, ગુરુ માટે પોખરાજ અને શુક્ર માટે સ્પષ્ટ ચમકતો ડાયમંડ ગ્રહોના રત્નો તરીકે ઘણા લાંબા સમયથી વપરાય છે. એક વાત ધ્યાને લેવા જેવી છે કે ગ્રહોના રત્નો જેતે ગ્રહની ઊર્જાનો અનુભવ આપે છે, ગ્રહોના રત્નો વિષે ઘણીવાર લોકોમાં વહેમ હોય છે, જેમ કે કોઈ ગ્રહનો રત્ન તેમને નુકસાન આપે છે. આધુનિક મત જોઈએ તો કોઈ પણ ગ્રહનું રત્ન ક્યારેય કોઈને નુકસાન આપતું નથી, કોઈ પણ ગ્રહનું રત્ન પોતાની જરૂરિયાત અનુસાર કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે છે, દરેક ગ્રહની પોતાની અલગ ઊર્જા છે, આ જ મહત્વનો સિદ્ધાંત છે. ગ્રહોના રત્નો રોગોમાં સારવાર માટે પણ વપરાય છે. તો ઘણા રત્નોની ભસ્મ સીધી આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે, તે વાત સર્વવિદિત છે. ટૂંકમાં ઊર્જા ક્યારેય કોઈનું ખરાબ નથી કરતી, તે માત્ર ઊર્જા છે. તેનો અનુભવ મનુષ્યના જીવનમાં સકારાત્મક બદલાવ ચોક્કસ લાવી શકે છે.જાણીને નવાઈ લાગશે કે જ્યોતિષના ગ્રંથો મુજબ દેવતાઓ પણ રત્નો ધારણ કરે છે. તેટલું જ નહિ માત્ર રત્નોને લીધે પણ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયા છે. જેમ કે, જગતપિતા બ્રહ્મા ચિંતામણી નામનો દિવ્ય રત્ન ધારણ કરે છે, જે હમેશા શાંતિ આપતો અને જ્ઞાનના સાક્ષાત સ્રોત જેવો છે.

શાસ્ત્રો અનુસાર કેટલાકને મતે ઇન્દ્ર દેવ પાસે સ્યમંતક નામક રત્ન છે, ઇન્દ્રદેવના આ રત્નમાં આકાશની દિવ્યતા જોઈ શકાય છે, આ રત્નની આભા ખૂબ વિશાળ છે, તેની અંદર જોવાથી તેનો છેડો મળતો નથી અને આ રત્ન આછા વાદળી જેવા રંગનું છે.

ભગવાન શ્રીકૃષ્ણ કોટી સૂર્યો સમાન તેજસ્વી, ગુલાબી અને સફેદ રંગ જેવો, અનેક ગણો સૌમ્ય, કૌસ્તુભ નામનો દિવ્ય રત્ન ધારણ કરે છે. આ કૌસ્તુભમણીને સામે દેવ-દાનવ કોઈ નજર નથી મિલાવી શકતું. તેની દિવ્યતા એટલી છે કે સમગ્ર બ્રહ્માંડમાં તેની ઊર્જાનો વિસ્તાર થાય છે.

દેવાધિદેવ જગતગુરુ શંકર ભગવાન તો નાગને જ આભૂષણ તરીકે ધારણ કરે છે, ભસ્મ તેમના વસ્ત્રની જેમ તેમના શરીર પર રહે છે. અનેક જીવોનો ઉદ્ધાર કરનાર ભોળાનાથ પાસે પણ ‘રુદ્રમણી’ છે તેવું કહેવાય છે, આ ‘રુદ્રમણી’ અતિગુપ્ત અને દેવોને પણ દુર્લભ છે. આશ્ચર્યજનક રંગોવાળા, સોના સમાન કાંતિવાળા જગતમાં એકમાત્ર આ રત્નનું વર્ણન કરવું પણ શકય નથી.


ગ્રહોના સરળ ઉપાયોની અજબ દુનિયા…

$
0
0

ગ્રહોની દુનિયા અજીબ છે, ભાગ્ય જાણવું અતિશય કપરું કાર્ય છે. જો જ્યોતિષી બધું જાણી લે તો એ વિધાતાની સમકક્ષ થઇ જાય? માટે સંપૂર્ણ જાણવું પણ શક્ય નથી. જ્યોતિષી માત્ર પોતાના જ્ઞાન અને અનુભવને આધારે જાતકને સાચો રસ્તો બતાવે છે. ભાગ્યતો બંધ મુઠ્ઠીમાં અજાણ્યું જ રહે છે. જ્યોતિષીઓમાં એક કહેવત છે, કે જ્યાં કોઈ ઉપાય કે ફળકથન કામ નથી કરતા ત્યાં લાલ કિતાબ કામ કરે છે. લાલ કિતાબ એટલે કે અરુણ સંહિતા,જ્યોતિષનો રહસ્યમય ગ્રંથ છે. કેટલાકને મતે રાવણએ લાલ કિતાબનો ઉપયોગ કર્યો હતો. રાવણના સમય બાદ લુપ્ત થયેલ લાલ કિતાબ ફરીથી પૂર્વ એશિયામાંથી સામાન્ય જનોને પ્રાપ્ત થઇ છે. લાલ કિતાબના કેટલાય ટુચકા જાણે-અજાણે આપણા જીવનમાં વણાઈ ગયા છે, જેમ કે સફેદ પાઘડી પહેરવી. લાલ કિતાબ મુજબ મસ્તકએ રાહુનું પ્રતિક છે, સફેદ પાઘડી પહેરવાથી માથાનો ભાગ સૂર્ય સામે ખુલ્લો રહેતો નથી, આમ રાહુનું સૂર્ય સાથે કનેક્શન તૂટે છે અને વ્યક્તિના જીવનમાં સૂર્ય સાનુકુળ બને છે. વાત મામૂલી લાગે છે પરંતુ લાલ કિતાબના કેટલાય ટુચકા અને આપણા રીત રીવાજો એકબીજામાં વણાઈ ગયા છે.

ઘણીવાર જીવનમાં ગ્રહોના ઉપાયો કારગર થતાં નથી. મોંઘા જપ-તપ કે યજ્ઞો પછી પણ ફળ મળતું નથી તેવું બને છે. પરંતુ લાલ કિતાબ આ બધાની સામે બિલકુલ સરળ અને નજીવા ખર્ચ સાથેના ઉપાય સૂચવે છે. તમારે માત્ર તમારો નિત્યક્રમ (૪૦ કે ૪૩ દિવસ) જાળવવાનો છે અને શ્રદ્ધા પૂર્વક આ ઉપાય કરવાના છે. મોટેભાગે લોકો નિત્યક્રમ જાળવી શકતા નથી અને પરિણામે તેમને ઉપાયનો લાભ પણ થતો નથી. છેલ્લે તેઓની શ્રદ્ધા ડગી જાય છે. માટે કોઈ પણ ઉપાયમાં નિત્યક્રમ જળવાવો ખુબ જરૂરી છે તે ધ્યાનમાં લેશો.

આજના ભાગદોડના જમાનામાં સહેલો અને વ્યવહારુ ઉપાય જ કારગર રહેશે. જેમ કે, સૂર્યનું ખુબ ખરાબ ફળ મળી રહ્યું હોય તો સૂર્યની ચીજો જેમકે, ઘઉં અને ગોળને વહેતા પાણીમાં વહાવવાથી સૂર્યની તકલીફોમાંથી રાહત મળે છે. આપણે સૂર્યની ચીજોને પાણીમાં વહાવવાની છે, તમે માત્ર પ્રતિક રૂપે થોડીમાત્રામાં ચીજો લઈને પણ આ ઉપાય કરી જ શકો છો. રાહુ જનિત તકલીફોમાંથી રાહત માટે જવ કે કોલસાને પાણીમાં વહાવી શકાય. તમે પોતાના કાર્યક્ષેત્રે જતા પહેલા નિત્યક્રમે આ ઉપાય કરી શકો છો, તેમ છતાં રાહુ માટે શ્રેષ્ઠ સમય સાંજેસૂર્ય આથમે તે સમયે છે.

કુંડળીમાં જો કેતુની સમસ્યા ખુબ વધુ હોય અથવા કેતુ જનિત બીમારીઓ જેમ કે મૂત્ર અને કીડની સંસ્થાનના રોગથી મુક્તિ માટેશ્વાનને રોજ ખોરાક નાખવો અને મંદિરમાં તલનું દાન કરવું ઉપાય છે. નબળા ચંદ્ર માટે રાતે માથાના ભાગે પલંગ નીચે પાણીનો લોટો ભરી રાખવો અને આ પાણીને સવારે વડ કે બાવળમાં નાખી દેવું. મંગળ જયારે નુકસાન આપતો હોય ત્યારે રેવડીનું દાન કે રેવડીને પાણીમાં વહેતી કરવી જોઈએ.પાણીમાં પતાસા પણ વહેતા કરવાથી મંગળની તકલીફ દુર થાય છે. આપને ત્યાં લગ્ન પછી પણ પતાસા વહેંચવામાં આવે છે, કદાચઆ પણ લગ્ન બાદ મંગળને શુભ કરવાનો એક ઉપાય હોઈ શકે?

બુધનો શુભ પ્રભાવ કરવા માટે મગની દાળનું દાન અથવા તાંબાનો કાણો સિક્કો પાણીમાં વહેતો કરવો. લાલ કિતાબ અનુસાર ગુરુ મહારાજ કુંડળીના બીજા ભાવના રાજા છે, તેમનું સ્થાન જાતકની બે આંખો ઉપર ભ્રમરોની વચ્ચે છે. અહી, ગુરુની ચીજો જેવીકે કેસર કે હળદરનું તિલક કરવાથી ગુરુ જનિત બાબતોમાં શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. ઘરમાં લક્ષ્મી અને વિવાહને લગતા પ્રશ્નોમાં શુક્રનો પ્રભાવ હોય છે, કાળી ગાયને રોજ ખોરાક આપવાથી શુક્રની શુભ અસરો પ્રાપ્ત થાય છે. ધંધા વ્યવસાયમાં મંદી કે નોકરીમાં અવરોધથી બચવા માટે સરસિયાનું તેલ કે અન્ય કોઈ પણ તેલની અંદર પોતાની છાયા જોઇને શનિવારે તે તેલનું દાન કરવું જોઈએ. અગાઉ જણાવ્યું તેમ દાન કે ઉપાય પ્રતિકાત્મક સ્વરૂપે પણ કરી શકાય છે.

કુંભલગ્નમાં જન્મ ભાગ્યશાળી કે કર્મયોગી? ઉદિત લગ્નનો જીવન પર પ્રભાવ

$
0
0

ભારતીયજ્યોતિષઅને તેમાંય પારાશારીના સિદ્ધાંત મુજબ, જન્મલગ્ન એટલે કે જન્મ સમયે ઉદિત રાશિનું મહત્વ અનેકગણું છે. જન્મલગ્નને આધારે જ બીજા ગ્રહો પોતાનો શુભ કે અશુભ પ્રભાવ આપે છે. જન્મલગ્ન જો શુભ ગ્રહની રાશિમાં હશે તો તેનો પ્રભાવ શરીર અને બુદ્ધિ પર ચોક્કસ શુભ અનુભવાય છે. શનિના લગ્નમાં જન્મેલા આજીવન તકલીફો અને ખુબ મહેનત કરીને જીવે છે, તેમના જીવનમાં હમેશા સંકડાશ જોવા મળે છે અને તેમની માટે થોડું બચે છે. વૈભવી પેઢીનો માલિક પણ જો શનિના લગ્નમાં જન્મેલો હશે તો તેને જીવનમાં છૂટે હાથે પૈસા વાપરતો જોવો અશક્ય છે.

શુક્ર અને ગુરુના લગ્નમાં જન્મેલા પાસે બધું (ક્યારેક ભૌતિક અને ક્યારેક માનસિક પણ) હોય છે, તેમના જીવનનો અભિગમ ‘ત્યાગ અને આદર્શો’ તરફ હોય છે, તેઓ કર્મને નહિ પણ આદર્શોને પકડીને ચાલે છે. ત્યાગીને ભોગવે છે. બધા લગ્નોમાં કુંભ લગ્ન એવું છે કે, તેમાં આદ્ય આચાર્યોએ પણ કુંભ લગ્ન પર પોતાનો વિશેષમત દર્શાવ્યો છે. આચાર્યવારાહ મિહિર અને મહર્ષિ સત્યાચાર્યના મતે કુંભ લગ્નમાં જન્મ અનેક તકલીફો આપે છે.આધુનિક જમાનામાં આ બંને વિદ્વાનોના મત પર વિચારવા જેવું બિલકુલ છે.

કુંભ લગ્નમાં શનિ લગ્નેશ છે, તે વ્યય ભાવનો પણ માલિક થાય છે. સૌથી મહત્વના ગ્રહ લગ્નેશને વ્યયેશનો દોષ લાગે છે, માટે શનિ આ કુંડળીમાં કેન્દ્ર કે કોણના સ્થાનોમાં જ શુભ બને છે. ધન અને વૈભવ સમાશુક્રને કેન્દ્રાધિપત્ય દોષ લાગે છે તે કેન્દ્રમાં હોયતો યોગ ભંગ,મંગળ અને સૂર્ય માત્ર કેન્દ્રમાં જ શુભ બને છે, અશુભ સ્થાનોમાં ગયા તો અનેક મુસિબતો. પંચમેશ બુધને અષ્ટમ સ્થાનનું આધિપત્ય હોવાથી, બુધ પણ દુષિત બને છે. આમ કુંભ લગ્નમાં કોઈ ગ્રહ દોષમુક્ત હોવો ભાગ્યે જ જોવા મળે છે.

પણ હવે તો આપણે અતિઆધુનિક જમાનામાં જીવીએ છીએ, આર્થિક અને માનસિક અભિગમ બિલકુલ બદલાઈ ચૂક્યા છે. આધુનિકમત જોઈએ તો કુંભ લગ્ન માત્ર ખરાબ જ છે, તેવું નથી, અમારા મત મુજબ કુંભ લગ્ન તૂટીને નવું સર્જનાર છે. તેમાં પુરુષાર્થ અને ગજબ શક્તિ છે, તે હમેશા અડગ છે અને પોતાની મહેનત પર કાયમ છે. કુંભ લગ્ન એટલે ‘પુરુષાર્થ અને મક્કમતા’.

જીડી બિરલા અને અમિતાભ બચ્ચન

ફિલ્મ જગતના સૂર્ય જેવા અમિતાભ બચ્ચન કુંભ લગ્નમાં જન્મ્યા છે, તેઓ જીવનમાં ખુબ પુરુષાર્થ અને મક્કમતાથી આગળ આવ્યા છે, તેમના જીવનના પડકાર બિલકુલ ઓછા નહોતા. તેઓ આજે પણ સતત પરિશ્રમ કરી રહ્યા છે. જીડી બિરલા જેવા મહેનત સાથે મોટું સર્જન કરનાર ઉદ્યોગપતિ કુંભ લગ્નમાં જન્મ્યા છે. અનેક તકલીફો સાથે જીવન જીવનાર અને છતાં સંશોધન કરી જગતને ચોંકાવનાર મેડમ મેરી ક્યુરી કુંભ લગ્નમાં જન્મ્યા છે. વિખ્યાત અભિનેતા કમલ હસન અને અનીલ કપૂર સતત મહેનત કરીને આગળ આવ્યા છે.

કાર્લમાર્ક્સ અને અબ્રાહમ લિંકન

જગતનો ઈતિહાસ જોઈએ તો આખા જગતને પોતાના આદર્શો વડે પ્રભાવિત કરનાર અબ્રાહમ લિંકન તથા કાર્લમાર્ક્સનું જન્મલગ્ન કુંભ છે. આ બંને નેતાઓના જીવન સંઘર્ષ સર્વવિદિત છે. આધ્યાત્મની વાત લઈએ તો રામકૃષ્ણ પરમહંસ જેવા પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ કુંભ લગ્નમાં જન્મેલ છે, તેઓનું જીવન પણ સતત તકલીફોની વચ્ચે આધ્યાત્મનો અલખ જગાવતું રહ્યું. આધુનિક જગતમાં જ્યોતિષને નવી ઉંચાઈએ લઇ જનાર ભારતના જગવિખ્યાત જ્યોતિષી શ્રી બી વી રામન સાહેબ પણ કુંભ લગ્નમાં જન્મ્યા હતા, તેઓએ જીવનભાર સતત પરિશ્રમ કરીને જ્યોતિષને આધુનિક ભારતમાં નવું જીવન આપ્યું છે. આમ ઉપરના બધા ઉદાહરણોમાં તમને ‘પુરુષાર્થ’ અને‘સંઘર્ષ’ જોવા મળશે, આ બધું કુંભ લગ્નનો જ પ્રભાવ હશે? જો હશે તો કુંભ લગ્નએ સર્જક અને કર્મયોગી છે તેમ કહેવું પડશે.

નીરવ રંજન

જ્યોતિષનો ઉપયોગ આયુર્વેદમાં થઇ શકે?

$
0
0

યુર્વેદ અને જ્યોતિષ બંને પ્રાચીન ભારતનો મહામુલો વારસો છે.આયુર્વેદ અને જ્યોતિષ બંનેને સગી બહેનો પણ કહી શકાય. બંને જ્ઞાનગંગા વેદ આદી શાસ્ત્રોમાંથી જ વહી નીકળી છે. જ્યોતિષ માનવીના જીવનના અદ્રશ્ય ભાગો પર પ્રકાશ પાડે છે. જે ચીજ કે ઘટના સામાન્ય બુદ્ધિથી જાણવી શક્ય નથી, તેને જ્યોતિષની મદદથી ઉકેલી શકાય. આયુર્વેદનો આધાર ત્રણ દોષ એટલે કે કફ, પિત્ત અને વાયુના અભ્યાસ પર છે. બે ઋતુની વચ્ચે જન્મે, ઋતુની મધ્યે જન્મે કે ઋતુની શરૂઆતમાં જન્મે આ ત્રણેય રીતે જન્મતા બાળકના જીવન પર તેમનો સમય બિલકુલ અલગ અલગ અસર આપશે. આ અસર તેના સ્વભાવ, પ્રકૃતિ અને તબિયત પર ચોક્કસ અનુભવાય છે. જ્યોતિષ અને આયુર્વેદ બંને પ્રકૃતિના આધારે કાર્ય કરે છે.

જ્યોતિષના સિદ્ધાંત મુજબ,

ગુરુ, ચંદ્ર અને શુક્ર: કફ પ્રકૃતિ દર્શાવે છે, મંગળ, કેતુ અને સૂર્ય પિત્ત પ્રકૃતિ દર્શાવે છે. રાહુ, બુધ અને શનિ વાયુ પ્રકૃતિ દર્શાવે છે. ચંદ્ર અને શુક્ર રસપ્રધાન છે, તેઓ શરીરમાં કફનો વધારો કરે છે. સૂર્ય અને મંગળ ગરમ પ્રકૃતિના હોઈ પિત્તદોષ દર્શાવે છે. મંગળ ગ્રહના ગુણ મુજબ તેનામાં જુસ્સો, અગ્નિ, તાકાત અને જાતે કાર્ય હાથમાં લેવાની ત્વરા હોય છે, આ બધા ગુણ પિત્ત પ્રકૃતિને રજુ કરે છે. રાહુ અને શનિ બંને પ્રમાણમાં ઠંડા અને રુક્ષ છે, રાહુ માનવીની માનસિક તાકાત અને અનિયંત્રિત વિચારો સાથે સંકળાયેલ છે. રાહુ અને શનિ બંને વાયુ પ્રકૃતિનો નિર્દેશ કરે છે.

પ્રથમ ભાવ જાતકનો દેહ ભાવ છે, તેમાં જો ઉપર મુજબ કોઈ એક જ પ્રકૃતિના ગ્રહો બિરાજમાન હોય તો જાતકના શરીરમાં કોઈ એક દોષની પ્રચુરતા રહે છે. એટલે કે મંગળ અને સૂર્ય જો પ્રથમ ભાવે હોય તો જાતકના શરીરમાં પિત્ત દોષ વધુ હોઈ શકે છે. જાતકનેજીવન દરમ્યાન પિત્ત પ્રકોપને લીધે રોગ થઇ શકે છે, માટે પિત્તને સમતોલ કરવા કફ અને વાયુ દોષને બહારથી શરીરમાં ઉમેરીને તેના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય. આજ પ્રમાણે શનિ અને બુધ પ્રથમ ભાવે હોય તો શરીરમાં વાયુનો પ્રકોપ હોય છે. ઘણીવારએક જ પ્રકૃતિના ગ્રહોનું કોઈ એક જ ભાવમાં હોવું પણ તે ભાવ સૂચિત અંગ કે શરીરના ભાગમાં રોગ હોવાનું સૂચવે છે, ઉદાહરણ તરીકે મંગળ, સૂર્ય અને શનિ એકસાથે ત્રીજે ભાવે હોય તો જાતકના હાથથી લઈને ખભાના ભાગ સુધીમાં તેને લોહીને લીધે તકલીફ, ઈજા કે સ્નાયુઓનું ફૂલી જવાની બિમારી થવાની શક્યતા વધી જાય છે.

આયુર્વેદમાં વર્ણિત ત્રણ દોષ અને જ્યોતિષમાં વર્ણિત રાશિઓનો પણ સંબંધ છે. આપણે જાણીએ છીએ કે રાશિઓ પણ અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ એમ ચાર તત્વોમાં વહેંચાય છે. અગ્નિ તત્વ, પિત્ત દોષને રજુ કરે છે. વાયુ તત્વ વાયુ દોષને રજુ કરે છે. જળ તત્વ કફ પ્રકૃતિનો નિર્દેશ કરે છે. પૃથ્વી તત્વ વાયુ સહીત ત્રણેય દોષોને સમાવે છે, પૃથ્વી તત્વ શરીરનું બંધારણ રજુ કરે છે. પરંતુ કેટલાક જાણકારોને મતે પૃથ્વી તત્વ એટલે વાયુ દોષ જ છે. જાતકની કુંડળી જોઈએ ત્યારે વાયુ તત્વની રાશિઓમાં જો વાયુ તત્વના ગ્રહો વધુ હોય તો બિલકુલ સ્પષ્ટ છે કે, જાતકને જે તે ભાવ સૂચિત અંગમાં વાયુદોષને લીધે પીડા થઇ શકે છે. વાયુ દોષને લીધે જ ઘણીવાર અંગમાં દુખાવા થાય છે, જો આ પ્રકારે વાયુનો પ્રકોપ દસમા ભાવે હોય, દસમે મિથુન રાશિમાં શનિ હોય તો ઘૂંટણનો દુખાવોએ રાશિ પરથી જયારે શનિ અથવા ગુરુ પસાર થશે તે વર્ષોમાં થઇ શકે છે. આ પ્રમાણે પાંચમા ભાવે મેશ રાશિમાં મંગળ હોય તો જાતકને પેટમાં બળતરા અને પિત્ત પ્રકોપની શક્યતા ઘણી વધુ હોય છે. અગાઉ જણાવ્યું તેમ જ્યોતિષ અને આયુર્વેદ બંને સગી બહેનો જેવા છે, જો બંનેનો કોઈ વિદ્વાન એક સાથે ઉપયોગ કરે તો ધાર્યું પરિણામ સિદ્ધ થાય તેમાં કોઈ શંકા નથી.

નીરવ રંજન  

મારી સાચી જન્મરાશિ કઈ કહેવાય? કુંડળીની કે નામની?

$
0
0

જ્યોતિષી જોષ જોવા બેસે એટલે ઘણા પ્રશ્નો હંમેશા પુછાય છે જેમ કે, મારે પ્રેમ વિવાહ થશે કે એરેન્જડ (શેઠ સાહેબ પ્રમાણે અરેંજટ)? કન્યા કઈ દિશામાંથી મળશે? મારું મકાન પશ્ચિમના દરવાજાવાળું છે, તે સારું કે ખરાબ? મારે કયો નંગ પહેરવો જોઈએ? હું નોકરી કરું કે ધંધો? આ બધા પ્રશ્નો સાથે એક પ્રશ્ન મેં કાયમ સંભાળ્યો છે કે મારે કઈ રાશિ ગણવી? એટલે કે મારી જન્મ રાશિ મેષ છે પણ નામ તુલા રાશિ પ્રમાણે છે તો મારે કઈ રાશિનું રાશિ ભવિષ્ય વાંચવું? છેલ્લા પ્રશ્ન માટે વિગતે જોઈએ પછી, પહેલા ઉપરના અમુક પ્રશ્નો સ્પષ્ટ કરીએ.

મારે પ્રેમ વિવાહ થશે કે કે એરેન્જડ? તમને નથી લાગતું કે આ પ્રશ્ન ખુબ અંગત છે અને તે દરેકની ઈચ્છા-અનિચ્છા પર આધાર રાખે છે, આમ કહીએ તો ખોટું પણ નથી. જાતક અનેક લોકોને જીવન દરમિયાન મળે છે, દરેક પાત્રના રૂપ, રંગ અને વ્યવહાર અલગ હોય છે, તમને કોના પર દિલ આવી જશે તે માત્ર તમારું જ દિલ કહી શકે. જ્યોતિષમાં પ્રેમ-વિવાહ માટે કોઈ જૂની કિતાબોમાં કે સંહિતાઓમાં સ્પષ્ટ તારણો નથી અથવા વિદ્વાનો આ બાબતે કોઈ જગ્યાએ એકમત નથી થયાં. છતાં પંચમ ભાવ અને સપ્તમ ભાવનો જો સંબંધ હોય તો પ્રેમ-વિવાહ થઇ શકે એવું જ્યોતિષના વિદ્વાનો માને છે.

બીજી વાત, પંચમ અને સપ્તમ ભાવનો સંબંધ પ્રેમ વિવાહની શક્યતા અને સફળતા દર્શાવે છે. તેને લીધે જ પ્રેમવિવાહ થશે તેવું કોઈ કહી શકે નહીં. આપણે આધુનિક જમાનામાં જીવી રહ્યાં છીએ, દર પાંચ વર્ષે સમાજ વ્યવસ્થા જલ્દીથી નવું રૂપ લઇ લે છે. માટે પ્રેમ વિવાહ કરવા એ બિલકુલ અંગત નિર્ણય છે, જ્યોતિષની સલાહ લઇ શકાય. ફેસબુક અને વ્હોટસએપના જમાનામાં ‘પ્રેમ વિવાહ’ જ કેમ થયાં તે માત્ર વિધાતા જ કહી શકે. આવો જ પ્રશ્ન કન્યા કઈ દિશામાંથી મળશે તેનો છે, તમે વિચારીને કોઈ પણ દિશા કહો તેની સંભાવના ૨૫ ટકા તો રહેશે જ. તેમ છતાં સપ્તમ ભાવનો સ્વામી જે રાશિમાં પડ્યો હોય તે રાશિ સૂચિત દિશામાં લગ્ન બાબતે સંભાવના વધુ છે તેમ માત્ર કહી શકાય. કન્યાનું ગામ ઉત્તરે હોય અને શહેરમાં તે પશ્ચિમે રહેતી હોય તો કન્યા કઈ દિશાની કહેવી? તે પણ વિચારણીય છે, માટે આ પ્રશ્નને ક્ષમા આપશો.

જાતકને પોતાની જન્મકુંડળીમાં ભાગ્યેશ જે રાશિમાં હોય અથવા ભાગ્યેશ ગ્રહ જે નક્ષત્રમાં હોય તેનો માલિક કઈ રાશિમાં છે? તે રાશિ સૂચિત દિશાથી લાભ થાય છે. મકાનનો દરવાજો આ દિશાનો હોય તો તેને ફળદાયી રહેશે તેમ કહી શકાય. આ વાત માત્ર જ્યોતિષના આધારે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અલગ હોઈ શકે.

કોઈ જાતકનું ઘરનું નામ પીન્ટુ, લાલો કે પપ્પુ હોય તો તેને આ નામની રાશિઓ જોવાની જરૂર નથી. તમારું નામ કાયદેસર પણ જો બીજી રાશિનું હશે એટલે કે જન્મરાશિથી અલગ નામ હશે તો પણ તમારી જન્મરાશિ જ મહત્વની છે. જીનલ નામની કન્યાના જન્મ સમયે જો ચંદ્ર મેષ રાશિમાં હોય તો તેને આજીવન મેષ રાશિને જ પોતાની ‘સગી’ રાશિ ગણવી જોઈએ. તમારું નામ ગમે તે હોય તેનાથી આકાશનો ચંદ્ર બદલાતો નથી. તમારા જન્મના ચંદ્રને આધારે જ જીવનભર ગ્રહોની વિશોત્તરી દશાઓમાં તમે ઉતાર ચઢાવ અનુભવો છો. માટે જન્મ સમયના ચંદ્રનું બળ અને તેના સ્થાન ખુબ જ મહત્વના છે, માટે જ જન્મરાશિ તમારી જન્મકુંડળીમાં હોય તે જ સાચી સમજી લેવી. પ્રશ્નો એવા જ કરવા કે જે પ્રશ્ન અને જાતક બંને સ્પષ્ટ હોય. જે પ્રશ્ન જ સ્પષ્ટ નથી, તેનો જવાબ પણ સ્પષ્ટ ના હોય તે સ્વાભાવિક છે. અને આવા પ્રશ્નોને લીધે જ્યોતિષ જેવા પૂજ્ય વિષયને હાનિ થાય છે.

સામાન્ય જ્યોતિષી અને સિદ્ધ પુરુષો વચ્ચે તેલ અને ઘી જેટલો તફાવત છે, સિદ્ધ પુરુષ ક્યારેક જ્યોતિષી જોવા મળી શકે તેની ના નથી, સિદ્ધ આત્માઓ જ્યોતિષનું જ્ઞાન સહજ પ્રાપ્ત કરી શકે પણ દરેક જ્યોતિષી સિદ્ધ મુનિ નથી એ પણ ધ્યાને લેવું પડશે. સિદ્ધ પુરુષોના વચનો અનુસાર સંસાર ચાલી શકે અને ક્યારેક વિધિ પણ બદલાય જયારે જ્યોતિષી તો આકાશ અને સંસારનો સંબંધ બતાવે છે.

 

 

ઉચ્ચના અને સ્વગૃહી ગ્રહો એટલે સફળતા? એક અનોખી જન્મકુંડળીનો અનુભવ

$
0
0

જ્યોતિષનું અધ્યયન કરતા કરતા ઘણીવાર આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓ બનતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર સમજવું સહેલું છે, પરંતુ તેને પચાવવું અઘરું છે. જન્મકુંડળી જોવા જઈએ ત્યારે પહેલી નજરે સાવ સામાન્ય લાગતા ગ્રહોએ મનુષ્યને ઉચ્ચ સ્થાને બેસાડ્યો હોય તો ઘણીવાર શ્રેષ્ઠ ગ્રહોનું પરિણામ નેષ્ટ આવ્યું હોય તેવુંય બને. આ બધા અનુભવ પહેલી નજરે થાય છે, પરંતુ જો જન્મકુંડળીનું તાર્કિક રીતે અને પદ્ધતિસર અભ્યાસ કરો તો જ તમે એને ખરા અર્થમાં મુલવી શકો. જ્યોતિષને ચાર પાંચ પુસ્તકોમાંથી ના શીખી શકાય. તેની માટે ગુરુ હોવા આવશ્યક છે.

વિમાન કેમ ઉડે છે તેના નિયમ વિજ્ઞાનનો વિદ્યાર્થી આસાનીથી કહી શકશે, પરંતુ આની બીજી બાજુ જોઈએ તો વિમાન બનાવવું તે અત્યંત કઠીન છે. બરાબર તેમ જ જ્યોતિષ સમજવું અતિ સહેલું અને તેને વ્યવહારમાં ઉતારવું અતિ જટિલ છે, બીજા શબ્દોમાં ગુરુગમ્ય છે. માત્ર સાચો ગુરુ જ અસલ જ્યોતિષનો રસ્તો બતાવી શકે.

થોડા દિવસ પહેલા મારે આવી જ એક અટપટી જન્મકુંડળીનો સામનો થયો,જન્મકુંડળીની વિગત: ૨૭.૦૮.૧૯૮૪, ૦૬:૫૫ સાંજે, જન્મસ્થળ: અમદાવાદ. જન્મકુંડળીમાં કુંભ લગ્ન છે. મંગળ, ગુરુ અને સૂર્ય સ્વગૃહી છે. શનિ ઉચ્ચસ્થ છે. શુક્ર કન્યા રાશિમાં નબળો છે. લગ્નરાશિ: કુંભ, ચોથે રાહુ, સાતમેસૂર્ય, બુધ અને ચંદ્ર, આઠમે શુક્ર, નવમેશાની, દસમેમંગળ અને કેતુ અને લાભ ભાવે ગુરુ. જન્મકુંડળીમાં આંખે ઉડીને વળગે એવી વાતકે ચાર મોટા ગ્રહો, સ્વગ્રહીકે ઉચ્ચસ્થ છે. જ્યોતિષના સામાન્ય અભ્યાસના નિયમો મુજબ તો જન્મકુંડળી શ્રેષ્ઠ જ કહેવાય. સ્વગૃહી ગ્રહો હમેશા શુભ ફળ આપે તેવું આપણે સૌ જાણીએ છીએ.

પહેલી નજરે સુંદર લાગતા ગ્રહોનું હવે પરિણામ જોઈએ. આટલા સુંદર ગ્રહો છતાં જાતક સામાન્ય જીવન જીવે છે, અને સામાન્ય કરતા વધુ તકલીફો તેમણે અનુભવી છે. દસમે મંગળ સ્વગૃહી હોવા છતાં કારકિર્દી હજી સામાન્ય નબળી છે. મંગળની દશામાં વિદેશ ગમન નિષ્ફળ રહ્યું છે. શનિ‘ઉચ્ચ’નો નવમે હોવા છતાં વિદેશ ગમન નિષ્ફળ રહ્યું. સાતમે સૂર્ય સ્વગૃહી છતાં લગ્ન ખુબ મોડે થયા, ૩૧માંવર્ષે લગ્ન થયા. અગિયારમે લાભ સ્થાનમાં ગુરુ સ્વગૃહી છે જે લગ્નેશ છે. જાતકની આવક સામાન્ય છે, ગુરુથી પ્રદર્શિત થાય તેવી કોઈ આવક નથી.

મેં જયારે જન્મકુંડળી અને જાતકને સરખાવ્યા તો આશ્ચર્ય થાય તે સહજ હતું, પરંતુ કોયડા જેવી આ કુંડળીનુંરહસ્ય, તેનો ઊંડાણથી અભ્યાસ કરતા તરત જણાઈ આવ્યું.

જન્મકુંડળીનો આધાર જન્મલગ્ન છે, અહી જન્મલગ્નને તપાસીએ તો જન્મલગ્ન પર, મારક, રોગેશ અને અનિષ્ટકારી મંગળની દ્રષ્ટિ છે. જે જન્મલગ્નને દુષિત કરે છે. મંગળની દશા નિષ્ફળ છે, તેનું કારણ મંગળ અહી તૃતીયેશ થઈને પાપગ્રહ છે, વળી મંગળ કેતુ સાથે યુતિમાં છે. મંગળ સ્વગૃહી થતા તેનું પાપગ્રહ તરીકેનું વર્ચસ્વ જાળવી રાખે છે. સ્થિર લગ્નમાં નવમ અને તૃતીય ભાવ બાધકનું કાર્ય કરે છે, મંગળ તૃતીય ભાવના અધિપતિ તરીકે પાપફળ આપે છે.

જન્મકુંડળીએ પ્રકાશપુંજ સમાન છે, તોગ્રહદશા આ પ્રકાશપુંજને માનવ સાથે જોડતો દૈવીતાર છે. મહાદાશાનાથનું ગોચર ભ્રમણ અને મહાદશાનાથની સ્થિતિ જાતકને સૌથી વધુ અસરકર્તા છે.

આ જન્મકુંડળીમાં જાતકની પ્રગતિના મહત્વના સમયે, ચંદ્ર, મંગળ અને રાહુની દશાઓ ચાલી. ચંદ્ર રોગેશ છે, મંગળ તૃતીયેશ પાપગ્રહ થયો, અને આવક માટેના મહત્વના સમય એટલે ૩૦માં વર્ષે રાહુની દશા આવી.

ઉચ્ચ કે સુખદાયી સ્વગૃહી ગ્રહોમાંનું કોઈ મહાદશામાં આવી શક્યું નથી. પરિણામે જીવનમાં સામાન્ય પ્રગતિ જ થઇ શકી. ઉલટાનું રાહુ મહાદશાનાથ તેશુક્રની રાશિમાં રહી,શુક્રનું ફળ આપે છે, શુક્ર નીચનો ૦ ડીગ્રીનો આઠમે છે, માટે રાહુની મહાદશામાં પણ કોઈ ચમત્કાર જ સારું પરિણામ આપી શકે તેવી સ્થિતિ છે. જાતકનું જીવન હજુ ઘણું શેષ રહ્યું છે, આશા રાખીએ કે આ ગ્રહો તેમને જીવનમાં પ્રગતિ આપે. પરંતુ સારી કુંડળી હોવા છતાં મહત્વના સમયે બળહીન ગ્રહોની મહાદશાએ જાતકનો મહત્વનો સમય પણ સામાન્ય કરી નાખ્યો છે, તે પણ હકીકત છે.

આમ, જન્મકુંડળી થકી ફળકથન કરતા સમયે જન્મના ગ્રહો સાથે વિશોત્તરી દશામાં તત્કાલીન કયો ગ્રહ મહાદશા અધિપતિ છે, તેનું મહત્વ જરાયે ઓછું ના આંકતા.વ્યક્તિ, ઘટનાઓ અને ગ્રહો જેવા દેખાય છે તેવા હોતા નથી એ સરળ વાત યાદ રાખજો.

 

 

બેમિસાલ સંબંધોની સફળતા અને નિષ્ફળતા જ્યોતિષની દ્રષ્ટિએ

$
0
0

જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ હોય છે, ત્યારે તેમનો સંબંધ ક્યારે કયો વળાંક લેશે તે કહેવું અશક્ય હોય છે, પરંતુ તે જરૂર કહી શકાય કે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધનો આધાર તેમના વિચારો અને રસના વિષયો પર નભે છે. જો બે વ્યક્તિઓ એકબીજાના રસના વિષયોને પોષક હોય તો તેમનો સંબંધ લાંબો ચાલે છે, જેમ કે દવાવાળો અને ડોક્ટર, પત્રકાર અને લેખક. જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ તર્ક સાચો પડે છે. બે કુંડળીઓ મેળવવી એ લગભગ વગર ચાખ્યે રસોઈ બનાવવા જેવું કામ છે, તમારો અનુભવ ગમે તેટલો હોય પણ બે કુંડળીઓ મળે છે કે તે જાહેર કરવું એ અઘરું કાર્ય છે જ.

અનેક પદ્ધતિથી વિદ્વાનો કુંડળી મિલન કરી શકે છે, માત્ર નક્ષત્રથી નક્ષત્ર જોઇને એટલે કે કન્યાનું જન્મ નક્ષત્ર અને વરનું જન્મ નક્ષત્ર મેળ ખાવા જોઈએ, આ વાત ધ્યાને લઈને પણ મિલન થાય. જો બંનેના નક્ષત્ર એકબીજા સાથે મેળ કરતા હશે તો પ્રચલિત પદ્ધતિ મુજબ ૩૬માંથી ૨૦થી વધુ ગુણાંક આવી ગયા તો લગ્ન માટે આગળ વધી શકાય, બીજી બધી આડવાતોની આમાં કોઈ શરત નથી. પશ્ચિમના વિદ્વાનો માને છે કે, બંને જાતકોની કુંડળીના તત્વો મેળ ખાવા જોઈએ. જેમ કે કોઈ એક જાતકની કુંડળીમાં મોટાભાગના ગ્રહો જળ તત્વના છે અને બીજા જાતકની કુંડળીમાં મોટાભાગના ગ્રહો અગ્નિતત્વના છે તો બંને વચ્ચે મેળ રહેવો અઘરો છે. શક્ય છે કે બંને જાતકો એકબીજાની વાતોમાં રસ ન લે અને પરિણામે એકબીજાની ચોઈસ પર મતભેદ થવા લાગે. માટે જળ તત્વને પૃથ્વી તત્વ સાથે અને અગ્નિ તત્વને વાયુ તત્વ સાથે મેળ કરવો વધુ ઉચિત ગણાય છે.

એક બીજી પદ્ધતિ પણ ખુબ પ્રચલિત છે જેમાં કન્યાના ગ્રહો પુરુષ જાતકની કુંડળીમાં રાશિવાર મૂકી દેવામાં આવે છે. એટલે કે કન્યાની કુંડળીમાં જો કર્કનો મંગળ હોય તો પુરુષ જાતકની કુંડળીમાં જ્યાં કર્ક રાશિ હશે ત્યાં મંગળ મૂકી દેવો, આમ કરતા બની શકે કે એક નો મંગળ, બીજાના શનિ કે રાહુ ઉપર પણ આવે. પુરુષ જાતકની કુંડળીમાં જ્યાં આ પ્રકારે સંબંધો રચાય છે ત્યાં બે વિરુદ્ધ ગ્રહોને લીધે જીવનના એ ભાગમાં તકલીફ થઇ શકે છે. આજ વાતને ઓર સાદી ભાષામાં લઈએ તો રાશિઓને પણ ધ્યાને લીધા વગર માત્ર એક કુંડળીના સ્થાન અનુસાર બધા ગ્રહો બીજી કુંડળીમાં મૂકી દેતા જ્યાં મિત્ર ગ્રહો ભેગા થાય છે ત્યાં સુખ અને શત્રુ ગ્રહો ભેગા થાય છે ત્યાં ઘર્ષણ અને તકલીફોનું સર્જન થાય છે. માત્ર ગ્રહોના સ્થાનને ધ્યાને લેશો તો પણ ચાલશે.

બે મિત્રોને વ્યવસાયમાં ભાગીદારી કરવી છે, એક મિત્રને દસમે સૂર્ય છે બીજા મિત્રને દસમે રાહુ છે, તમને લાગે છે કે તેમની જોડી આ વ્યવસાયના ક્ષેત્રમાં એક સરખા રસ સાથે આગળ વધી શકશે? બે મિત્રોના સંયોગે સૂર્ય અને રાહુ દસમ સ્થાનમાં યુત થયા. બંને કટ્ટર શત્રુ ગ્રહો બંને મિત્રોને વ્યવસાયમાં જુદી જુદી દિશા અને શક્તિ આપે છે, માટે બંનેનું સાથે રહેવું લગભગ શકય રહેતું નથી. તમારા બોસ અને તમારી કુંડળીને મેળવો અને જો તમારો સૂર્ય તમારા બોસના શનિ કે રાહુ પર આવે તો અથવા બોસનો સૂર્ય તમારા શનિ કે રાહુ પર આવે તો બંનેનો સંબંધ લાંબાગાળા માટે સચવાતો નથી. હંમેશા યાદ રાખજો કે બંને કુંડળીનું મિલન તમારા સંબંધનું તાલમેલ છે. ‘સંબંધ’નું ભવિષ્ય છે, તમારું પોતાનું ભવિષ્ય તો તમારી કુંડળી પર નભે છે. ‘સંબંધ’ બે કુંડળીના ગ્રહોના સંબંધો પર નભે છે. આજ પ્રમાણે, ચંદ્ર-કેતુ, મંગળ-કેતુ, બુધ-મંગળ, ચંદ્ર-શનિ ના એકબીજાની કુંડળીઓ સાથે સંબંધ તકલીફદાયી સંબંધ જયારે ગુરુ-ચંદ્ર, સૂર્ય-ચંદ્ર, સૂર્ય-મંગળ, ચંદ્ર-મંગળ, શુક્ર-શનિ ના એકબીજાની કુંડળીઓ સાથે સંબંધ બંનેની જોડીને સફળતા તરફ લઇ જાય છે.

નીરવ રંજન

 

રાહુનું રાશિ પરિવર્તન: મિથુનમાં પ્રવેશ સાથે બારેય રાશિઓનું ફળકથન

$
0
0

છાયાગ્રહ રાહુ મિથુન રાશિમાં તારીખ ૦૭ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રવેશ કરશે અને તેની બરાબર સામે છેડે રહેલ છાયાગ્રહ કેતુગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ કર્ક રાશિમાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી રહેશે, રાહુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ સુધી રહે છે. રાહુ ગ્રહ મનુષ્યના મસ્તકને અને ખાસ તો અહમને રજુ કરે છે. તમે જીવનમાં પોતાના રસના વિષયોમાં બદલાવ અને અન્ય લોકોનો તમારા પ્રત્યે અભિગમમાં બદલાવ આ સમય દરમ્યાન અનુભવો છો. રાહુએ વિસ્તરણનો ગ્રહ છે, ઘણીવાર રાહુના આ રાશિ પરિવર્તનને લીધે મનુષ્ય મોટા નિર્ણયો પણ લે છે. નિર્ણયો જો સાચા અને અભિમાન વગરના હોય તો બધું સવળું પડે છે. અહમને જો કાબુમાં રાખીએ તો રાહુ કાબુમાં રહે. નાડી શાસ્ત્રો અને વેદિક જ્યોતિષ પ્રમાણે રાહુ ગ્રહનું ગોચર લાંબા ગાળાની અસરો કરનારું હોય છે, મૂળભૂત રીતે રાહુએ પૂર્વ સંચિત કર્મને ઉજાગ્ર કરતો ગ્રહ છે, રાહુનું ગોચર ભ્રમણ જાતકના કાર્યક્ષેત્ર અને માનસિક અભિગમમાં લાંબાગાળાનો બદલાવ લાવનારું હોય છે.

રાહુના રાશિ પરિવર્તનને ધ્યાનમાં લઈને બારેય રાશિઓ પર રાહુનું રાશિ પરિવર્તન શું અસર કરશે તેનો ફળાદેશ નીચે આપેલ છે:

મેષ: મેષ રાશિના જાતકોને રાહુનું રાશિ પરિવર્તન મદદરૂપ થશે, સફળ થશો, આ સમય દરમ્યાન તમારા કાર્યોમાં અસાધારણ ગતિ અને તુરંત નિર્ણય લઇ શકાય. એક અનુભવ છે કે આ યોગમાં જે સ્વપ્ન આવે છે તે સૂચક હોય છે.

વૃષભ: બીજે ભાવે રાહુ તમને આર્થિક હરણફાળ આપવાના ઘણા મોકા આપી શકે. પરંતુ તમારે મનને કાબુમાં લાવીને કાયદા અને વ્યવસ્થામાં રહીને કાર્ય કરવાનું છે. સંતાન બાબતે વધુ ધ્યાન આપવું પડશે. કુટુંબમાં આજ્ઞા માનીને રહેવું.

મિથુન: આ રાશિમાં રાહુ પ્રવેશતા, આ રાશિના જાતકોને ‘અહમ’નો ટકરાવ અને પોતાની સામાજિક શાખને લગતા પ્રશ્ન સતાવી શકે. વ્યવસાયમાં તમે ત્રણ ગણા આગળ વધશો પરંતુ સંબંધોમાં તકલીફનો માહોલ રહી શકે. કાળા કપડા હિતાવહ નથી, ચાંદી લાભદાયક.

કર્ક: રાહુનું રાશિ પરિવર્તન તમને વધુ મોજશોખ અને ભૌતિક જીવન તરફ લઇ જઈ શકે. આ સમય દરમ્યાન વ્યસનથી દુર રહેવું. કોઈ પણ બિમારી હોય તો તેની પર વધુ ધ્યાન આપવું. બહેન અને દીકરીને ખુશ કરવા અને તેમને મદદ કરવી.

સિંહ: આર્થિક લાભના યોગો થશે. નોકરી કરતા હોવ તો જલ્દી જ પ્રગતિ થઇ શકે. કુટુંબ કે મિત્રો સાથે ઝગડો ખુબ નુકસાન આપી શકે. પિતાની તબિયત નરમ રહે તેવું બને. આર્થિક પ્રગતિ માટે શનિગ્રહની ચીજોનો ઉપયોગ અને અશક્તને મદદ કરવી.  

કન્યા: કન્યા રાશિના જાતકોને વ્યવસાયમાં ખુબ પ્રગતિ થઇ શકે. મોટા ખર્ચ આવી શકે પરંતુ તમારી પ્રગતિ માટે સહાયક રહે. પરિવારની સાથે રહેવાથી લાભ થાય. તડકામાં ખુલ્લા માથે ફરવું જોઈએ નહિ. રાહુની શુભ અસર માટે સફેદ ટોપી પહેરી શકાય.

તુલા: નવમે રાહુ, સંતાન વિષયક બાબતોને વધુ ધ્યાને લેવા કહે છે. ધાર્મિક આસ્થા હોવી અને પોતાના ગુરુનું શરણ હોવું તમને ખુબ ફાયદો આપી શકે. સોનાની ચીજો તમને લાભ આપે, સોનું ધારણ કરવું ફાયદો આપી શકે.

વૃશ્ચિક: અષ્ટમ રાહુ તમને માનસિક અને શારીરિક તકલીફો આપી શકે. વ્યર્થ ઝગડામાં પડવું તમને મોટી કિમતનું નુકસાન કરાવે. મહત્વની ચીજો ખોવાઈ જવી કે બેદરકારીને લીધે નુકસાન થઇ શકે. ઓશિકા નીચે વરીયાળી મુકીને સુવું, વરીયાળી જળપ્રવાહ કરી શકાય.

ધન: ધન રાશિના જાતકોને નોકરી અને લગ્ન બંને બાબતોમાં ઉતાર ચઢાવ આવી શકે. નોકરીમાં મન સતત હતાશા અનુભવે. નારીયેલ અથવા બદામને શનિવારે જળપ્રવાહ કરવી. લગ્ન બાબતે નિર્ણયમાં ખોટી ઉતાવળથી બચવું. નોકરી બદલાઈ શકે.

મકર: મકર રાશિના જાતકોને છઠે રાહુ, આર્થિક બાબતે મદદગાર સાબિત થશે. નોકરી કે વ્યવસાયમાં આર્થિક લાભ થઇ શકે. શત્રુઓ તમારા પ્રભાવને લીધે નિર્મૂળ થશે. સરસ્વતીદેવીની છબી પોતાની પાસે રાખવી લાભદાયી રહે. આર્થિક લાભ થઇ શકે.

કુંભ: પંચમ રાહુ પિતા ને કષ્ટ આપી શકે, શેર-સટ્ટા વગેરેમાં નુકસાનના યોગ આપી શકે. અભ્યાસમાં રુકાવટ અને ચિંતા આવે. માંસાહાર કે જીવહત્યા ખુબ નુકસાનદાયી થાય. પોતાન આશીર્વાદ લઈને નવા કાર્ય કરવાથી ખરાબ અસરોથી બચી શકાય.

મીન: ચતુર્થ ભાવે રાહુ તમને વાહન અને મકાન બાબતે તકલીફ આપી શકે. શરીર પર ચાંદી પહેરવી નહિ. કન્યાઓને લગ્ન બાબતે આર્થિક મદદ કરવી, સ્ત્રી વર્ગને માનસન્માન સાથે વર્તવું, રાહુ જનિત તકલીફ દુર કઈ શકે. વાહન બદલવા રાહ જોવી લાભદાયી.   

 


બિઝનેસનો સોદો-મુલાકાત સફળ હતી કે નહીં? જ્યોતિષીય પ્રકાશ…

$
0
0

પણે મોટે ભાગે જ્યોતિષને લગ્ન અને નોકરીના પ્રશ્નો પુરતું સીમિત કરી દીધું છે. જ્યોતિષીનો મહત્વનો સમય લગ્નના મુહુર્ત આપવામાંઅને મંગળ દોષના નિવારણમાં જ જાય છે. આધ્યાત્મિક ઉન્નતી કે શાંતિ કે પુણ્યકર્મ માટે કોઈ જ્યોતિષીને પ્રશ્ન કરતુ નથી.કોઈ જ્ઞાનીએ વર્ષો પહેલા કહ્યું હતું કે, કળિયુગમાંઘીવેચવા જવું પડશે અને મદિરા લોકો જાતે લેવા આવશે. જીવન કઈ રીતે જીવી શકાય? જીવનનો ઉદ્દેશ શું? જેવ ગંભીર પ્રશ્ન પણ જ્યોતિષની મદદથી ઉકેલી શકાય છે. માન્યામાં ન આવે પણ ગ્રહો મનુષ્યના જીવનની દિશા પણ બતાવે છે. તમારી કુંડળીના શનિ અને રાહુને જાણી લો તમને તમારા કર્મનો લગભગ સ્પષ્ટ ચિતાર મળી જ જશે. જ્યોતિષએ કલ્પવૃક્ષ સમાન છે, તમે ધારો તેમ તેમાંથી લાભ લઇ શકો, જ્યોતિષની મદદ વડે ધાર્યું તીર મારી શકાય. શરત એટલી કે તમને સ્પષ્ટ પ્રશ્ન કરતા આવડવું જોઈએ.

આપણે કોઈની મુલાકાત કરીને આવ્યા, તદ્દન નવી વ્યક્તિને મળ્યા, આ વ્યક્તિએ આપણને એક સારું બિઝનેસ પ્રપોઝલ આપ્યું છે. પ્રશ્નો અનેક છે. પહેલો પ્રશ્ન એ છે કે આ મુલાકાત લાભદાયક છે કે નહિ? શું આપણને લાભ થશે? આ પ્રશ્નના ઉકેલ માટે તમારે એ વ્યક્તિની જન્મકુંડળીની જરૂર નથી.માત્ર લાભનો જ વિચાર કરવો હોય તો તમારે મુલાકાતનો સમય લખી લેવો. આ સમયની કુંડળી મુકીને તેની પર વિચાર કરવો. જો તમારી મુલાકાત લાભદાયક હશે તો તે કુંડળીમાં તે સ્પષ્ટ થતું જ હશે. લાભેશ બળવાન બની શુભભાવોમાં હશે, સપ્તમ સ્થાનને કોઈ પાપગ્રહ જોતો ન હોય. લાભ ભાવ, ધન ભાવ અને નવમ ભાવનેનૈસર્ગિક શુભ ગ્રહો જોતા હોય તો મુલાકાત સફળ જાણજો.

પ્રશ્ન શાસ્ત્રનો નિયમ એ છે કે જાતે પ્રશ્ન ઉભો કરીને કુંડળી જોવી નહિ. ગ્રહોનું દરેક ચીજો અને માનવીના મન અને કર્મ સુધી આધિપત્ય હોય છે. જયારેગ્રહજનિતસંજોગ ઉભા થાય અને પ્રશ્ન સામાન્ય બુદ્ધિ વડે સમજી ના શકાય ત્યારે આ પવિત્ર શાસ્ત્રનો ઉપયોગ કરવો. સંજોગ ઉભા થયા, બે મિત્રોએ આવીને પ્રશ્ન કર્યો અથવા આપણને સામેથી સમાચાર મળ્યા તો જ પ્રશ્ન મહદઅંશે સાચો જગણાશે. ખોટા વિચારો અને માત્ર કલ્પનાને આધારે પ્રશ્ન બનાવીને પ્રશ્ન કુંડળી જોવીએ પાપમાં પડવા બરાબર છે.

જેમ કે, કોઈના રોગનો ગંભીર પ્રશ્ન તમારી પાસે આવ્યો. જે સમયે આ પ્રશ્ન આવ્યો તે સમય નોંધી લો. આ પ્રશ્ન કુંડળી દ્વારા આગળની ઘટના પર પ્રકાશ પાડી શકાશે.ઘણા લોકો માને છે કે પ્રશ્ન કુંડળીના નિયમો અલગ છે અને મોટેભાગે નિયમો સ્પષ્ટ નથી. તેનો સહેલો ઉપાય એ છે કે તમારે પ્રશ્નકુંડળીને જન્મકુંડળીની જેમ સાદા નિયમો વડેજજોવી. વૈદિક જ્યોતિષના નિયમો કોઈ પણ કુંડળીમાં લાગુ પાડી જ શકાય. ઉદાહરણ તરીકે પ્રવાસનો પ્રશ્ન છે, પ્રશ્ન કુંડળીમાં નવમો ભાવ જુઓ, તેનામાલિકની સ્થિતિ જુઓ, નવમ ભાવમાં કયો ગ્રહ છે, તેની પર કયા બીજા ગ્રહોની દ્રષ્ટિ છે? આટલું નોંધી લો. ત્યારબાદ વિશોત્તરી દશા જુઓ કયા ગ્રહની મહાદશા ચાલે છે અને અંતરદશા કયા ગ્રહની છે.મહાદશા અને અંતરદશાના ગ્રહો કુંડળીમાં કેવી સ્થિતિમાં છે તે નવમ ભાવ સાથે કેવી રીતે સંકળાયેલ છે? આ આછી રૂપરેખામાં અડધા રસ્તે જ તમને સ્પષ્ટ થઇ જશે કે પ્રવાસના યોગો બને છે કે નહિ.

ક્યારે પણ તમને સંજોગ અનુસાર પ્રશ્નોનો સામનો કરવો પડે તો તે ઘટનાનો સમય નોંધી લો અને તેની પ્રશ્ન કુંડળી બનાવી જવાબ મેળવવા પ્રયત્ન કરો. જીવન દરમ્યાન આપણે સેંકડો પ્રશ્નોનો સામનો કરીએ છીએ, જન્મકુંડળીમાં ખુબ જ ઊંડાણ છે તેમાં તલસ્પર્શી અભ્યાસ જરૂરી છે. પણનાની મોટી ઘટનાઓના પ્રશ્નો તો પ્રશ્નકુંડળી વડે સરળતાથી ઉકેલી શકાય છે.

સંબંધોનું જ્યોતિષ: ગ્રહોની ગુરુચાવી

$
0
0

કાશના ગ્રહો મહત્વના છે પરંતુ આ ગ્રહો જીવનમાં અનેક રૂપે આપણી આસપાસ પણ છે જ. જેમ કે, ચંદ્રએ માતા સ્વરૂપે જીવનમાં હોય છે. માતાપોતાના બાળકને રાત્રે વહાલથી શરણ આપે છે, ચંદ્રનીચાંદનીમાં પણ સમગ્ર સૃષ્ટિ શાંતિ અનુભવતા નિંદ્રા માણે છે. સૃષ્ટિની માતા ચંદ્ર છે. જયારે પિતા સૂર્ય સમાન છે. પિતાની જેમ જ સૂર્ય પણ શિસ્ત અને અનુશાસનમાં માને છે. નોકરી કરતા હોવ તો તમારા ઉપરી અધિકારીનો કારક ગ્રહ પણ સૂર્ય જ છે. મોટોભાઈ શનિ ગ્રહ સમાન અને નાનો ભાઈ હોય તો મંગળ ગ્રહ સમાન કહેવાશે. તે સિવાય પ્રચલિત મત મુજબ નોકર કે તમને સહાય કરનાર નીચેના કાર્યકરો શનિ ગ્રહને રજુ કરે છે.મંગળ એટલે શરીર પણ કહેવાશે. સ્ત્રીઓ માટે મંગળ ગ્રહ એટલે તેમનો પતિ. નાડી શાસ્ત્રો મુજબ પતિનો કારક ગ્રહ મંગળ છે. બહેન હશે તો બુધ તેનો કારક ગણાશે. મિત્રો અને વિજાતીય મિત્રોનો કારક ગ્રહ પણ બુધ કહી શકાય.

પત્નીનો કારક શુક્ર ગ્રહ છે. ભાર્યાનું સુખ હોતા જીવનમાં આનંદ અને સંતોષનો અનુભવ થાય છે. શુક્ર ગ્રહના હોય તો સૃષ્ટિમાં સૌન્દર્ય, કળા અને રસના વિષયો રહે જ નહિ. માત્ર કર્મો અને પશ્ચાતાપ જ રહે. પત્નીના સુખ થકી મનુષ્યને સંસારમાંપ્રીત આવે છે. લાલ કિતાબ અનુસાર પુત્રનો કારક કેતુ ગ્રહ છે. કેતુ ગુરુ શરણ હશે તો સંતાન બાબતે ખુબ સુખ અનુભવાય છે. રાહુ એટલે મનુષ્યનો પોતાનો અહમ અને સ્વાર્થ.અહમ અને સ્વાર્થ કાબુમાં કરો એટલે રાહુ કાબુમાં રાખ્યા બરાબર છે. સત્તાને પણ અહમ સાથે જ ટકરાવ હોય છે, બીજા અર્થમાં સત્તા એટલે સૂર્ય અને રાહુ એટલે અહમ. જીવન દરમ્યાન સાચો રસ્તો દેખાડનાર આપણા ગુરુજનોએ ગુરુનું જ સ્વરૂપ ગણાશે. ગુરુની કૃપા વગર કોઈ મનુષ્ય સફળ બની શકતો નથી.

આપણે જોયું કે મનુષ્યના સંસારમાં જ ગ્રહો સાક્ષાત હાજર જ છે. આપણે સતત પૂજા અને વિધિ વિધાન કરીએ છીએ. પરંતુ ગ્રહોની કૃપા મેળવવી હોય તો ઉપર જણાવેલ ગ્રહોના સીધા મૂકામ કાયમ હાજર જ છે. તમે તેમની સાથે કામ લેતા શીખી જશો તો કોઈ ગ્રહ તમને નહિ નડે. બીજા અર્થમાં તમારા સંબંધોએ ગ્રહોનું પ્રતિબિંબ છે. પત્ની સાથે અણબનાવ હોય તો શુક્ર ગ્રહની તકલીફ સમજી શકાય. પિતા જોડે મતભેદ હોય તો સૂર્યની તકલીફ ગણી શકાય. શરીરમાં મોટો રોગ આવી પડે તો મંગળની તકલીફ ગણી શકાય.

બીજા અર્થમાં તમે જયારે જાણતા હોવ કે કયો ગ્રહ કુંડળીમાં નબળો છે અથવા તકલીફદાયી છે તો તે ગ્રહ સૂચિત વ્યક્તિની સાથે ક્યારેય સંબંધ ના બગાડશો. જેમ કે શુક્ર નબળો હોય તો પત્નીને હંમેશા ખુશ રાખવાથી શુક્ર ગ્રહની કૃપા મળે છે. શુક્ર નડતો નથી અને વાહન અને મકાનના સુખ પ્રાપ્ત થાય છે. કારણ કે મકાન અને વાહનના સુખનો કારક પણ શુક્ર ગ્રહ જ છે. માત્ર પત્નીના ગ્રહોના જોરે જ સફળ થયા હોય તેવા એક ભાઈથી હું સુપરિચિત છું, તેમની કુંડળી તો અઠંગ યોગીની કુંડળી છે પરંતુ આ ભાઈને પત્ની સાક્ષાત લક્ષ્મી સમાનમળી છે. જેના પરિણામે આ ભાઈ પાસે નોકર, ગાડી અને વૈભવી મકાન બધું જ છે. અનેકવાર કુંડળીના અભ્યાસ, તારણો બાદ આ ભાઈ પણ પોતે પોતાની પત્નીની ખુબ જ કાળજી લે છે.

માતાનું સુખ સાચવી લઈએ તો ચંદ્રનાં આશીર્વાદ મળે. માતા પાસે જતા જ મન શાંત થઇ જાય છે, કારણ કે મનનો કારક ચંદ્ર-માં છે અને માતાનો કારક પણ ચંદ્રમાં છે.માતાની જેઓએ સેવા કરી હોય તેને આજીવન સારું ભોજન પ્રાપ્ત થાય છે, તેને ઘર અને જમીન અક્ષય રહે છે. તેને બધા જ સંબંધો સારા જ હોય છે. તે ક્યારેય અસુરક્ષિત નથી હોતો. ઉલટું માં સાથે સંબંધ બગાડનાર એટલે કે પોતાનો ચંદ્ર નષ્ટ કરનાર મનુષ્યને ડાયાબીટીસ જેવા ખોરાક સંબંધી રોગ થવાની સંભાવના રહે છે. પેશાબની તકલીફ રહે છે. કારણ કે આ રોગોનો કારક પણ ચંદ્રમાં છે. પોતાની કુંડળીના ચંદ્રને પોતાના કર્મો વડે નષ્ટ કરનારને ક્યારેય રાહતવાળી નિંદ્રા મળતી નથી.માટે ગ્રહો સાચવવા હોય તો ઉપર જણાવેલા સંબંધીઓ સાચવી લો, ગ્રહોકૃપા વરસાવશે જ.

નીરવ રંજન

રત્નો-ઉપરત્નોની શક્તિઓનું રહસ્ય બતાવતો પ્રયોગ

$
0
0

નુષ્યના જીવનની શરૂઆત નાભિમાં પ્રાણ આવવાથી થાય છે. તેનું શરીર પાંચ મહાભૂતનું બનેલું છે. પરંતુ શરીરને માત્ર આ વાયુ, આકાશ, પૃથ્વી, અગ્નિ અને જળ જ ચલાવે છે તેવું નથી. ખરેખર તો પાંચ મહાભૂત બાકીના અદ્રશ્ય કારણોને ચલાવવાનું માધ્યમ છે. ખરી દુનિયા તો આપાંચ મહાભૂતની પાછળ ચાલ્યા કરે છે. બ્રહ્માંડીય શરીર, ભાવનાત્મક શરીર, માનસિક શરીર, આધ્યાત્મિક શરીર પણ આ શરીર સાથે જોડાયેલા રહે છે. મનુષ્યના મન, આત્મા અને શરીરને અદ્રશ્ય ઊર્જાઓ ચલાવતી રહે છે. તેનું ભાવનાત્મક શરીર પણ વધારો ઘટાડો અનુભવે છે, તે સાથે આધ્યાત્મિક શરીર એટલે કે આધ્યાત્મિક દુનિયાની તેની ઓળખ પણ વધતી ઘટતી રહે છે. માનસિક અને ભાવનાત્મક શરીરને લીધે તો મનુષ્ય રોગમાંથી બચી શકે છે અથવા રોગોથી મુકત પણ થાય છે.

આ અદ્રશ્ય શારીરિક ઊર્જા તેના ભૌતિક શરીરનું ભવિષ્ય નિર્માણ કરે છે. ખૂબી એ છે કે માનસિક અને ભાવનાત્મક શરીર ક્યારેક ભૌતિક શરીરની પણ ઉપર હોય છે, એટલે કે ભૌતિક શરીર કરતા માનસિક આવેગ અને લાગણીઓ મનુષ્યને વધુ અસર કરે છે. આ બધી ઊર્જાઓ અને મનુષ્યના શરીરના આ પરિમાણસૂર્ય અથવા તો ઉન્નત વૈશ્વિક ઊર્જા સાથે સીધા સંબંધમાં છે. જ્યોતિષમાંજેમ સ્ટોન્સના જે સુચન થયા છે, તે જેમસ્ટોન્સ બિલકુલ આ ઊર્જાઓ સાથે તાલમેલ કરીને મનુષ્યનાબ્રહ્માંડીય શરીર, ભાવનાત્મક શરીર, માનસિક શરીર, આધ્યાત્મિક શરીર અને ચેતનામાં પણ ફેરફાર કરી શકે છે. હાલમાં હું એક સંશોધન વાંચી રહ્યો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે પૂર્વના એક દેશમાં રેલવે સ્ટેશન પર હવે વાદળી રંગનો પ્રકાશ બધી લાઈટ્સમાં મુકવામાં આવ્યો છે, ત્યાં રેલ્વે સ્ટેશન પર આ વાદળી રંગનો પ્રકાશ કરવાથી લોકોના મન અને શરીરને આરામનો અનુભવ થવા લાગ્યો છે. મુસાફરોને માનસિક તાણ અને થાકથી આ વાદળી પ્રકાશ રાહત આપે છે.

જેમ કે, કેટલાક સેમી-પ્રેશિયસ જેમસ્ટોન્સ, પણ જીવનમાં કમાલની અસરો કરે છે. રોસ ક્વાર્ટ્ઝ તમારામાં પ્રેમની ઊર્જા વધારે છે. લાપીસ લાઝુલી તમારામાં કૌશલ્ય અને બુદ્ધિનો વિકાસ કરે છે. ટાઈગર આઈનો સ્ટોન તમને શક્તિ અને લડત કરવા માટે ઉત્સાહ આપે છે. પેરીડોટ તમારા શરીરમાં આરામ અને શારીરિક ઊર્જામાં વધારો કરે છે, વધુ કાર્યક્ષમતા આવે છે. સીટ્રાઈન સફળતા અને વ્યવસાયિક સાહસની પ્રેરણા આપે છે. તકલીફોથી ત્રસ્ત અને આશા ગુમાવેલ લોકોના જીવનમાં ગાર્નેટનો સ્ટોન મહત્વનો છે. ગાર્નેટ જીવનમાં આશા અને પ્રાણ ફૂંકે છે, જે લોકો સામાજિક અને આર્થિક બાબતોથી પણ તંગ આવી ગયા હોય છે, તેમને ગાર્નેટ પહેરવાથી આશા અને ધીરજ આવી જજાય છે. ભાગ્યવર્ધક એવો નાનો પણ જવલ્લે મળતો કાર્નેલીયન, જીવનમાંતમને વધુ વિશ્વાસ આપે છે. આસ્ટોન્સ માટે તમારે કોઈ વધુ જ્ઞાનની જરૂર નથી. થોડી જાણકારી સાથે પણ આ સ્ટોન્સ અને જેમ્સ તમે પહેરી શકો છો. જાણકારોએ સદીઓથી આ જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. આજે આ વિદ્યા દુર્લભ થવા લાગી છે.

તમે જેમસ્ટોન્સની ઊર્જામાં વધારો પણ કરી શકો છો. બધા સ્ટોન્સ અને જેમ્સની ઊર્જાનો અખંડ સ્રોત સૂર્ય છે. પ્રીઝમ સૂર્યના પ્રકાશને સાત અલગ વર્ણમાં વહેંચે છે. તમારે આ સૂર્ય પ્રકાશને સવારના સમયે જયારે સૂર્યના કિરણો બિલકુલ ત્રાંસા હોય ત્યારે પ્રીઝમની મદદથી તેનો એક વર્ણપટ કરવાનો છે. સાત વર્ણોને એક લાકડાના પાત્ર પર ઝીલવાના છે. આ વર્ણપટમાં તમારે તમારા જેમસ્ટોનનો જે રંગ હોય તે જ રંગના વર્ણમાં તે જેમસ્ટોનને મુકવાનો છે. આમ રોજે આ જેમસ્ટોનને તેના જ રંગની ઊર્જા સૂર્યમાંથી આપવાથી તેમાં અનેકગણો વાઈબ્રંસ અને પ્રાણિક શક્તિનો સંચાર થાય છે. તેજેમસ્ટોનની ઊર્જા કાળક્રમે ખૂબ જ વધી જાય છે. આ પ્રયોગ આજ સુધી ખૂબ જ ગુપ્ત રહ્યો છે, પરંતુ તમે આ પ્રયોગથી કોસ્મિક ઊર્જાનો સીધો અનુભવ તમારા જીવનમાં કરી શકશો. આ અનુભવની વાત છે, અનુભવે જ તમે જાણી શકો. તમારા આ બાબતે અનુભવ મને મોકલવાનું ભૂલતા નહીં.

ભારતદેશના યુદ્ધ અને ગ્રહોના સંજોગ એકનજરે

$
0
0

ભારત જયારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, ત્યારે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭એ આઝાદીની પળે વૃષભ લગ્ન હતું. આ વૃષભ લગ્નમાં અનેક યોગો થાય છે. જ્યોતિષની ભાષામાં વૃષભ લગ્નને ખુબ જ નસીબવંતુ કહેવાય છે, ગુરુ-ચંદ્રને છોડીને બાકીના બધા ગ્રહો યોગ આપે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે મોટા ભાગના ગ્રહો જળ તત્વમાં બિરાજમાન હતા, મોટા ભાગના ગ્રહો ચર રાશિઓમાં હતા. માટે આ દેશમાં લાગણી, શ્રદ્ધા અને અન્યને આશ્રય આપવાની વાત હંમેશા રહી છે. આ દેશ ભાવનાત્મક અને લાગણીશીલ દેશ રહ્યો છે.

અત્યાર સુધીમાં મોટા યુદ્ધ ગણીએ તો ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું, ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. ૧૯૭૧માં બાંગ્લાદેશનું સર્જન થયું, ભારત આ સમયે પણ યુદ્ધમાં ઉતર્યું. ૧૯૯૯માં કારગીલનું યુદ્ધ થયું.

૧૯૬૨ના યુદ્ધમાં ભારતની કુંડળી મુજબ (બધે પુષ્યપક્ષ અયનાંશ અને વિશોત્તરી દશા), શનિમહા દશામાં ગુરુની અંતરદશા હતી. ગુરુ અગાઉ જણાવ્યું તેમ ભારતની કુંડળી માટે શુભ નથી રહેતો. ૧૯૬૨ના યુદ્ધમાં પડોશી ભાવ કે તૃતિય ભાવમાં મંગળ અને રાહુની યુતિ થવાની હતી. તૃતિય ભાવમાં શુક્ર, બુધ, સૂર્ય, શનિ અને ચંદ્ર બિરાજમાન છે. આ જ ભાવમાં મંગળ અને રાહુની યુતિ થઇ, જેણે દેશને પડોશીથી સંકટ આપ્યું.

૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે બુધની મહાદશામાં બુધની અંતરદશા હતી. બુધ પડોશી ભાવ કે તૃતિય ભાવમાં બિરાજમાન છે. બુધને લીધે ફરીવાર પડોશી દેશનું સંકટ ઉભું થયું હતું. ઓક્ટોબર ૧૯૬૫ની આસપાસ મંગળ અને કેતુ સપ્તમ ભાવમાં યુત થયાં હતાં. દેશની કુંડળીમાં લગ્નભાવે રાહુ પસાર થઇ રહ્યો હતો. બુધ કર્ક રાશિમાં ફળદાયી રહેતો નથી. ૧૯૭૧ના યુદ્ધમાં બુધ મહાદશામાં ચંદ્રની અંતરદશા આવી હતી. એપ્રિલ ૧૯૭૧ની આસપાસ સપ્તમ ભાવમાં ગુરુ અને મંગળ હતા. સપ્તમ ભાવમાં ગુરુ આ કુંડળીમાં જે શુભ નથી તેના લીધે યુદ્ધની શક્યતાઓ બની ચુકી હતી, દસમે રાહુનું ભ્રમણ ચાલી રહ્યું હતું. જે મંગળની દ્રષ્ટિમાં આવી રહ્યો હતો. આમ ૧૯૭૧ના યુદ્ધ સમયે દશા પ્રમાણે ચંદ્ર અને બુધનો મોટો ભાગ રહ્યો.ચંદ્ર દેશની કુંડળી મુજબ શુભ રહેતો નથી.

શુક્રની મહાદશા ૧૯૮૮ની શરૂઆતે આવી, ૨૦૦૮સુધી આ દશા લગ્નેશની દશા હતી. લગ્નેશની દશા હંમેશા શુભ હોય છે. શુક્રની મહાદશામાં દેશમાં નોંધનીય પ્રગતિ થઇ છે. દેશ અને દેશના બજારો આર્થિક હરણફાળ ભરવા લાગ્યા હતા. શુક્રમાં શનિની અંતરદશામાં ૨૦૦૦થી ૨૦૦૪સુધીમાં દેશમાં મોટા આર્થિક નિર્ણયો લેવાયા, સમય અને સંજોગ પણ બળવાન હતા. તેના પહેલા મે-જુલાઈ ૧૯૯૯માં બે મહિના સુધી કારગીલમાં યુદ્ધ ચાલ્યું, આ સમયે ફરી ગુરુની અંતરદશા આવી હતી. શુક્રની મહાદશામાં ગુરુની અંતરદશાએ દેશમાં થોડો સમય મુશ્કેલ વધારી હતી. શુક્ર મહાદશાનાથ બળવાન રહેતા, કારગીલનું યુદ્ધ ભારતે જીત્યું. કારગીલના યુદ્ધસમયે પણ રાહુ ત્રીજે પસાર થઇ રહ્યો હતો. મંગળ છઠે અને સામે શનિ અને સૂર્યની યુતિ બારમાં ભાવે દેશની કુંડળીમાં થયા હતા. પણ આ સમયે શુક્ર લગ્નમાં હતો બળવાન હતો, દેશને આ યુદ્ધમાં સફળતા મળી હતી.

અત્યારે ચંદ્રની મહાદશામાં શનિની અંતરદશા ચાલે છે, શનિ ત્રીજા ભાવ સાથે ખુબ બળવાન બનીને જોડાયેલ છે. શનિ પોતે પોતાના નવાંશમાં છે,ત્રીજે ચંદ્ર શનિના નક્ષત્રમાં છે, ત્રીજે બુધ શનિના નક્ષત્રમાં છે, ત્રીજે શુક્ર શનિના નવાંશમાં છે. શનિ પોતે પણ આ કુંડળીમાં યોગકર્તા છે. શનિની અંતરદશા નવેમ્બર ૧૯ સુધી રહેશે. ગુરુ સપ્તમ ભાવે છે, તે શનિ સાથે અષ્ટમ ભાવે જશે, પછીવક્રી થશે. કશ્મકશભર્યા આ માહોલમાં શનિદેવની કૃપા જરૂરથી થશે. શનિએ ધીમે પણ મક્કમતાથી લડતો ગ્રહ છે, કુટનીતિ અને દાવપેચનો ગ્રહ છે. શનિમાં દુશ્મનને કર્મજનિત તકલીફ અને પ્રપંચ સાથે નષ્ટ કરવાની તાકાત છે. પડદા પાછળ દુશ્મનને યુદ્ધ વગર સમાપ્ત કરવાની શક્તિ શનિદેવમાં છે. શનિ અષ્ટમ ભાવે છે, માટે દેશ ભારે હ્રદયે આ ટકરાવને અંજામ આપી શકશે. મે ૧૯માં જયારે મંગળ અને રાહુ દ્વિતીય ભાવે યુત થશે, ત્યારે દેશના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નોંધપાત્ર ઘટનાઓ થઇ શકે. અંતે આ બધુ શનિદેવની સદકૃપા જ હશે. દેશ અખંડઅજેય છે અને રહેશે.

નીરવ રંજન

લગ્ન મોડે થવામાં જાતકનો સ્વભાવ મહત્વનો, જાણો રાશિઓની ખાસિયતો

$
0
0

મારી રાશિ તમારા વિષે બિલકુલ સાચું ચિત્ર રજૂ કરે છે. પશ્ચિમના જ્યોતિષી સૂર્યની રાશિને મહત્વની ગણે છે, જયારે ભારતીય જ્યોતિષીઓ ચંદ્રની રાશિને મહત્વની ગણે છે. ચંદ્રએ મનને રજૂ કરે છે, આત્મા (સૂર્ય) પોતે કોઈ કાર્યમાં જોડતો નથી, એટલે કે તેનું કર્મની દુનિયા પર કોઈ સીધુ મહત્વ રહેતું નથી. જયારે મન એ દરેક કાર્યનું બીજ હોય છે, માટે જ ચંદ્રની રાશિને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

જ્યોતિષના પ્રશ્નોમાં સૌથી જટિલ પ્રશ્ન લગ્નજીવનનો હોય છે. લગ્ન મોડા થવા, લગ્ન પછી મનમેળ ન રહેવો, લગ્ન બાદ એકબીજા પર વિશ્વાસનો અભાવ વગેરે અનેક પ્રશ્નો જ્યોતિષ પાસે આવે છે. લગ્નના થવાના અનેક સંજોગ અને કારણ હોઈ શકે. પરંતુ લગભગ બધાનું માનવું છે કે સૌથી મહત્વનું કારણ તો માણસ પોતે જ હોય છે. જે લોકો લગ્નજીવનને મહત્વ નથી આપતા તેમના જીવનમાં લગ્ન વિષયક સમસ્યા સર્જાય તેમાં નવું શું છે? માણસ પોતે લગ્નના સુખ દુઃખના કેન્દ્રમાં હોય છે, પોતાના કાર્ય માટે જવાબદાર હોય છે. તેનો સ્વભાવ અને અભિગમ આ બધી બાબતોને ચલાવે છે. સંસ્કાર તેના પાયામાં હોય છે, પરંતુ સ્વભાવ અને પોતાની પ્રકૃતિ આગળ મનુષ્ય પણ નિર્બળ બની જાય છે.

દરેક રાશિની પોતાની ખાસિયતો છે. કોઈ રાશિ ચડિયાતી કે કોઈ રાશિ ઉતરતી નથી, માત્ર તેમના અભિગમ અને સ્વભાવ જુદા છે. આ સ્વભાવ જો વધુ પડતા વિકાસ પામે તો તેમના લગ્નજીવન મોડાં શરુ થાય છે અથવા લગ્ન બાબતે નિર્ણય લેવામાં તકલીફ પડે છે. રાશિઓ મુજબ તેમના ગુણ-દોષ જે લગ્ન બાબતે નિર્ણયમાં વિલંબ આપી શકે:

મેષ: અસાધારણ અપેક્ષાઓ અને બિનજરૂરી સરખામણીઓ, સ્પર્ધાત્મક સ્વભાવ, સીધું કહેવાનો સ્વભાવ,પ્રેમ અને લાગણીનો અસ્વીકાર.

વૃષભ: આર્થિક અને ભૌતિક સુખોની વધુ અપેક્ષાઓ, બદલાવ અથવા નવી બાબતોનો અસ્વીકાર, જડતા આવી જવી, પોતાની ચોઈસ જ મહત્વની હોય.

મિથુન: બંને બાજુ લાભ લેવાની આશા, સ્પષ્ટ નિર્ણય કે જવાબદારી લેવી નહીં,લગ્નની બધી બાબતોને એકસાથે લઈને ચાલવું, હકીકત કરતા ચર્ચાને વધુ મહત્વ આપવું.

કર્ક: અમર્યાદિત લાગણીઓ અને પ્રેમની ખોટી કલ્પનાઓ, આર્થિક અને સામાજિક બાબતોને ઓછું મહત્વ, ખોટું પણ લાગણીશીલ પાત્ર પણ ગમે.

સિંહ: ગર્વ અને વધુ પડતો આત્મવિશ્વાસ, પોતાના વિષે ઊંચો અભિપ્રાય, સામેનું પાત્ર ઓછું મહત્વનું ગણવું, ભાગીદારીનો અભાવ.

કન્યા: બીજાની ભૂલો પહેલાં જોવી, નાની બાબતોને મોટી કરતાં રહેવું, સંબંધોમાં ગણતરી મૂકવી, વધુ પડતી ચીવટ રાખવી.

તુલા: સતત બદલાતી માન્યતાઓ, પોતાના અભિગમમાં સતત ફેરફાર થવો, અનેક પાત્રો સાથે મનમેળ થવો, આર્થિક બાબતો વચ્ચે આવવી.

વૃશ્ચિક: પોતાની લાગણીઓ અને માન્યતાઓ સ્પષ્ટ ન હોવી, પોતાને સ્પષ્ટ રીતે રજૂ ન કરી શકવું, અન્ય ઉપર વિશ્વાસનો અભાવ.

ધન: વધુ પડતું સાહસ અને મોટા લક્ષ્યાંક સાથે ચાલવું, લગ્નની ઝીણવટભરી બાબતો અને સંબંધોની લાગણીશીલ બાજુને ન જોવી.

મકર: લગ્નને સામાજિક હોદ્દા સાથે જોડવું, સ્ટેટ્સ અને લોકો શું કહેશે? તેની ઉપર વધુ ધ્યાન આપવું. પાત્ર કરતાં સ્ટેટ્સ મહત્વનું રાખવું.

કુંભ: અન્ય લોકો ન સમજી શકે તે હદનું માનસિક અને બૌદ્ધિક સ્તર, લગ્નને બૌધિક સ્તર અને તર્કની દ્રષ્ટિ પર મુકવા, લાગણીનો અભાવ આવવો.

મીન: પોતાનામાં જવાબદારીનો અભાવ, અન્ય લોકોનો વિશ્વાસ જીતવામાં વિલંબ, લગ્નજીવનની ગંભીર બાબતોમાં રસ ન લેવો. 

 

ઉપર જણાવેલ બાબતો પર ધ્યાન આપીને તેને પોતાના અભિગમમાં ફેરફાર સાથે લેવાથી, લગ્ન બાબતે જે તે રાશિના જાતકોને મદદ થઇ શકે. કોઈ બે કુંડળીઓ ૧૦૦ ટકા મેળ ખાતી નથી. એકબીજાના સ્વભાવને સમજીને જીવન જીવવાથી લગ્નજીવન સફળ બનશે, તેમાં શંકા રાખવા જેવું નથી. પ્રેમ એટલે કોઈ ફેન્ટેસી નહીં પરંતુ એકબીજા માટે ખરી સમજણ હોવી અને એકબીજા માટે સન્માન અને દરકાર હોવી, તેનું નામ જ પ્રેમ છે.

વિચારપુષ્પ: લગ્ન કાગળ ઉપર થતાં હશે પરંતુ સાચાં લગ્ન વિશ્વાસ, સન્માન અને સમજણ પર થાય છે.

દિન અને માસના શુભાશુભ જાણવાની વિસરાઈ ગયેલી સચોટ નક્ષત્ર પદ્ધતિ

$
0
0

જ્યોતિષની મૂળ પદ્ધતિ જે ભારતમાં વિકાસ પામી હતી તે નક્ષત્ર આધારિત જ્યોતિષ પદ્ધતિ હતી. રાશિઓનું ચલણ બાદમાં આવ્યું હતું. જ્યોતિષના જૂના ગ્રંથોમાં તથા જ્યોતિષના જાણકાર મૂળ લેખકો નક્ષત્રને ખૂબ મહત્વ આપતા હતા. જન્મ સમયે ચંદ્રનું નક્ષત્ર અને સૂર્યનું નક્ષત્ર આ બંને નક્ષત્રો ખૂબ જ મહત્વના નક્ષત્ર ગણાય છે. નક્ષત્રનો ઉપયોગ તો ભારતીય જ્યોતિષની સૌથી મોટી ખૂબી છે.

જો તમે કોઈ દિવસે મહત્વનું કાર્ય કરવા જઈ રહ્યા હોવ તો તે દિવસની શુભાશુભ ગણતરી કઈ રીતે કરવી? પરંપરાગત જ્યોતિષમાં તો દશા અને અંતરદશાઓ છે જેની અવધિ પ્રમાણમાં ખૂબ લાંબી છે. દિવસપૂરતા શુભ કે અશુભ ગ્રહો કઈ રીતે જાણવા તે દરેક માટે એક પ્રશ્ન છે.દશા અને અંતરદશાઓ પ્રમાણમાં મોટી અસરો અને જીવનની દિશા મોટા પ્રમાણમાં બદલે છે, અર્થાત દશાઓની અસર લગભગ દરેક ક્ષેત્રને આવરી લે છે, પણ મનુષ્યનો રોજીંદો વ્યવહાર અને તેમાં ઉતાર ચઢાવ થાય છે તેનું માપ કે પ્રમાણ દશાઓની મદદથી કાઢવું લગભગ કલિષ્ટ કાર્ય જ છે.

રોજબરોજની ઘટનાઓ જેમ કે કોઈ મુલાકાતનો સમય, તબિયત બગડવી, યાત્રા કરવી, નાણાકીય વ્યવહાર વગેરે બાબતો ક્યારે શુભ અને ક્યારે અશુભ રહેશે, તેનું માપ ચંદ્ર અને સૂર્યના ભ્રમણ પરથી કાઢી શકાય છે. તમે અનુભવ કરશો તો આ પદ્ધતિ ખૂબ જ સરળ છતાં સચોટ પરિણામ આપનારી છે.

તમારા જન્મ સમયનું ચંદ્રનક્ષત્ર નોંધી લો,જન્મ સમયનું ચંદ્રનક્ષત્રએ તમારા દૈનિક કાર્યોનું સંદર્ભ બિંદુ છે. બધું શુભાશુભ આ બિંદુને આધારે જ ચાલે છે. બધા ગ્રહોના શુભાશુભ પરિણામો પણ આ બિંદુને આધારે જ નક્કી થશે. જાણીને નવાઈ લાગશે પણ મનુષ્યના આખા જીવન પર પ્રભાવ કરનારી દશાઓ આ બિંદુના આધારે જ ચાલે છે. માટે આજન્મ સમયનું ચંદ્રનક્ષત્ર તમે જાણો એ ખૂબ જ મહત્વનું રહેશે.

જન્મ સમયનું ચંદ્રનક્ષત્ર છે તેનાથી ગણતા ત્રીજું, પાંચમું અને સાતમું નક્ષત્ર અનુક્રમે પ્રતિકુળ, કષ્ટકારી અને અતિપ્રતિકુળ કહીશું. જ્યોતિષમાંજેને વિપત, પ્રત્યરી અને વધ તારા કહેવાય છે. નવ-નવ નક્ષત્રોના જૂથ બનાવીએ તો ૨૭ નક્ષત્રોમાં ત્રણ જૂથ બનશે. નવ-નવ તારાઓના અનુક્રમે ગુણ સરખા રહેશે. માટે જન્મ સમયનાચંદ્રનક્ષત્રથી ગણતા ૩,૧૨,૨૧- પ્રતિકુળ નક્ષત્રો; ૫,૧૪,૨૩- કષ્ટકારી નક્ષત્રો તથા ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રો કહેવાશે. બસ, આટલી ગણતરીથી જ તમારા શુભાશુભ ગ્રહોની ગણતરી કરી શકાશે. છે ને બિલકુલ સરળ!આ કોષ્ટકના ઉપયોગ માટે તમારે ગોચરના સૂર્ય અને ચંદ્રના જે તે દિવસના નક્ષત્ર જોવાના છે, ગોચરનો સૂર્ય જો ૩,૧૨,૨૧- પ્રતિકુળ નક્ષત્રો; ૫,૧૪,૨૩- કષ્ટકારી નક્ષત્રો તથા ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રોપર ભ્રમણ કરતો હોય તો તે સમય કષ્ટકારી હશે, તે દરમ્યાન જો ચંદ્ર પણ આ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પર આવી જાય તો તે દિવસ અશુભ જાણવો. તે દિવસે કોઈ નવું કાર્ય કે મોટો નિર્ણય લેવાથી બચવું, યાત્રા પ્રારંભ ના કરવી.

બરાબર આજ ગણતરી મુજબ ૨,૪,૮,૯-માં નક્ષત્ર અનુક્રમે લાભ, સુખ, મિત્ર અને વધુ લાભ દર્શાવે છે. તે મુજબ આગળ ગણતા, ૨,૧૧,૨૦- લાભ, ૪,૧૩,૨૨- સુખ, ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર એટલે અનેક લાભ.ગોચરનો સૂર્ય જો૨,૧૧,૨૦- લાભ, ૪,૧૩,૨૨- સુખ, ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય તો તે સમય ખુબ શુભ હશે, તે દરમ્યાન જો ચંદ્ર પણ આ નક્ષત્રોમાંથી કોઈ એક નક્ષત્ર પર આવી જાય તો તે દિવસ અતિશુભ જાણવો.વર્ષનું શુભાશુભ જાણવા ગુરુનું ગોચર જોવું, શનિ જે વર્ષે ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રો પરથી પસાર થાય તે જ વર્ષે સૂર્ય જયારે ૭,૧૬,૨૫- અતિપ્રતિકુળ નક્ષત્રોપરથી પસાર થાય તે સમય અતિકષ્ટકારી વીતે છે. ગુરુ જે વર્ષે૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય તે જા વર્ષે ગોચરનો સૂર્ય પણ૮,૧૭,૨૬ – મિત્ર અને ૯,૧૮,૨૭- અતિમિત્ર નક્ષત્રો પર ભ્રમણ કરતો હોય, તે મહિનાઓ દરમ્યાન અચૂક લાભ થાય છે જ. આ પદ્ધતિમાં ગુરુ અતિશુભ અને શનિ અતિઅશુભ ગણાય છે, જન્મલગ્નની ગણતરી વગર, જન્મકુંડળી વગર પણ આ પદ્ધતિમાં સચોટફળાદેશથાય છે, તે ઘણું આશ્ચર્ય સાથે અહોભાવ ઉપજાવે છે.

દુનિયામાં સૌથી વધુ નીકળતા લોટરી નંબર અને અંકશાસ્ત્ર

$
0
0

ન્યુમેરોલોજી એટલે કે અંકશાસ્ત્રના પરિણામ ઘણીવાર ખૂબ આશ્ચર્યજનક હોય છે. જો તમે સજાગ રહીને નિરીક્ષણ કરતાં રહેશો તો તમારા જીવનની કહાની અમુક અંકો અને સરવાળાની આસપાસ ફર્યા કરતી હશે. ૮ શનિનો અંક છે એટલે ખરાબ છે તેવું ઘણા માને છે, ૧૩નો અંક ટેરો કાર્ડમાં મૃત્યુ દર્શાવે છે માટે ૧૩નો અંક ઘણાં લોકો અશુભ માને છે. પણ તેવું નથી, ૮ કે ૧૩નો અંક શુકનિયાળ સાબિત થયો હોય તેવા લોકો પણ છે. જો જન્મકુંડળીમાં શનિ યોગકારક હોય એટલે કે વૃષભ અથવા તુલા લગ્ન હોય તો આઠનો અંક શુકનિયાળ સાબિત થઇ શકે. જન્મકુંડળીમાં રાહુ ત્રીજે, છઠે કે લાભ સ્થાને હોય તો ૪નો અંક તમને ફળશે, કારણ કે રાહુ શુભ થતાં તેનો અંક ૪ પણ તમને શુભ ફળ આપશે.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના મોટા રાષ્ટ્રોની લોટરીનો એક સર્વે થયો, તેમાં અમુક અંકો જ લોટરીમાં વારંવાર નીકળતા હોવાનું તારણ આવ્યું છે. પહેલી નજરે અસંભવ લાગતી વાત આટલા બધા સર્વેક્ષણ પછી સાચી પડી છે કે અમુક અંકો લોટરીમાં બહાર આવે છે તેની સંભાવના ઘણી વધુ હતી. કાયમ લોટરીમાં સફળ રહેતા અંકોના સરવાળા કરવામાં આવ્યા, તેમાં ૩૩, ૬, ૩૮, ૪૦, ૪૯ અને ૭નો અંક સૌથો વધુ મળ્યા છે. જેમ કે, ૮૯૮૫૩ નંબરની લોટરીમાં જીત મળે તેની સંભાવના વધુ છે. કારણ કે, લોટરીના આ નંબરનો સરવાળો ૩૩ થાય છે. આશ્ચર્યજનક રીતે વધુ સફળ લોટરીમાં ૩૩ અને ૬નાઅંક બધે જ રીપીટ થતા હતા. ૩૩માં ૩નો અંક બે વાર આવે છે, એટલે કે ગુરુનો અંક બે વાર આવ્યો, સરવાળો ૬ થયો એટલે કે શુક્રનો અંક આવ્યો. આમ ૩૩ અને ૬નો અંક શુકનિયાળ પણ છે. પછીના ક્રમે આવતા સરવાળામાં૩૮ના અંકમાં ગુરુ અને શનિ આવે છે. ૪૦માં માત્ર રાહુનો પ્રભાવ છે. ૪૯માં રાહુ અને મંગળનો પ્રભાવ છે. ૭ માત્ર કેતુ છે. મોટેભાગે ૩૪, ૩૨, ૩૮, ૩૩, ૩૯ તથા ૪૦,૪૪,૪૬નો સરવાળો થતો હોય તેવા અંકોની લોટરી વધુ લાગી હોય તેવું તારણ પણ મળે છે. ૨૦, ૨૨, ૨૩, ૨૪ અને ૨૯ પણ લકી જણાય છે. આ સરવાળો તમારી ટીકીટ નંબરના અંકોનો ટોટલ સરવાળો થવો જોઈએ. યાદ રહે કે સૌથી વધુ શુકનિયાળ અગાઉ જણાવ્યું તેમ ૩૩, ૬, ૩૮, ૪૦, ૪૯ અને ૭ જ છે.

પ્રતિકાત્મક તસવીર

લોટરીની ટીકીટના નંબરના સરવાળા કરીએ તો સૌથી ઓછા શુકનિયાળ સાબિત થયા હોય અથવા ભાગ્યે જ લાગતા હોય તેવા અંકોમાં ૨૮,૫, ૨૧ અને ૩૬ વધુ દેખાય છે. ૮ અને ૧૩ પણ અહી અશુભ મળ્યા છે. આ અંકોની લોટરી લાગવાની સંભાવના ખુબ ઓછી છે.

જન્મતારીખના સરવાળા કરતા જૂની પદ્ધતિ કે જેણે કીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિ કહે છે તે વધુ સ્પષ્ટ અને પરિણામ સૂચક છે તેવું અનુભવે જણાયું છે. તમે જયારે પણન્યુમેરોલોજી મુજબ લકી અંક કાઢવાની કોશિશ કરો છો ત્યારે તેના સરવાળામાં ૯નો અંક હંમેશા રાઉન્ડઅપ થાય છે માટે ૯ના અંકનું મહત્વ ગણતરીમાં રહેતું નથી, આ રહસ્ય આસાનીથી નહિ સમજાય પરંતુ તમે સતત ન્યુમેરોલોજી અનુભવ કરશો તો તમને જણાશે કેકીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિ એ વધુ સ્પષ્ટ અને સાચી છે. આ પદ્ધતિમાં ૧થી ૮ સુધીના અંકો જ ગણતરીમાં લેવાયા છે.કીરો અંક પદ્ધતિ અથવા ખાલ્દિયન પદ્ધતિની મદદથી વ્યક્તિનું નામ અને વ્યવસાયનું નામ તેના ગ્રહો સાથે અનુકુળ કરી શકાય છે. આ પદ્ધતિના ઉપયોગથી આશ્ચર્ય થાય તેટલી હદે શુભ પરિણામો મળે છે.

નીરવ રંજન

 

 


મોક્ષ અને આત્મસાધનાના દિવસો અને ચંદ્રની ગતિ

$
0
0

નુષ્યનું સામાજિક, માનસિક અને શારીરિક જીવન ગ્રહોના આધારે વણાયેલું છે. સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે જ આપણા મોટા ભાગના તહેવાર અને સામાજિક પ્રસંગની વ્યવસ્થા થયેલી છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આપણું નાણાકીય વર્ષ પહેલી એપ્રિલે શરુ થાય છે, તેનું પણ કારણ સૂર્યની ગતિ જ છે. દર વર્ષે સૂર્ય ૧૫ એપ્રિલની આસપાસ પ્રથમ રાશિ મેષમાં પ્રવેશ કરે છે. સૂર્યદેવ બારેય રાશિઓમાં પરિભ્રમણ કરીને ફરીથી મેષ રાશિમાં જયારે પ્રવેશ કરે છે ત્યારે નવું નાણાકીય વર્ષ શરુ થાય છે.

ઘડિયાળમાં બાર અંક છે, આ અંકો બાર જ કેમ રાખવામાં આવ્યા? તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ હું રહ્યો જ્યોતિષી એટલે સ્વાભાવિક છે કે મને બધા કારણોમાં ગ્રહો અને નક્ષત્રના સંબંધ દેખાઈ આવે. મારા મતે બાર રાશિઓને જ ઘડિયાળમાં બાર ભાગ તરીકે મૂકી દેવામાં આવી હશે. વર્ણઅક્ષરો ૨૭ ગણાય છે, આ ૨૭ અક્ષરો કેમ માત્ર ૨૭ જ થયા? મારામતે ૨૭ નક્ષત્રોના એક એક વર્ણઅક્ષરને લઈને ૨૭ મૂળાક્ષરો મુકવામાં આવ્યા છે. સમગ્ર ગણિતનોપાયો એટલે કે ૧ થી ૯ અંકોની પદ્ધતિ જ કેમ વિકાસ પામી? તેનું કારણ તમે સમજી ગયા હશો, ગ્રહો પણ નવ જ છે, દરેક ગ્રહનો એક અંક છે, તેને ગણિતમાં સ્થાન મળ્યું છે. કાળક્રમે આ ગુપ્ત રહસ્યો ધીરે ધીરે લુપ્ત થતા ગયા છે. બધા શાસ્ત્રોથી ઉપર એવા જ્યોતિષનેઆજે જલ્દી લોકો સમજી નથી શકતા, તેનાથી દુઃખ પણ ઉપજે છે. સર્વતો ભદ્રચક્રમાં આખાય સંસારનું દર્શન થઇ જાય છે, આ ચક્રની અંદર બધી જ વિગતો ગુપ્તતાથી ભરી દેવામાં આવી છે.

વર્ષ દરમિયાન અમુક દિવસો એવા છે જયારે તમે સાધના અને સેવા પૂજા કરો તો તમારા મન, આત્મા અને શરીરને શાંતિ અને સફળતાનો અનુભવ થાય છે. સાધના ગમે તે દિવસે શરુ ના થઇ શકે. સાધના માટે સૃષ્ટિ અથવા પ્રકૃતિની પરવાનગી હોવી જોઈએ. સુક્ષ્મ તત્વો સાથે મેળાપ થવો જોઈએ. મન અને શરીર બંને કાબુમાં હોવા જોઈએ, તો જ મનુષ્યના સાતેય શરીર અને સાતેય ચક્રો એકસાથે એક દિશામાં ચાલવા લાગે છે અને સાધક ચેતનાનેપાર પહોંચી જાય છે, ભૌતિક કાટમાળમાંથી બહાર નીકળીને વિશુદ્ધ ચેતનાનો અનુભવ કરવા લાગે છે.

નીચે વર્ષના એ દિવસો જણાવેલ છે, જેમાં સૂર્ય, ચંદ્રની ગતિ ભ્રમણ તમારી સાધનામાં મદદ કરનાર હશે. સાધનાની શરૂઆતે ચંદ્રનું નક્ષત્ર સૌમ્ય લેવું.શુક્લ પક્ષમાં ૫,૧૦ કે પૂનમે જો ગુરુવાર આવે તો ઉત્તમ.મેષ, તુલા અને ધન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે મહિનો અગાઉથી નોંધી લેવો.મેષ, તુલા અને ધન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્રમેષ, તુલા અને ધન રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન સાધના માટે ઉત્તમ છે. મોક્ષ પ્રાપ્તિ માટે મીન રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્ર મીન રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન મોક્ષ સાધના માટે ઉત્તમ છે.

આત્મ સાધના અને સાક્ષાત્કાર માટે મેષ રાશિનો સૂર્ય થાય ત્યારે, તે માસમાં જયારે ચંદ્ર મેષ રાશિમાં આવે ત્યારથી આખો શુકલ પક્ષ ધ્યાન આત્મસાધના માટે ઉત્તમ છે. પૂર્વભવની પીડા કે ખરાબ કર્મના પ્રાયશ્ચિત કરવા માટે સિંહ રાશિનો સૂર્ય હોય ત્યારે કર્ક રાશિનો ચંદ્ર થાય ત્યારથી ચંદ્ર તુલા સુધી જાય તે દિવસો પ્રાયશ્ચિત, મંત્ર, તંત્ર માટે ખુબ શક્તિશાળી ગણાય છે. ઉપર મુજબ ગણતરી કરતા, નજીકના ભવિષ્યમાં તારીખ ૪ મે ૨૦૧૯ થી૧૮મે ૨૦૧૯ ઉત્તમ ગણાશે, ત્યારબાદ૨૮ ઓગષ્ટ ૨૦૧૯થી ૦૪ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીનો સમય સાધના માટે ઉત્તમ છે. પંચાંગ મુજબ પણ જોઈએ તો તારીખ ૪ મે ૨૦૧૯ થી૨૦મે ૨૦૧૯ની મધ્યે વૈશાખમાં દસમીએ તીર્થંકર મહાવીર પ્રભુને કેવળ જ્ઞાન થયું હતું તે દિવસ આવે છે, અને ૧૮ મે ૨૦૧૯એ વૈશાખ પૂનમે ભગવાન બુદ્ધનો જન્મ બુદ્ધ પૂર્ણિમા પણ આવે છે. આમ, સમજી શકાશે કે સૂર્ય, ચંદ્ર અને તેમની ગતિ, મનુષ્યના મન, શરીર અને આત્માના વિકાસ સાથે જોડાયેલા છે.

નીરવ રંજન

કર્મ અને નસીબના લેખાંજોખાં: જન્મકુંડળી બોલે છે..

$
0
0

જ્યોતિષ ખરેખર જોઈએ તો આધ્યાત્મિક વિષય છે, જ્યોતિષમાં તર્ક સાથે શ્રદ્ધા જોવા મળશે. ગણિત સાથે કથાઓ જોવા મળશે, ભૂગોળ અને ખગોળ સાથે સામાજિક રીતરિવાજ પણ જાણવા મળશે. જ્યોતિષમાં સાયકોલોજી સાથે કુદરતને ચલાવનારા તત્વો પણ જાણવા મળશે, જે મને નથી લાગતું કે બીજા કોઈ શાસ્ત્રમાં હોય. જ્યોતિષમાં કોઈ મત નથી, છતાં જ્યોતિષનું જ્ઞાન એક સર્વોચ્ચ મત છે. નવા જ્યોતિષ જાણનાર લોકોએ એ સમજવું પડશે કે જ્યોતિષ માત્ર ગણિતના દાયરામાં નથી, તેમાં શ્રદ્ધા અને ઉપાસનાનું પણ મહત્વ છે. પહેલાંના સમયમાં જ્યોતિષ એ સાધના હતી, આજે પણ કેટલાક જ્યોતિષીઓ આ સમજે છે. જ્યોતિષને માત્ર તર્કના એરણ પર મુકવું, ક્ષતિયુકત ગણાશે.

ભાગ્યછે એટલે મનુષ્ય છે કે કર્મ છે એટલે મનુષ્ય છે; કર્મ અને ભાગ્યમાં કોણ ચડિયાતું છે તે કોયડો હજુ સુધી ઉકેલાયો નથી. પણ કર્મ અને ભાગ્યની કશ્મકશ વચ્ચે જીવતા મનુષ્ય માટે સમય મહત્વનો છે. ક્યારેક એમ લાગે છે કે કર્મ જ બધું હશે, પણ જયારે જ્યોતિષના ઊંડાણમાં જઈએ છીએ ત્યારે લાગે છે કે ભાગ્યથી મહાન કશું નથી. કર્મ મનુષ્યને ચોક્કસ ઉપર લાવે છે, પણ યશ અને પ્રતિષ્ઠા તો જાણે નસીબના અધિકારમાં હોય તેવું લાગ્યા કરે છે. મોટા રાજનેતાઓ સારા કાર્યો કરીને પણ ક્યારેક લોકોનો રોષ વ્હોરે છે. તો ઘણીવાર આખું જીવન સેવામાં ઘસી નાખનાર વ્યક્તિનું ક્યાય નામ પણ નથી હોતું.શું તેના કર્મમાં ત્રુટી રહી ગઈ હશે? માત્ર લોકોની ભાવના સાથે રમીને પણ કેટલાક લોકો નામ કમાઈ લે છે, તેવા પણ ઠેરઠેર છે. માટે યશ અને પ્રતિષ્ઠા ભાગ્યના દાયરામાં આવતી હશે, તેવું લાગે છે.

મેં પણ સાયન્સનો અભ્યાસ કર્યો છે, હું પણ માનું છું કે કર્મથી જ મનુષ્ય આગળ વધી શકે છે, છતાં જ્યોતિષના અભ્યાસ દરમિયાન અમે ઘણી કુંડળીઓ જોઈ, જેમાં વ્યક્તિની પોતાની તકલીફ તો નામમાત્ર હતી, પરંતુ નસીબ અને સંજોગના નિર્ણયોએ આ વ્યક્તિઓના જીવનમાં અનેક દાવાનળ પેદા કર્યા હતા.  એક એવી વ્યક્તિ કે જેણે કોઈ ભૂલ કે કોઈ ખોટો નિર્ણય નથી લીધો છતાં તેને માનસિક ત્રાસ અને તકલીફોમાંથી નીકળવું પડ્યું. એક એવી વ્યક્તિ જે સત્ય અને ન્યાયપ્રિય છે છતાં લોકોએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો, આજે પણ કોઈ પણ ભૂલવિના અથવા નાની વાતોમાં પણ કોર્ટના દ્વારે પહોંચી જનારની સંખ્યા ઓછી નથી.સમજવું પડશે કે આ બધામાં ભાગ્યનો રોલ બહુ મોટો હોય છે. ક્યારેક આપણને નવાઈ લાગે પરંતુ માત્ર હા કે ના અથવા એક મુલાકાતના જોરે વ્યક્તિ રાજદ્વારે સિંહાસન સુધી  પહોંચી જાય છે. બાળપણમાં હાજી મસ્તાન મુંબઈમાં સાઈકલ રીપેર કરતા હતા, કેટલાય વર્ષો દારુણ ગરીબીમાં ગુજારનાર વ્યક્તિના શેઠે તેને મુંબઈનો સૌથી અમીર આદમી બનાવી દીધો હતો, આને કર્મ કહેશો કે ભાગ્ય? હજુ સ્પષ્ટ નથી.

એક કુંડળી છે, ૨૬-૮-૧૯૮૫, મીન લગ્ન છે, રાહુ બીજે, શુક્ર મંગળ બુધ પાંચમે, સૂર્ય છઠે, શનિ કેતુ આઠમે અને ચંદ્ર દસમે છે. ગુરુ લાભસ્થાનમાં છે. સ્વભાવે બિલકુલ સરળ અને મહેનતુ આ ભાઈના લગ્ન ગુજરાત બહાર બીજા રાજ્યમાં રહેતી કન્યા સાથે થયાં. બધું રીતરીવાજ પ્રમાણે જ થયું, લગ્ન માત્ર એક અઠવાડિયું ચાલ્યાં. કોઈ કારણ વગર કન્યા પોતાના પિયર ચાલી ગઈ. ઉલટાનું આ ભાઈ પર કેસ લાગી ગયો. કેસનો નિર્ણય આવ્યો ત્યાં સુધી આ ભાઈ સતત તકલીફોમાં રહ્યાં, પૈસા અને સમયનું પાણી થઇ ગયું. કેસમાં કારણ ગમે તે હશે, સ્વભાવે સરળ આ ભાઈનો કોઈ વાંક નહોતો, છતાં તેમને સારું કરવા જતાં તકલીફો લેવી પડી. આ ઘટના ઘટી ત્યારે તેમને રાહુમાં શનિની અંતરદશા ચાલી રહી હતી (પુષ્ય પક્ષ અયનાંશ). મીન લગ્નમાં શનિ શુભફળ આપતો નથી. આ કુંડળીમાં શનિ ઉચ્ચનો આઠમે છે. સપ્તમ ભાવ સૂર્ય અને શનિ થકી પાપકર્તરી છે.

થોડા સમય પહેલાં ડીસામાં એક ભાઈ કારખાનેથી ઘરે જતો હતો ત્યારે તેણે રસ્તામાં કોઈ વૃદ્ધને લિફ્ટ આપી, પરંતુ આ ભાઈ વૃદ્ધને તેમના ઘેર પહોંચાડે તે પહેલાં તે વૃદ્ધ તેમના વાહનમાં જ કુદરતી ઢળી પડ્યાં, તેમનું મૃત્યુ થયું, ટોળું થઇ ગયું, લોકલ ઓથોરિટી આવી ગઈ, આ ભાઈને ધર્મ કરતાં ધાડ પડી, થોડો સમય બાદ તે વૃદ્ધના ઘરવાળા સમજુ હોઈ મામલો ઠેકાણે પડ્યો. આ ભાઈની કુંડળીમાં રાહુ અને શનિનો ચંદ્ર સાથે યોગ છે.

નીરવ રંજન

મનની શાંતિ માટે: રાશિઓ ગ્રહો અને તેમના મંત્ર

$
0
0

મંત્ર મનને મુશ્કેલીથી તારવાનું કાર્ય કરે છે. આપણું સૂક્ષ્મ જગત મનના રહસ્યોની અંદર રહેલું છે. મનની અંદર મનુષ્યની માન્યતાઓ રહેલી છે, મનુષ્ય તેના અનુભવ અને અભ્યાસને આધારે તે માન્યતાઓ સાથે મોટો થાય છે. માનો કે ના માનો, માન્યતાઓપર જીવનની સફળતા ટકી રહેલી છે. તમે જો તમારી માન્યતા બદલી શકો તો જ જીવનમાં પરિવર્તન પણ લાવી શકો.

જ્યોતિષનો આધાર ચંદ્રની દશાઓ એટલે કે મનુષ્યનું મન જ છે. કોઈ ખુશ છે કે દુઃખી, તેનો ખરો ચિતાર તેનું મન જ આપી શકશે. ‘જો મન ચંગા તો કથરોટ મેં ગંગા’. મનુષ્યનું મન ખુબ જ બળવાન છે, ઘણીવાર બુદ્ધિનું જોર પણ મન પાસે નબળું પડી જાય છે. મોટા મોટા નિર્ણયો માત્ર લાગણીને આધારે લઈને અનેક લોકો પસ્તાય છે. આ શું દર્શાવે છે? મન અને માન્યતાઓની શક્તિ! જો મનને ઉગારવું હોય તો મનને કાબૂમાં લાવવું પડે, મનને શાંતિ આપવા માટે દરેક રાશિ અનુસાર નીચે મંત્ર આપેલ છે, આ મંત્રના શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી જે તે રાશિના જાતકોને માનસિક શાંતિ અને સમૃદ્ધિ મળી શકશે. શાંતિ પ્રાપ્ત કરવી હોય તો મનને ગુસ્સા અને શંકાથી બચાવવું પડે. જેનું મન શંકાશીલ હશે તેને ક્યાંય સુખની પ્રાપ્તિ થવાની નથી.

મંત્રના જાપ કરતી વખતે માત્ર શબ્દો અને તેના ઉચ્ચારણ પર ધ્યાન કેન્દ્રિત કરો, મનમાં ધ્યાન કરો કે મંત્ર દ્વારા તમને શાંતિનો અનુભવ થઇ રહ્યો છે. મંત્રની શક્તિ તમારી અંદર સુખ અને સમૃદ્ધિનો સંચાર કરી રહી છે. ખરાબ શક્તિ અને રોગ તમારા શરીરમાંથી  બહાર જઈ રહ્યા છે. તમે સુખી બની ચૂક્યાં છો. આ પ્રકારે માનસિક ચિંતન અને ધ્યાન કરતાં રહો અને સાથે મંત્રનું સતત ઉચ્ચારણ કરતા રહો. તમને મંત્ર દ્વારા ચોક્કસ રાહત પ્રાપ્ત થશે.

રહસ્ય: મંત્રોના જેટલા અક્ષર તેટલા હજાર તેમના જાપ.

મેષ રાશિનો મંત્ર:

ॐ ह्रीं श्रीं लक्ष्मी नारायणाय नमः 

વૃષભ રાશિનો મંત્ર:

ॐ गोपालाय उत्तर ध्वजाय नमः

મિથુન રાશિનો મંત્ર:

ॐ कलीं कृष्णाय नमः

કર્ક રાશિનો મંત્ર:

ॐ हिरण्य गर्भाय अव्य्कत रूपिणे नमः

સિંહ રાશિનો મંત્ર:

ॐ कलीं ब्रह्मणे जगदधारय नमः

કન્યા રાશિનો મંત્ર:

ॐ नमो प्रिं पिताम्बराय नमः

તુલા રાશિનો મંત્ર:

ॐ तत्व निरन्जनाय तारकरामाय नमः

વૃશ્ચિક રાશિનો મંત્ર:

ॐ नारायणाय सुर सिन्हाय नमः

ધન રાશિનો મંત્ર:

ॐश्रीं देव कृष्णाय रुर्ध्व सुताय नमः

મકર રાશિનો મંત્ર:

ॐ श्रीं वत्सलाय नमः

કુંભ રાશિનો મંત્ર:

ॐ श्रीं उपेन्द्राय अच्युताय नमः

મીન રાશિનો મંત્ર:   

ॐ कलीं उद् धृताय उद्धारिणे नमः

નીચે દોષકારક ગ્રહ અને સામે પઠન કરવાના સ્રોતની નોંધ આપી છે, જો આ ગ્રહ દોષકર્તા હોય તો નીચે આપેલ સ્રોતનું પઠન લાભદાયી છે:

ચંદ્ર:

ॐश्रां श्रीं श्रों सः सोमाय नमः

શિવમહિમ્ન સ્રોત: કુંભ અને મકર લગ્નના જાતકો માટે શાંતિ બક્ષનાર.

મંગળ:

ॐ क्रां क्रीं क्रों सः भौमाये नमः

અંગારક સ્રોત: કન્યા અને મિથુન લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

બુધ:

ॐ ब्रां ब्रीं ब्रों सः बुधाये नमः

વિષ્ણુ સહસ્ત્રનામ: સ્વયં પરાશર ઋષિએ જેનો ઉલ્લેખ પરાશર હોરામાં કરેલ છે, મેષ અને વૃશ્ચિક લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

ગુરુ:

ॐ ग्रां ग्रीं ग्रों सः गुरवे नमः

દત્ત બાવની: પ્રભાવશાળી અને તુરંત પીડા દુર કરનાર સ્રોત, તુલા અને વૃષભ લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

શુક્ર:

ॐ द्रां द्रीं द्रों सः शुक्राये नमः

લલિતા સહસ્ત્રનામ: માતાજીની ઉપાસના માટે પરમ ફળદાયી, ધન અને મીન લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

શનિ:

ॐप्रां प्रिं प्रों सः शन्ये नमः

સુંદરકાંડ, હનુમાન ચાલીસા: ખુબ પ્રચલિત અને આશ્ચર્યકારક સુખદાયી પરિણામો આપે છે, તુરંત વિઘ્ન દુર થાય છે. કર્ક અને સિંહ લગ્નના જાતકો માટે શાંતિ અને સુખ આપનાર.

સૂર્ય:

ॐ ह्रां ह्रीं ह्रों सः सूर्याय नमः

આદિત્યહ્રદય અને સૂર્ય સહસ્ત્રનામ: આદિત્ય હ્રદયનો ઉલ્લેખ રામાયણમાં આવે છે, સૂર્યસહસ્ત્રનામ પરમ પ્રભાવી છે, પંદરીયા યંત્ર સાથે આ સ્રોત વાંચતા તત્કાળ રોગ મુક્તિ થાય છે. કુંભ અને મકર લગ્નના જાતકો જો સૂર્યથી પીડિત હોય તો આ સ્રોત વાંચવા જોઈએ. 

રાહુઅને કેતુ દૈત્ય ગ્રહો હોઈ તેની સ્તુતિને બદલે જગદગુરુશિવની સ્તુતિ કરવી જોઈએ.

વિચારપુષ્પ: બધા તોફાન માત્ર નાશ નથી કરતાં, ઘણાં વાતાવરણ પણ શુદ્ધ કરે છે.

ફાઈનલ મેચ અને અંકશાસ્ત્રનું રહસ્ય

$
0
0

ણિત વગર દુનિયા ચાલી શકે તેમ નથી, ગણિત છે તો જ સંસારમાં એક વ્યવસ્થા બની રહે છે. અંક દરેક મનુષ્યના જીવનથી લઈને સમગ્ર સંસારમાં પોતાનો પ્રભાવ બતાવે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ અમે અનેક પ્રયોગ કરીને એ અનુભવ્યું છે કે અંકનું વિજ્ઞાન કાર્ય કરે છે અને તે ખુબ મોટું રહસ્ય પણ છે. જેમ કે, એક ક્ષ નામક વ્યક્તિના જીવનમાં 5 નો અંક ખુબ પ્રભાવી જણાયો છે, તેમની જન્મતારીખ 5  છે, તેઓ 5 નંબરના મકાનમાં રહે છે, તેઓએ નવું મકાન ખરીદ્યું ત્યારે 5 તારીખ હતી, તેઓ પહેલીવાર નોકરીએ લાગ્યા ત્યારે પણ 5 તારીખ હતી. તેઓના નામનો સરવાળો 5 છે, તેમના ઘણા મિત્રોના નામના સરવાળા 1 અને 5 છે. તેઓ ટ્રેઈન, ફ્લાઈટના નંબર પણ લખી રાખે છે, તેમાં મોટેભાગે 5 નો અંક જ આવતો હોય છે. 4 કે 8 નંબરના મકાન કે વાહન જલ્દી ફળતા નથી?

ઉપરનો કિસ્સો આશ્ચર્યજનક છે, આવા અનેક પ્રસંગ છે, જેમાં અંક જે તે વ્યક્તિના જીવનનું કેન્દ્રબિંદુ બન્યા હશે. ઉપર જણાવેલ કિસ્સામાં આ ભાઈ આસાનીથી કહી શકશે કે હવે પછી તેમના જીવનમાં મહત્વની ઘટના ક્યારે ઘટશે? જેમકે, તેઓ જો કોઈ મહત્વની મુલાકાત માટે રાહ જોઈ રહ્યા હોય તો શક્ય છે કે તે આવતા મહિનાની 5, 14, 23 તારીખે હોય? સાંજે 5 વાગ્યે હોય, શક્ય છે કે તે મુલાકાત પાંચમાં મહિનામાં ગોઠવાય? જયારે એકવાર તમને તમારા જીવનના મહત્વના અંક હાથ લાગી જાય છે ત્યારે તમે તે અંકોનો પોતાના જીવનમાં ઉન્નતિ માટે ઉપયોગ કરી જ શકો છો.

એક કંપનીમાં 3 અને 6 નો પ્રભાવ:

ગુજરાતની એક મોટી કંપનીમાં 3 અને 6 નંબર પ્રભાવી હતા, આ કંપનીના મોટાભાગના કાર્યકરો અને ઉચ્ચપદાધિકારીઓ 3 અને 6 નંબરથી પ્રભાવિત હતા. તેમના નામના સરવાળા 3 અથવા 6 મળતા હતા, કંપનીની મહત્વની તારીખો પણ 3 કે 6 જ રહેતી હતી. આતે કંપની માટે એક ચાવીરૂપ ઘટના કહી શકાય, શક્ય છે કે આ રહસ્યનો ઉપયોગ કરીને તેઓ અથવા કોઈ પણ વ્યક્તિ આ જ પદ્ધતિ વડે પોતાના જીવનનું રહસ્ય ઉજાગ્ર કરી શકે છે. અંકો પોતે એક માહિતી સ્વરૂપે જીવનમાં આવે છે, દરેક મનુષ્યના હાથની વાત છે કે તેનો કઈ રીતે ઉપયોગ કરવો છે. વિમાનનો ઉપયોગ કોઈને યાત્રા કરાવવા માટે થઇ શકે તો યુદ્ધમાં બોમ્બ ફેંકવા માટે પણ વિમાનનો ઉપયોગ થઇ શકે છે, મતલબ સાફ છે કે તમે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિ વડે પોતાના કાર્ય માટે કામે લગાવી શકો છો.

ફૂટબોલ મેચ અને 6 નો અંક:

અંકનું વિજ્ઞાન રહસ્યોથી ભરેલું છે, તે આસાનીથી નહિ પરંતુ ઊંડા વિશ્લેષણ દ્વારા જ હસ્તગત કરી શકાય છે. 15 જુલાઈ 2018ના દિવસે ફ્રાંસ અને ક્રોએશિયાની વચ્ચે ફૂટબોલ વર્ડકપની ફાઈનલ મેચ હતી. આ ગેમમાં ફ્રાંસ શરૂઆતથી નબળું પ્રદર્શન કરી રહ્યું હતું, પાસીંગ અને બોલ પઝેશન પણ ક્રોએશિયાના વધારે હતા, છતાં આ મેચ આખરે ફ્રાંસ જીતી ગયું. ફ્રાંસ સંપૂર્ણ રીતે 6થી પ્રભાવિત દેશ છે, જેમ કે તેના નામનો સરવાળો 6 થાય છે, તેના નામમાં 6 અક્ષર છે. જયારે ક્રોએશિયા 1થી પ્રભાવિત છે. આ મેચ 15-07-2018ના દિવસે રમાઈ, 1+5=6,આખી તારીખ 15-07-2018 નો સરવાળો કરીએ તો (6+7+11)24 એટલે કે 6 થાય છે. આ મેચમાં ટોટલ 6 ગોલ્સ થયા, ફ્રાન્સે ટોટલ 6 ગોલ્સ ઓન ટાર્ગેટ આપ્યા હતા. 6 નંબરનો ખેલાડી પોગ્બા, તેણે ખુબ સારું પ્રદર્શન કર્યું અને ગોલ કર્યો, 6 નંબરના ખેલાડીએ આશરે (59મિનીટ પૂરી થઇ ત્યારે)60મી મિનિટે ગોલ કર્યો. મેચની તારીખ ફ્રાંસના ફેવરમાં હતી જ. 6 ના અંકે ફરીવાર તેની કમાલ બતાવી અને ફ્રાંસના હાથમાં જીત આવી ગઈ. તમે અગાઉ જોયું તેમ તારીખ અને ફ્રાંસના નામનો સરવાળો બધું 6ના અંકની આસપાસ ફરી રહ્યું હતું, જયારે ક્રોએશિયા 1થી પ્રભાવિત છે જે સમય અને તારીખ સાથે મેળ પામતું નહોતું.

વિચારપુષ્પ: દરેક મનુષ્યની અંદર એક બીજો મનુષ્ય પણ હોય છે, જેને તમે જાણતા નથી.

 

મુહુર્તશાસ્ત્રનો કમાલ: ઘર એવું જે રહે અ-ક્ષય અને અ-ક્ષર…

$
0
0

હેવાય છે કે સારું મુહુર્ત, સો દોષ ટાળી દે છે. બીજાઅર્થમાં સારી ઘડીએ કરેલું મુહુર્ત કાર્ય નિર્વિઘ્ને સંપન્ન કરે છે. સિદ્ધપુરનો રુદ્રમાળ આજે પણ જેમ બન્યો હતો તેમ જ ઉભો છે. સેંકડો જૈન દેરાસર છે, જેઓ સૈકાઓ વટાવી ચૂંક્યાં છે છતાં આજે પણ ત્યાં તીર્થંકરપ્રભુની હેલી અને ભક્તિ તેમની તેમ જ રહી છે. આ બધું શુભ મુહુર્ત સાચવવાનો પ્રતાપ છે.

જૂની દુકાન અને મુહુર્તનો ચમત્કાર:

મેં જોયું છે કે મોટેભાગે લોકો તેમની અનુકુળતાએ મુહુર્ત માંગતા હોય છે. ધીરજ રહેતી નથી અને છેલ્લી ઘડીએ મન મનાવીને મોટેભાગે શનિવારે કે રવિવારે મુહુર્ત રાખી લેતા હોય છે. લોકોની સગવડ પહેલા જોવાની પણ જે-તે ભવન કે ફેકટરી માણસના આખા જીવન સાથે જોડાયેલી છે. તેની તકદીર કે તેનું વજૂદ તે ભવન કે ફેક્ટરી સાથે ચાલતું હોય છે, તે પણ ના ભૂલાય. નામ લીધા વગર જણાવીશું કે અમદાવાદ અને મુંબઈમાં અનેક શેઠિયા છે, જેણે સાવ ઓછામાંથી કરોડો બનાવ્યા હોય છતાં જૂની દુકાને જ બેસતા હોય. બેઠક વર્ષોથી જેમની તેમ ચાલતી હોય, તેઓ તેમાં ફેરફાર કરાવવા પણ નથી માંગતા. જે દુકાને જે મુહુર્ત થયું, તેનો લાભ તેને મળ્યો અને સમય જતાં એ જ તેનો વિશ્વાસ બની ગયો.

મુહુર્ત માટે ઉતાવળ કરશો નહીં:

શુભ કાર્ય એકવાર કરવાનું હોય છે. મુહુર્ત લેવામાં ‘ધીરજ’ હોવી જોઈએ. સારામાં સારા મુહુર્ત લોકો સાચવી નથી શકતા, તેનું કારણ ખોટી ઉતાવળ હોય છે. વર્ષો પછી પસ્તાય છે, ત્યારે શાસ્ત્ર યાદ આવે છે. માટે ધીરજ રાખવી જરૂરી છે, મુહુર્તને સમજીને તેનો ઉપયોગ કરશો થોડું સંશોધન કરશો તો ચોક્કસ ધાર્યા પરિણામ મળશે જ, તેનું કારણ શાસ્ત્રનો અનુભવ છે. બધી માહિતી બધે લખાતી નથી, કેટલીક માહિતી માત્ર ‘ગુરુગમ્ય’ જ રહે છે.

જમીનની ખરીદી:

કર્ક રાશિ જયારે પૂર્વે ઉદિત થાય, ત્યારે ભરણી, આર્દ્રા, વિશાખા કે હસ્ત નક્ષત્રના ચતુર્થ ચરણમાં ચંદ્ર હોય ત્યારે જે જમીન લેવાની હોય તેની માટી ખોદીને લાવીને તમારી મૂળ જમીનમાં પાથરી દેવી. અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉ.ફા., હસ્ત, સ્વાતિ, અનુરાધા, ઉ.ષા., શ્રવણ, શતભિષા અને ઉ.ષા. નક્ષત્રના દિવસે જમીનનો સોદો કરવો. સોમવારે ચંદ્ર, મંગળવારે મંગળ અને શનિવારે શનિ લગ્નમાં ઉદિત થાય ત્યારે પૈસાનો વ્યવહાર કરવો (પૈસા આપવા). આમ કરવાથી સોદો સંપૂર્ણ થાય છે.

આશ્લેષા અને કૃતિકા સમયે ઉત્તરમાં, ચિત્રા અને વિશાખાના સમયે દક્ષિણે, પુષ્ય અને મઘાના સમયે પૂર્વે અને ઉ.ષા. અને શ્રવણ નક્ષત્રના સમયે પશ્ચિમે બાંધકામ શરુ કરવું.

મકાનની જાળવણી:

મકાનના રંગરોગાન માટે ગુરુ અને શુક્રવારે શુભ તિથિમાં રંગકાર્ય કરવું, ચોથ, નોમ અને ચૌદશ, મંગળવાર, શનિવારના દિવસે રંગ કાર્ય કરવું શુભ નથી ગણાતું. કૃતિકા, મઘા, પુષ્ય, પુ.ફા., હસ્ત, મૂળ, રેવતી નક્ષત્રમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર શરુ કરવો શુભ રહેતું નથી. આ સિવાયના નક્ષત્રો ઘરમાં ફેરફાર કરવા માટે સામાન્ય શુભ ગણવા.

મેષ, સિંહ કે ધનના મંગળમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર શરુ કરવો શુભ રહેતું નથી, આ સમયમાં ઘરમાં રીપેરીંગ કે ફેરફાર કરવામાં આવે તો ફરી તૂટવાનો ભય રહે છે. શુક્ર કે ગુરુ જયારે કેન્દ્રમાં હોય અને કર્ક, વૃશ્ચિક, મીન, વૃષભ કે મીન રાશિ ઉદિત થાય ત્યારે ઘરમાં રીપેરીંગ કે ફેરફાર કરવાથીશુભ રહે છે, ઘરમાં રીપેરીંગ કે ફેરફાર બાદ ભય કે નુકસાનની શક્યતાઓ રહેતી નથી. ગુરુવારે રોહિણી, ઉ.ફા., મૃગશીર્ષ, ઉ.ષા., ઉ.ભા. નક્ષત્ર આવે તો તે દિવસે કરેલું સમારકામ વર્ષો સુધી ટકે છે.

નવાં કપડાનું શુભાશુભ:

ભરણી, કૃતિકા, આર્દ્રા, આશ્લેષા, મઘા, શતભિષા નક્ષત્રમાં કપડાં નવા પહેરવાની શરૂઆત કરવાથી અનુક્રમે પતિ કે પત્નીને નુકસાન, આગનો ભય, રોગ, ભય, પેટના રોગનો ભય રહે છે. અશ્વિની, રોહિણી, પુનર્વસુ, પુષ્ય, ચિત્રા, સ્વાતિ, પુ.ષા., રેવતીમાં નવા કપડાં પહેરવાથી અનુક્રમે ધનલાભ, સફળતા, આકર્ષણ, અતિલાભ, લાભ, સમૃદ્ધિ, રોગમુક્તિ, રત્નલાભ થાય છે. ઉપરના શુભ નક્ષત્રોમાં નવા ઘરેણાં પણ પહેરી શકાય. ચોથ, નોમ અને ચૌદશ, મંગળવાર, શનિવાર સિવાયના દિવસો શુભ ગણવા.

Viewing all 118 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>